SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) ભાગવતનો સંદેશ ગુરુનાનકજીનું અમૃતસરનું સુવર્ણ મંદિર અને ગ્રંથસાહેબ જયાંરખાય તેનું વાંચન થાય એ સ્થળને ‘ગુરુદ્વારા કહે છે. શાસ્ત્રો કહે છે: “સદ્ગુરુ પાસે જાવ ત્યારે એ ન બોલે તો પણ શાંતિથી એમની નજર સામે બેસજો. તેમની ઝળકતી મૂર્તિને શાંતિથી જોયા કરજો. આટલું કરશો તો પણ તમને આંદોલનો મળ્યા કરશે. જાગી ઊઠેલો રાજા રાજા હવે જાગી ઊઠયો છે. ભલે તેને તત્ત્વજ્ઞાન પચ્યું ન હોય પણ તેને તે જાણે છે ખરો. એ ભરતજીને ઓળખી ગયો છે. એ કહે છે: “મહારાજ, મને એ પ્રતીતિ થઈ ગઈ છે કે આપ દેહાભિમાનથી પર થઈ ગયા છો. શરીર એ હું છું. એવો સૂક્ષ્મ ભાવ પણ આપનામાં રહ્યો નથી. મને એક બીજો અનુભવ એ પણ થયો કે આપ શ્રી હરિ પરમાત્માના અનન્ય ભક્ત છો. ભક્તના તમામ લક્ષણો તમારામાં દઢ થયેલા છે. મારું ઉદ્ધત વર્તન હોવા છતાં આપને મારા પ્રત્યે દ્વેષન થયો. નિંદા કે સ્તુતિ તમને સ્પર્યા નથી. હર્ષ-શોક વચ્ચે તમે ડોલાયમાન થયા નથી. તમને અનુકૂળ-પ્રતિકૂળ થતું નથી અને માન-અપમાન પણ નથી સ્પર્શતાં. વિકાર વગરની શાંત સમત્વવાળી તમારી અવસ્થા છે.' કર્મકાંડથી મોક્ષ ન મળે જડ ભરતજી કહે છે : હે રાજા, તમારી આંતરિક અવસ્થા જાણીને હું કહું છું કે તમે અજ્ઞાની હોવા છતાં પંડિતોની જેમ તર્ક-વિતર્ક કરતા નથી અને શાંત રહી શકો છો. આને લીધે તમે જ્ઞાન (આત્મજ્ઞાન) મેળવી મહાજ્ઞાની, શ્રેષ્ઠ જ્ઞાનીની ગણનામાં આવી શકો છો. અને પરમાત્મ જ્ઞાન મેળવી શકો છો. એ જ્ઞાન સદ્ગુરુ દ્વારા મળે છે. આમતો ગૃહસ્થો, રાજવીઓ મોટા યજ્ઞો કરે છે. પણ તેમાં બાહ્ય કર્મકાંડો જ છે. કોઈ તત્ત્વ જ્ઞાનની વાત, રાગ-દ્વેષ વગરની વાત, રાગ-દ્વેષ અને વિકારો જીતવાની વાત તેમાં હોતી નથી તેથી એવા યજ્ઞોથી, કર્મકાંડોથી સ્વર્ગ પ્રાપ્તિ થાય પણ મોક્ષ ન મળે. એ શુભ કર્મ જરૂર છે પણ શુદ્ધ કર્મ નથી, તેનાથી અંતરની શુદ્ધિ થતી નથી. તોછડો અને અવિવેકી રાજા હવે નમ્ર અને વિવેકી બનીને ભરતજીની વાતો શાંતિથી સાંભળી રહ્યો અને હૃદયમાં ઉતારતો રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy