SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૨) ભાગવતનો સંદેશ તે સાધના માટે ઉત્તમ હતું પણ હરણના બચ્ચા ઉપરની આસક્તિ થવી તે ་ નિમ્ન દશા હતી. આ બચ્ચા પ્રત્યે કરુણા ભાવ થયો, સાથે ખેંચાણ પણ થયું. એ જ્યાં જાય ત્યાં બચ્ચાને સાથે રાખવા માંડયા. તપ, સ્વાધ્યાય, ધ્યાન કરે ત્યારે પણ સાથે બચ્ચું તો હોય જ. જેમ વૃક્ષને વેલ વિંટળાઇ વળે છે તેમ ભરતજીને બચ્ચાની માયા વિંટળાઇ વળી. ત્યાગ વિના આસક્તિ જતી નથી ઘણા માણસો એવું કહે છે કે અમે સંસારમાં છીએ ખરા પણ અમને સંસાર પ્રત્યે આસક્તિ નથી. એવા માણસો ઘરમાં રહી બાળકો રમાડે છે, ઘરકામ કરે છે, સંસારની ક્રિયાઓ કરે છે માયાને કારણે તેમનાં પૂજા, જપ, મંદિર, ધ્યાન વિશેષ ફળદાયી થતા નથી. આવું ભરતજીનું થયું. એ હરણમાં ડૂબી ગયા. એક દિવસ એ હરણ બાળ મૃત્યુ પામ્યું, તેનો તેમને ભારે વિષાદ થયો તેથી તેઓ બિમાર પડયા. મૃત્યુની સ્થિતિ આવી પડી. મૃત્યુ વખતે હરણની જ સ્મૃતિ સતત રહેવાથી એમને બીજો જન્મ હરણનો મળ્યો. વિશાળ રાજય, અનર્ગળ સંપત્તિ અને ભર્યું કુટુંબ છોડનાર રાજા હરણની આસક્તિ ન છોડી શક્યા. પરિણામે અંત વખતે જેવો ભાવ હોય છે તેવું સ્વરૂપ-તેવી ગતિ-મળે છે તેવા નિયમથી તે હરણ રૂપે જન્મ્યા. એક સુખદ વાત : ભગવાન વેદ વ્યાસજી કહે છે ઃ ‘આવી સ્થિતિમાં પણ એક સુખદ વાત એ બની કે તેમને ( હરણને) જાતિ સ્મરણ જ્ઞાન, પોતાના પૂર્વ જન્મોની સ્મૃતિ થઇ તેથી પોતે મૂળ કોણ હતા, કયાં હતા, શું શું બન્યું હતું તેની સ્મૃતિ જાગવાથી તે હરણોના ટોળાં વચ્ચે પણ એકલા હતા. તેમને એ વિચાર આવતો હતો કે ઃ ‘આસક્તિના કારણે માનવ દેહ છૂટી મને પશુ- હરણનો–દેહ મળ્યો છે’ આ ચિંતનથી આસક્તિ છૂટી ગઇ, જાગૃતિ આવી અને ધીરે ધીરે કયારેય પણ આસક્તિ ફેર ન ચોંટે તેવી અવસ્થા પણ મળી.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy