SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૧૧) માતા-પિતાએ સંતાનને તત્ત્વની વાત કરવી પોતાનું સાચું કલ્યાણ શામાં છે તે માણસ નથી જાણતો. વળી પોતાની પ્રકૃતિને પણ નથી ઓળખતો. તેને દૂર કરવાના ઉપાયની પણ તેને ખબર નથી. પણ સદ્ગુરુને તેની ખબર છે. માટે સદ્ગુરુ પાસે રહી, તત્ત્વનો નિર્ણય કરી, સદ્ગુરુની સૂચના પ્રમાણે સાધના કરવી. જે માણસ પોતાના પ્રિયાને તત્ત્વની વાત નથી કરતો એ પતિ, પિતા, બંધુ, ભગિની કે માતા એ પોતાના ધર્મનું ફરજનું બરાબર પાલન કરતા નથી. એવો ગુરુ પણ ગુરુનું લક્ષણ ધરાવતો નથી. ગુરુ તો એ છે જે પોતાના શિષ્યને પરમાત્મ તત્ત્વની, ભક્તિની સમજ જરૂરથી આપે. સાથે સુખ-દુઃખમાં ભગવાનને નહિ ભૂલવાની શીખ પણ અવશ્ય આપે. માતા-પિતાએ સંતાનને દુર્ગુણોથી બચાવવા હોય, સણો મેળવવા જેવા છે તેવી સમજણ આપવી. અનેક માણસો સર્વસ્વ ત્યાગી તપ માર્ગે ગયા છે - ભરત રાજાએ અનેક વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું પછી તેમનામાં વૈરાગ્ય આવ્યો. એને પરિણામે તેઓ ત્યાગના, વીતરાગના રસ્તે ગયા. આ પ્રમાણે ઘણા રાજાઓ રાજ્ય છોડી, પંડિતો- વિદ્વાનો વિદ્યાનો અહમ્ છોડી, ધનવંતો ધન અને પરિવાર છોડી, સંસાર છોડી, તપના મારગે ગયા છે. ભરતજીની આસક્તિ ભરતજી ભરપૂર સાહ્યબી છોડી વનમાં ગયા. દુર્ગમ તપસ્યા, સાધના એમણે કરી. દિગંબર અવસ્થામાં રહ્યા. મળ્યો તે જ આહાર તેમણે લીધો. રાત-દિવસ સતત બ્રહ્મચિંતનમાં ડૂબેલા રહ્યા. સતત ધ્યાનમાં રહેવાથી તેમની ગ્રંથિઓ છેદાતી રહી, રાગ-દ્વેષ-માયા-મોહ તેમનામાંથી ઓગળતા ગયા અને અંદરથી આનંદનો સાગર ઉમટતો રહ્યો. પણ હજુ છેલ્લી અવસ્થા આવી નહોતી. તેઓ ગંડકી નદીના કિનારે ગયા. ત્યાં તાજું જ જન્મેલું હરણનું એક બચ્ચું જોયું. તેની મા મરણ પામી હતી. જો આની સંભાળતત્કાળનલેવાય તો તે મરી જશે તેવું લાગ્યું. એ બચ્ચાને એમણે લીધું અને ઉછેરવા માંડયું. ધીરે ધીરે તેનામાં ભરતજીને આસક્તિ થતી ગઈ. રાજપાટ, કુટુંબ પરિવાર છોડ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy