SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (30) જડ ભરતજીનો મોક્ષ જીવો અને જીવવા દો સિંધુ સવિરનો રાજા ત્યાંથી પસાર થતો હતો. એની પાલખી. ઉચકનારા ચાર મજૂરોમાંથી એક નાસી ગયો હતો. એથી રાજ સેવકો કોઈ મજૂરને શોધવા નીકળ્યા હતા. એમણે જડભરતને જોયા. એમનામાં સેવકોને મજૂર દેખાયો. એમણે ભરતજીને કહ્યું: ‘ઉભો થા, અને અમારી સાથે ચાલ.’ ભરતજી કામકારણ કશું પૂછતા નથી અને સેવકો સાથે ચાલવા માંડ્યા. સેવકોએ રાજાની પાલખી ઉપાડવાનું કહ્યું તો એમણે પાલખી ઉપાડીને બીજા મજૂરો સાથે ચાલવા માંડ્યું. પણ ત્યારે તેઓ પોતાના પગ નીચે કોઇ જંતુ દબાઇ ન મરે તેની કાળજી રાખતા હતા. જીવવું અને જીવવા દેવું તેમ જ બીજાને પીડા નથી આપવી, એવો સિદ્ધાંત એમનો હતો. તેથી જમીન ઉપર જંતુ દેખાતા ત્યારે કૂદીને ચાલતા. એથી પાલખીમાં બેઠેલા રાજાને આંચકો આવતો. દેખાય છે તે હું નથી હું છું તે દેખાતો નથી વારંવાર આવું બનવાથી રાજાને ગુસ્સો આવ્યો. એ બોલ્યો : “અરે, તમે ચાર છો છતાં તને એકલાને મારો ભાર લાગે છે?” ભરતજી કહે છે : રાજા, નીચે પૃથ્વી છે તેના ઉપર હું છું. મારા ઉપર પાલખીમાં પંચમહાભૂતનું પૂતળું છે, તેનામાં જે અહંકાર ભરેલો છે તેનો મને ભાર લાગે છે.' જ્ઞાનના આવા વચનો સાંભળી રાજાને અચરજ થયું. પાલખી થોભાવી. નીચે ઊતરીને જડ ભરતજીને જોયા. રાજા સુપાત્ર હતો. એને ખ્યાલ આવી ગયો કે આતો કોઈ જ્ઞાની પુરુષ છે. તેણે ભરતજીના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું : ‘મહાત્મનું! મને આપની ઓળખ આપો.’ ભરતજી કહે છે: “કોની ઓળખ આપું? જે દેખાય છે તે હું નથી અને હું છું તે દેખાતો નથી. અજ્ઞાનને જ્ઞાનથી કાપો “હે રાજન, શુભ કર્મ કરવાથી પુણ્ય મળે છે. તે ભોગવવા દેવલોકમાં જવું પડે છે. એ પુણ્ય પૂરું થયેથી ફરી પાછા મૃત્યુ લોકમાં આવવું પડે છે. મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy