SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૧૯) બની. માતા ભદ્રકાળીની મૂર્તિમાંથી સાક્ષાત દેવી પ્રગટ થયાં. આને ચમત્કાર કે જે કહેવું હોય તે કહો પણ આ વાત કહેનાર શુકદેવજી છે અને આ ભાગવતનું શાસ્ત્ર રચનાર મહર્ષિ વ્યાસજી છે. મા કહે છે : “મને રાજી કરવા આવું અધમ કૃત્ય કરો છો, જીવતી વ્યક્તિને કાપી તેના લોહીથી મને નવડાવો છો તો શું હું એનાથી રાજી થાઉં છું? શું આ ધર્મ છે? ‘ કોઇએ ધાર્યું ન હતું. મૂર્તિ સૌમ્ય સ્વરૂપની હતી અને માં વિકરાળ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. યજ્ઞ-કર્તાઓએ, બ્રાહ્મણોએ ભરતજીની ક્ષમા માંગી. પણ ભરતજીતો દરેક અવસ્થામાં સમ દશામાં હતા. તેમનામાંથી દેહગ્રંથિ ચાલી ગઈ છે. પ્રાણી માત્ર પ્રત્યે તેમને મિત્રતા છે. એ જરા પણ વ્યાકુળ થયા નથી. એવી અદ્દભુત અવસ્થા તેમની હતી. તેઓ ઊભા થયા અને ત્યાંથી ચાલીને ખેતરમાં ગયા. આ વીતરાગ પરમાત્માઓને જે અનુભવ થયો તે માટે તેઓ જે બોલ્યા તે વાણીને ઝીલનારાને ગણધર ભગવંત કહેવાય છે. એમણે સાંભળીને શબ્દબદ્ધ કર્યું. એ સાંભળેલા શાસ્ત્રની રચના - - ગણધરોએ નથી કરી. વીતરાગ ભગવાન પાસેથી શક્તિ મેળવીને આમને જે શાસ્ત્રો રચ્યાં. તેને ‘આગમો' કહેવાય છે. આ આગમોનું, ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવું. આગમો એ મોક્ષનું સરનામું છે. તેનાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે માત્ર શાસ્ત્રો મોક્ષ માટે કામમાં નથી આવતા કારણ માણસની બુદ્ધિ વચ્ચે આવે છે. માટે જીવંત જ્ઞાની પુરુષ જોઇએ. તેમની ભક્તિ, નમસ્કાર, સેવા, સુશ્રુષા અત્યંત જરૂરી છે. પણ આમ કરવું હોય તો વચ્ચે એક મુશ્કેલી છે તેને દૂર કરવી પડે. તે છે અમારી અહંકાર, આસક્તિ, લાલસા છે. તેમાં એ અહંકાર સૌથી મોટો છે. તેથી અમારે અહંકારનો, મદનો ત્યાગ કરવામાં આવની કૃપા જોઇએ. પ્રભુને, જ્ઞાની પુરુષને નમસ્કાર કરીને આ વિનંતી કરવાની છે. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy