SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ભાગવતનો સંદેશ અભિમાનને કારણે તેની પાસે અધિકાર અને દંડની ભાષા હતી, અવિવેક હતો. એ પરમજ્ઞાની એવા જડ ભરતજીને ઓળખી નહોતો શક્યો. એના અપશબ્દોથી, તિરસ્કારથી પણ ભરતજી ગુસે નથી થતા. એ તો મંદ-મંદ હાસ્ય કરીને કહે છે : “રાજા, તમે મને ઠપકો આપો છો કહો છો કે તું ભાર નથી સહન કરતો પણ ભાર તો એ વહન કરે છે જે ઊંચકે છે. ભાર તમારા માથે છે. મારા માથે નથી. હું તો ભારમુક્ત છું. જ્ઞાની અવિરતપણે આત્મામાં છે ‘તમે ક્ષેત્રની વાત કરી પણ હું તો ક્ષેત્ર હીન છું. રાજા આ શરીર એ હું નથી. માટે હું ચાલનારો નથી, ભાર ઊંચકનારો નથી. જે માણસ દેહ એ હું તેમ માને છે, દેહ અને આત્મા એક છે તેમ માને છે તેને કામનાના, ભાવનાના, દેહના ધર્મો ખાય છે. મારામાં તે નથી તેથી મને તે મારી શકતા નથી. “જગતના તમામ પદાર્થો વિકારવાળા છે. તે ભેગા થાય છે અને વિખરાય છે. વળી આદિ અને અંતવાળા છે. તમે પણ આદિ-અંતને વશ છો. એ હું જાણું છું, પણ તમે નથી જાણતા. કારણ કે તમારી રાજા અને સેવકો એવી ભેદ બુદ્ધિના કારણે સ્વામી અને નોકર તેવો ભેદ આવ્યો.” પણ તો મારા બ્રહ્મ સ્વરૂપમાં, આત્મામાં, જ્ઞાનમાં સ્થિત છું. પરમાત્માનો ભક્ત છું. તમે મને શિક્ષા કરશો તેમ કહો છો. કદાચ એ ન્યાય હશે પણ શિક્ષા કરવી એ નકામી પણ છે કારણ હું જડ છું.” એટલું બોલીને એ મૌન થઈ ગયા. તમામ સાધનાનું પરિણામ આ છે વિજ્ઞાન સગવડો આપી શકે પણ તે માણસમાંથી ગુસ્સો દૂર ન કરી શકે. એટલે કે વિજ્ઞાન અજ્ઞાનને દૂર ન કરી શકે. અજ્ઞાન દૂર થાય તેની પરમ શાંત અવસ્થા હોય છે. કારણ કે એ બ્રહ્મમાં સ્થિર હોય છે. જે પરમ શાંત અવસ્થા છે. તમામ સાધનાઓનું એ પરિણામ છે. આવા ભરતજીએ રાજાને વિચાર કરતો કરી મૂક્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy