SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) રાજાનો પશ્ચાતાપ બ્રાહ્ની સ્થિતિમાં જડભરતજી જડભરતજીની દેહાત્મબુદ્ધિ છૂટી ગઇ હતી. અજ્ઞાન ગયું હતું. એ બ્રાહ્મી સ્થિતિમાં સતત રહેતા હતા. અનુભૂતિમાં જ એજીવતા હતા. ભગવાન શ્રીકૃષ્ણભગવદ્ ગીતાના બીજા અધ્યાયની સમાપ્તિમાં અર્જુનને કહે છે કે ઃ ‘ અર્જુન, બ્રાહ્મી સ્થિતિમાં ગયા પછી બીજા કશામાં રહેવાપણું રહેતું નથી.’ આવી ઊંચી સ્થિતિમાં રહેતા ભરતજીને પ્રારબ્ધ ખપાવવા માટે રાજાની પાલખી ઉપાડવી પડી છે. તેઓ કર્મ કરતાં કરતાં પ્રારબ્ધનો ક્ષય કરે છે. રાજાનો પશ્ચાતાપ રાજાને ભરતજીનું જ્ઞાન જાણીને ભારે આશ્ચર્ય થયું. તેને એમ પણ થયું કેઃ ‘આ મહાપુરુષને હું એલ-ફેલ બોલ્યો. મેં એમનો અપરાધ કર્યો છે.’ પાલખી નીચે મુકાવી. રાજાએ પાલખીમાંથી ઊતરી જડ ભરતજીના ચરણોમાં મસ્તક મૂકી પોતાના અપરાધની ક્ષમા માગી. અને એ બોલ્યો ઃ હે મહાત્મન, બ્રાહ્મણો પહેરે છે તેવું યજ્ઞોપવિત તમે પહેર્યું નથી. બીજાને તમારી અવસ્થાની ખબર ન પડે એમ વિચરવાવાળા તમે કોણ છો? શું તમે મારું કલ્યાણ કરવા આવ્યા છો? હું તમારા શરણે આવ્યો છું. કૃપા કરીને મને તમે તમારું મૂળ સ્વરૂપ જણાવો. મેં તમને ઘણો ત્રાસ આપ્યો છે. મારો દેહ તમારી પાસે ઉંચકાવ્યો છે. આ અપરાધના કારણે મારું મન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. મારા અપરાધની તમે ક્ષમા આપો અને તમારી સેવા આપો. સંતની અવજ્ઞા ન કરો Jain Education International કોઇ પણ સાધુ, સંત, જ્ઞાનીની અવજ્ઞા કરવા જેવી નથી. જો અવજ્ઞા કરશો તો તમારો અધ્યાત્મ યાત્રાનો માર્ગ બંધ થઇ જશે. નાનક સાહેબની પરંપરામાં મૂર્તિ પૂજા નથી. પણ ‘ગ્રંથ સાહેબ’ની પૂજાવિધિ મૂર્તિપૂજાની જેમ જ છે. ગ્રંથ ગુરુ પાસેથી મળ્યો, જ્ઞાન પણ ગુરુ મારફતે મળવાનું એથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy