SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૨૧) હવે જન્મ-મરણના ચક્રમાં પડવું નથી. આ છેલ્લો જન્મ છે. તેથી કોઈ પણ અશુભ કર્મ તો કરવું જ નથી, પણ શુભકર્મ પણ નથી કરવું. રાજાને ભરતજીની મહાજ્ઞાનીની અવસ્થા જણાઇ આવી. માત્ર ગ્રંથ વાંચનથી જ્ઞાન નથી આવતું. જ્ઞાન તો અંદરથી પ્રગટે છે. આવું જ્ઞાન થવાથી મનમાં રહેલી તમામ ગ્રંથિઓ નષ્ટ થાય છે. પ્રકૃતિથી બનેલા આ અજ્ઞાનના ઝૂમખાને જ્ઞાનથી કાપીને ફેંકી દેવાથી એ નષ્ટ થાય છે. ગ્રંથિઓ ગયા પછી મોક્ષના રસ્તે જવાશે. અને માયા જશે ત્યારે ગ્રંથિઓ જશે. માટે મનને માયામાંથી મુક્ત કર. રાજા રહૂગણે જડભરતજીને પ્રણામ કરીને વિદાય લીધી. પછી તમામ કર્મો, વળગણોમાંથી જડ ભરતજી મુક્ત થયા અને મોક્ષને પામ્યા. તમે બ્રહ્મ છો બીજું કાંઈ નથી અનેક પ્રકારના દુઃખોથી સળગતા આ સંસારમાં સતત, સધળા સમયે, પરમાત્મકૃપા વરસતી રહે છે. પાત્ર જીવ તેને પામી શકે છે. માણસે પશુ જેવી દષ્ટિમાંથી મુક્ત બનીને, ભોગેચ્છામાંથી છૂટીને, એ જ વિચારવા જેવું છે, ચિંતન કરવા જેવું છે કે પોતે એટલે કે આત્મા જન્મતો નથી, મરતો નથી. એતો હતો, છે અને હશે. એતો ફક્ત જોનારો જ છે, દ્રષ્ટી જ છે. સૌથી જુદો છે. મૃત્યુ તો દેહ-શરીરનું થાય છે, આત્માનું નથી થતું. અને તમે (માણસ) દેહ, મન, વિચાર, ઇન્દ્રિય, સ્ત્રી, પુરુષ કે માયા નથી પણ એક માત્ર “બ્રહ્મ’ છો. આ ધારણા દઢ કરીને તેમાં ડૂબજો. એ સ્થિતિમાં શરીર છોડજો. આવા વચનો શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે. એ સાંભળી રાજા પરીક્ષિત કહે છે : મહારાજ, હું આપના જ કારણે બચ્યો છું. હવે તક્ષક (નાગ) ભલે આવે અને મને સે. હું તેનું સ્વાગત કરું છું. હું આપની (શુકદેવજીની) કૃપાથી કૃતકૃત્ય બન્યો છું. આપની આકૃપાનો બદલો હું અનંત જન્મોમાં પણ વાળી શક્વાનો નથી. ભૌતિક વસ્તુઓ ઉપર માણસનો કાબૂ નથી ભાગવતના પાત્રો અલૌક્કિ છે. તેમાં સારા અને નબળા બન્ને પ્રકારના પાત્રો છે. નબળા પાત્રોનો ભાગવતે કે કોઈ પણ અધ્યાત્મ શાસ્ત્ર તિરસ્કાર નથી ર્યો. કેમકે નબળું પાત્ર નબળાઈ ખંખેરી, બદલાઈ, સારું પાત્ર બની શકે તેની પૂરી શક્યતા છે. માણસ મોટો અધિકારી, દેશનો રાજા કે વહીવટદાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy