SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ (૧૦૯) અદશ્ય થઈ જશે તો તને કશું નહિ મળે. દેવે પેલાની ઝોળીમાં મહોરો નાખી. પેલો કહે હજુ નાખો. દેવે તો નાખી પણ તેના વજનથી ઝોળી ફાટી અને મહોરો જમીન ઉપર પડતાં જ અદશ્ય થઈ ગઈ. દેવ પણ ગયા. તૃષ્ણાને કારણે ભિક્ષુકે સોનામહોરો ખોઈ. એવી જ રીતે માણસ પણ આત્મા અને પરમાત્મા રૂપી ધન તૃષ્ણામાં ડૂબીને ગુમાવે છે. સમત્વથી આત્મ રસ્તે જવાય જે ઘર નોબત વાગતી થાતાં છત્રીસ રાગ, ખંડેર થઈ ખાલી પડ્યાં બેઠન લાગા છે કાગ. જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરશે. સુખમાં ડૂબે નહિ દુઃખમાં વિષાદ ન પામે તો આત્માના રસ્તે જવાય. સુખ વખતે અહંકાર નહિ, દુઃખ વખતે ઉદ્વેગ નહિ, પણ એ બંનેમાંથી સમત્વપૂર્વક પસાર થવાથી આત્માનુભવના રસ્તે જવાય. જેઓએ સમગ્ર જીવસૃષ્ટિ સાથે તાલમેલ સાધ્યો છે, જેમના જીવનમાં સંવાદિતા પ્રાપ્ત થઇ છે તેમને જીનેશ કહો, પ્રભુ કહો, વીતરાગ 'કહો, પરમાત્મા કરો એમની પૂજા ભકિત કરવી. બહુમાન કરવું. જ્યાં લાલમેલ હોય છે ત્યાં પરમશાંતિ હોય છે. તેમના કોઇ વિરોધી હોય પણ તેમને કોઇનો પણ વિરોધ હોતો નથી. ભગવાન મહાવીરને ગોવાળે ખીલા ઠોક્યા, ભગવાન બુદ્ધને દેવદત્તે ઝેર આપ્યું છતાં તેઓ ઉગ ન પામ્યા. ઉદ્વેગ ન પામવો એ જીવનની અભૂત અવસ્થા છે. એમના માટે “અહ” પૂજ્ય શબ્દ વાપર્યો. આવી પરિસ્થિતિમાં તેઓ સ્થિત હતા તેથી તેમને પરમકી કહ્યા. આવા જિનેશ્વર દેવજી પૂજા-ભક્તિ કરવી. મુનિ શ્રી ભાનુવિજ્યજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy