SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( 9) આસક્તિ છોડો આત્મતત્ત્વ કેવી રીતે જણાય જો આત્મતત્ત્વજાણવાની પ્રબળ જિજ્ઞાસા જાગી ઊઠી હોય તેવા મનથી તત્ત્વ વિચાર કરાય તો આત્મ-તત્ત્વ જાણી શકાય છે. વળી ઇચ્છા નિરોધ કરી પરમતત્ત્વનું તપ કરવું એ પણ એને પ્રાપ્ત કરવાનો ઉપાય છે. સત્કર્મ પણ કામના વિના થતું રહે તો તેનાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને તેવી અવસ્થામાં આત્મ તત્ત્વ જાણી શકાય. ભગવાન શ્રીકૃષ્ણ ભગદ્ગીતામાં કહ્યું છે કે મારો ભક્ત કે ભક્તો જે મારામાં ડૂબેલા છે, મારામય બનેલા છે તે ભક્તોનો સંગ કરવાથી આત્મ તત્ત્વ મળે છે. વેરભાવ ત્યજી સૌની સાથે શાંતિથી જીવાય તો પરમ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે. એકાંતમાં બેસી અધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન વારંવાર કરી, અનુશીલન કરવાથી પણ આત્મ તત્ત્વ જણાય છે. ઇન્દ્રિયો અને મનનો સંયમ કરવાથી આત્મ તત્ત્વનો સંયોગ થાય છે. આત્મજ્ઞાની સદ્ગુરુ ઉપર પરમ શ્રદ્ધા રાખી, તેમની આજ્ઞાનું પાલન કરવાથી પણ એ તત્વ પ્રાપ્ત થાય છે. અવિદ્યાના કારણે જે જે ગ્રંથિઓ ઉત્પન્ન થઈ, બંધન કરી રહી છે તેને દૂર કરવાના ઉપાયો શાસ્ત્રોમાં લખેલા છે તે ઉપાયોથી ગ્રંથિઓને છેદીનાખવાથી પણ આ તત્ત્વ મળે છે. નિરાલંબન અવસ્થા પ્રાપ્ત કરો ઉપરનો કોઈ પણ ઉપાય કર્યા પછી પ્રત્યેક સાધનનો ત્યાગ કરીને નિરાલંબન (અકર્મ) અવસ્થામાં જીવન જીવવાથી પણ આ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. માણસે આ અવસ્થામાં જવું જ પડે. કેમ કે નાનું બાળક ચૂસણીયું મોઢામાં લે છે તેનાથી રમે છે પણ એજ બાળક મોટું થતાં ચૂસણીયું છોડે છે. એને એ હવે ગમતું નથી. એ છે નિરાલંબન અવસ્થા. જેમ વરસાદ પડતો હોય અને બહાર જવું હોય તો છત્રી ઓઢવી પડે પણ ઘરમાં છત્રી ન ઓઢાય, ત્યાં તો ખીંટીએ જ વળગાડવાની હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy