SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮]. ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે જો આથી એવો અવ્યાપક હેતુ તજીને “સર્વ ન જણાવાથી કોઇ પણ ભાવો નથી.” એમ કહીને આવા વ્યાપક હે થી શૂન્યતા સિદ્ધ કરવા યત્ન કરીશ, તો હમણાં “સર્વ ન જણાવાથી” એમ કહીને પૂર્વે “પાછળનો ભાગ ન જણાવાથી” એમ જે અંગીકાર કર્યું છે, તેની હાની થશે. વળી ગામ-નગર-નદી-સમુદ્ર-ઘટ-પટ વિગેરે પદાર્થ પ્રત્યક્ષ જણાય છે, તેથી હેતુ પ્રત્યક્ષ વિરૂદ્ધ થશે. પ્રશ્ન :- જે હેતુ સર્વ સપક્ષમાં વ્યાપક ન હોય, પણ વિપક્ષથી સર્વથા નિવૃત્ત હોય, તો તેને હેતુ કહી શકાય છે, જેમ કે શબ્દ પ્રયત્ન સિવાય નથી થતો માટે અનિત્ય છે. આમાં સર્વ અનિત્ય અર્થ કંઈ પ્રયત્ન સિવાય નથી થતા એમ નથી વિદ્યુતુમેઘ વગેરે પ્રયત્ન સિવાય થનારા પણ અનિત્ય છે. તેવી રીતે અહીં પણ સર્વ પદાર્થોના પાછળના ભાગનું અદર્શન નથી થતું. પરન્તુ ઘણા પદાર્થોના પાછળના ભાગ નથી જણાતા, આથી તે પદાર્થોમાં આ હેતુ શૂન્યતા સિદ્ધ કરે છે, માટે તે સહેતુ છે. ઉત્તર - એ અયોગ્ય છે, કારણ કે ત્યાં એ હેતુમાં વ્યતિરેક વ્યક્તિ ઘટે છે, જેમકે “જે અનિત્ય નથી, તે આકાશની જેમ પ્રયત્ન સિવાય બનેલ છે.” અને અહીં વ્યતિરેક-વ્યાપ્તિ લઇએ તો જ્યાં શૂન્યતા નથી, ત્યાં શું છે? વસ્તુની વિદ્યમાનતા, કે અન્ય કંઇ ? વળી પાછળનો ભાગ નથી જણાતો એમ નહિ, પણ જણાય છે. આથી સર્વ શૂન્યવાદી ! તારે કદિ પણ વ્યતિરેક-વ્યાપ્તિ સિદ્ધ થશે નહિ, માટે તારો હેતુ તે હેતુ જ નથી. ૧૭૪૫. नत्थि पर-मज्झभाग अपच्चक्खत्तओ मई होज्जा । नणु अव-त्थावत्ती. अपच्चखत्तहाणी वा ॥१७४६॥ अत्थि अपच्चक्खं पि हु जह भवओ संसयाइविन्नाणं । अह नत्थि सुण्णया का कास व केणोवलद्धा वा ? ।।१७४७॥ પરભાગ અને મધ્યભાગ એ બે અપ્રત્યક્ષ હોવાથી નથી એમ કહેવામાં આવે, તો ઇન્દ્રિય અને અર્થની સત્તા પ્રાપ્ત થાય, અથવા અપ્રત્યક્ષપણાની હાની થાય. વળી જેમ તારૂં સંશયાદિ વિજ્ઞાન છે, તેમ તે ઇન્દ્રિયાદિ અપ્રત્યક્ષ છતાં પણ છે, અને જો તે સંશયાદિ વિજ્ઞાન નથી, (એમ કહેવામાં આવે,) તો તે શૂન્યતા કઈ ? કોની શૂન્યતા ? અને કોણે જાણી ? ૧૭૪૬-૧૭૪૭. ગધેડાના શીંગડાની પેઠે પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી. એ બન્ને ભાગ નથી એટલે તેની અપેક્ષાએ કહેવાતો આગળનો ભાગ પણ નથી, માટે સર્વ-શૂન્યતા છે-એમ કહેવા તારી બુદ્ધિ તૈયાર થાય, તો તે અયોગ્ય છે, કારણ કે પ્રતિ-અક્ષ એટલે ઇન્દ્રિય તરફ જે હોય, તે પ્રત્યક્ષ, તેમ ન હોય તે અપ્રત્યક્ષ. આ અપ્રત્યક્ષ હેતુ કહેવાથી ઇન્દ્રિય અને અર્થની સત્તા પ્રાપ્ત થાય છે અને તેની સત્તા સિદ્ધ થવાથી શૂન્યતા અંગીકાર કરવામાં તે અપ્રત્યક્ષત્વની હાનિ થશે. અથવા શૂન્યતામાં અપ્રત્યક્ષરૂપ હેતુની હાની થશે. અથવા ઈન્દ્રિય અને અર્થના અભાવે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષનો વ્યવહાર નહિ થઇ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy