SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) અસંગના શસ્ત્રથી આસક્તિ કાપો વિવેક આસક્તિ ન થવા ભરતજીની આવી અવસ્થાનું કારણ હરણના બચ્ચા ઉપરની તેમની આસક્તિ હતી. મોહ અને અજ્ઞાન અહીં કામ કરતાં હતાં. શરીર પંચમહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે. તેની સાથે મન, પ્રાણ અને બુદ્ધિ છે એટલે એને પંચમહાભૂતના જ સાધનો જોઇએ. અન્નને બ્રહ્મ માન્યું. તે દ્વારા પરબ્રહ્મની પૂજા થાય. સામાન્ય માણસ હોય કે મોટો યોગી હોય માનવ માત્રનો સંબંધ પદાર્થો અને વ્યક્તિઓ સાથે જ છે. તેનો સંયોગ થાય ત્યાં સુધી બરાબર છે પણ ઉપયોગ થતાં થતાં તેની સાથે આસક્તિ થઈ જાય તે બરાબર નથી. જો વિવેક જાગૃત હોય તો આસક્તિ ન થાય. સંસારનું મૂળ આસક્તિ છે - ભોજનમાં રોટલો-કઢી અને દૂધ પાક-પુરી હોય તે બંને સાથેનો અભિગમ જુદો હોય તે આસક્તિ છે. પદાર્થોને વ્યક્તિ તરફ આસક્તિ ન હોય, વ્યક્તિને પદાર્થ તરફ આસક્તિ હોય છે. માણસ પોતાના ઘોડાને અલંકારથી સજાવે તેથી ઘોડો ખુશ નથી થતો અને અલંકાર ન પહેરાવે તો તે નાખુશ પણ થતો નથી. ખુશ-નાખુશ તો માણસ થાય છે. આસક્તિ વિષમ ભાવ છે. જો સંન્યાસીને પણ વિષમ ભાવ આવે તો તેનું પણ પતન થાય છે. વિકલ્પો જેટલા વધારે હોય છે તેટલી આસક્તિ વધુ હોય છે. સંસારનું મૂળ પદાર્થ, વ્યક્તિ અને સંયોગ તરફની આસક્તિ છે. આસક્તિ એટલે મમત્વ, મારાપણું. અસંગના શસ્ત્રથી આસક્તિને કાપો આસક્તિ થવા માટેનું નિમિત્ત મોટું રાજ્ય, સત્તા, ખૂબ ધન જ હોય તેવું નથી. મામુલી ચીંથરા માટે પણ થાય. સુંદર વ્યક્તિ તરફ જ આસક્તિ થાય તેવું નહિ. કુબડા પ્રત્યે પણ થાય. પદાર્થ સ્થિર છે વ્યક્તિ આસક્તિના કારણે સ્થિર રહી શકતી નથી. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં એટલે જ કહ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy