SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) માનવતા માણસનો ધર્મ મૃત્યુનો ભય ન રાખો મૃત્યુ નિશ્ચિત સમયે જ આવે છે. તેનો ભય રાખવાથી તેનાથી બચી શકાતું નથી. માટે હે રાજા રહુગણ ! મૃત્યુનો વિચાર કર્યા વિના, તેને સ્વીકારીને ઇશ્વરાભિમુખ બનવું એ મનુષ્ય માત્ર માટે મોક્ષ પામવાનો એક માત્ર રસ્તો છે. આટલું કહી જડ ભરતજી મૌન થઈ ગયા. પાખંડીઓ છેતરે છે પાખંડી માણસો જાતે જ છેતરાયા છે. આથી અપ્રમાણિક શાસ્ત્રો જ સાચા છે તેમ સમજાવીને બીજાઓને છેતરે છે. માણસ છેતરાય છે તેનું કારણ તેને કોઈ પણ તકલીફ વિના, રોકટોક વિના સાધના કરવી છે. અને તેથી જ તેને સદ્ગુરુ કહે તે ગમતું નથી. સદ્ગુરુ કહે તેમ તે કરતો નથી પરિણામે સંસારમાં વધુને વધુ ફસાતો જાય છે, અને મોક્ષથી તે દૂર થતો જાય છે. આત્મજ્ઞાનીને અનુસરો કર્મકાંડ કરવાથી પુણ્ય મળે છે, પરમાત્મા નહિ. મોટા મોટા રાજાઓ, ધનિકોએ મોટા મોટા યજ્ઞો ક્ય છતાં તેમનો આ સંસારમાંથી છૂટકારો થયો નથી. એમને માર્ગદર્શન આપનાર પંડિત હોય છે, કોઈ આત્મજ્ઞાની નહિ. જગતમાં પંડિતો ઘણા છે, જ્ઞાની ઓછા છે. મોક્ષ પ્રાપ્તિ ઇચ્છુક મુમુક્ષુ આત્માનુભવી જ્ઞાનીને ઓળખી, તેમનું શરણ લઈ, તેમના માર્ગદર્શન પ્રમાણે અનુસરે તો મોક્ષ માર્ગે જઈ શકાય. અહીં રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ પૂરો થયો. માનવતા જ માણસનો ધર્મ જો માણસ પોતપોતાના ધર્મોનું આચરણ કરે તો ક્યારેય વિષમતા ઊભી ન થાય. માણસને જન્મતાં જ શરીરમળે છે, માતા-પિતા અને તેમના સંસ્કારો મળે છે, શિક્ષણ મળે છે. આ તમામ બીજાઓ પાસેથી તેને મળે છે. કોઈ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy