SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૧ 'આચમન સુખ મળે અને દુઃખટળે એ માટે માણસ ધર્મ તરફ વળે છે. પણ જેને એ ધર્મ સમજે છે એ ધર્મનહીં પણ સંપ્રદાય છે એની એને ખબર નથી. વળી પૂજાપાઠ કરીને ધર્મનું આચરણ કર્યાનું માની લેવામાં આવે છે, પણ તે ધર્મ નહીં માત્ર કર્મકાંડ જ છે. ઇચ્છિત વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની પ્રાપ્તિમાં સુખ માની લેવામાં આવે છે. આવી પ્રાપ્તિનો આનંદ પાછો લાંબો ટકતો નથી, એટલે ફરી પાછી બીજી પ્રાપ્તિની તાલાવેલી કે ગડમથલ શરૂ થઈ જાય છે. સુખનું કેન્દ્ર બહાર નહીં પણ એની પોતાની અંદર છે એની એને ખબર નથી, એટલે એ કસ્તુરી મૃગની માફક ભટકયા કરે છે, આથડ્યા કરે છે. “સુખનું કેન્દ્ર અંદર રહેલા આત્મામાં છે. આત્માના કેન્દ્રમાં કેવી રીતે જવું એની ખબર પડતી નથી. એ માટે જેને આત્માનુભૂતિ થઈ છે એવા સત્પષ, જ્ઞાની પુરુષ કે સદ્ગુરુ પાસે જવું પડે. પણ એમને શોધવા કયાં અને કેવી રીતે એની સમજ નથી પડતી એટલે ગમે એનો હાથ પકડી લે છે. પરિણામે જે જાણવાનું છે તે તો જાણવા મળતું નથી અને અંધારામાં અટવાયા કરે છે. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ દર વર્ષે અષાઢ-શ્રાવણ માસ દરમિયાન કોઇ એક ધાર્મિક ગ્રંથનો આધાર લઇને પ્રવચનો આપે છે. અનેક ધર્મો-ગ્રંથોના સંદર્ભે ટાંકીને, વ્યાવહારિક દષ્ટાંતો આપીને ધર્મની કઠિન વાતોને સરળ કરી સમજાવે છે. કરુણાથી પ્રેરાઈને અપાતા આ પ્રવચનોની શ્રોતાઓના મન પર ભારે અસર પડે છે. ૭મી જુલાઈ ૦ ૭થી ૬ ઠી ઓગસ્ટ ૦૭ દરમિયાન પૂ. ગુરુજીએ ‘ભાગવતનો સંદેશ” ઉપર પ્રવચનો આપેલાં. આ પ્રવચનોની સીડી/ કેસેટ બને છે એનો અને પોતાની નોંધોનો આધાર લઇને શ્રી મધુસૂદનભાઇ કૃષ્ણાલાલ સોનીએ સાર-સંકલન કરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy