SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. વળી આગળના ભાગનો પણ આગળનો ભાગ છે- એમ જુદા જુદા આગળના ભાગવડે સૌથી આગળના ભાગની જે કલ્પના કરી છે, તે કલ્પના પણ તારા અનુમાન વડે નહી ઘટી શકે. કારણ કે ત્યાં પણ પાછળનો ભાગ અવિદ્યમાન હોવાથી સર્વની આગળના ભાગની કલ્પના અયોગ્ય છે. વસ્તુતઃ આગળનો ભાગ જણાય છે, માટે પાછળનો ભાગ પણ છે- એ અનુમાન જ યોગ્ય છે. ૧૭૩-૧૭૪૦. सव्वाभाऽवेवि कओ आरा-पर-मज्झभागनाणत्तं । अह परमईए भण्णइ सपरमइविसेसणं कत्तो ? ॥१७४१।। आर-पर-मज्झभागा पडिवण्णा जइ न सुण्णया नाम । अप्पडिवण्णेसु वि का विकप्पणा खरविसाणस्स ? ॥१७४२॥ सव्वाभावे वाराभागो किं दीसए न परभागो ? । सव्वागहणं व न किं किं वा न विवज्जओ होइ ? ॥१७४३॥ (વળી જો) સર્વનો અભાવ હોય, તો આગળનો ભાગ-પાછળનો ભાગ અને મધ્ય ભાગ એવો તફાવત ક્યાંથી થાય? બીજાના મતની અપેક્ષાએ એમ કહેવાય છે (એમ કહેતો હોય,) તો સ્વમત અને પરમતનો તફાવત પણ કેવી રીતે થાય ? આગળનો પાછળનો અને મધ્યનો ભાગ છે- એમ જો માનતો હો, તો શૂન્યતા ક્યાં રહી? એ ભાગો ન માનતો હો, તો ગધેડાના જેવા પદાર્થના વિકલ્પો શા માટે કરે છે ? અથવા સર્વવસ્તુના અભાવમાં- આગળનો ભાગ કેમ જણાય છે ? અને પાછળનો ભાગ કેમ નથી જણાતો ? અથવા (ઉભયનું) સંપૂર્ણ અગ્રહણ કેમ નથી થતું ? અથવા એથી વિપરીત ગ્રહણ પણ કેમ નથી થતું? ૧૭૪૧-૧૭૪૨-૧૭૪૩. परभागदरिसणं वा फलिहाईणंति ते धुवं संति ।। जइवा ते वि न संता परभागादरिसणमहेऊ ॥१७४४॥ सव्वादरिसणउ च्चिय न भण्णए कीस, भणइ तन्नाम । पुबब्भुवायहाणी पच्चक्खविरोहओ चेव ॥१७४५॥ સ્ફટિક વગેરે પદાર્થોનો પાછળનો ભાગ જણાય છે, એટલે તે તો અવશ્ય છે જ. જો તે પણ નથી (એમ કહેતો હોય) તો પાછળનો ભાગ ન જણાવાથી (આગળનો ભાગ પણ નથી) એ હેતુ અસિદ્ધ થશે. તેથી સર્વ ન જણાવાથી (સર્વભાવો નથી) એ હેતુ કેમ નથી કહેતો ? એ હેતુ કહીશ તો પૂર્વ અંગીકાર કરેલાની હાની અને પ્રત્યક્ષવિરોધ થશે. ૧૭૪૪-૧૭૪૫. પાછળનો ભાગ ન જણાવાથી પદાર્થોની અવિદ્યમાનતા તું પ્રતિપાદન કરે છે, તે પણ અયોગ્ય છે, કારણ કે સ્ફટિક-અબરખ વગેરે પારદર્શક પદાર્થોનો પાછળનો ભાગ જણાય છે, તેથી તે ભાવો તો અવશ્ય છે જ. એટલે “પાછળનો ભાગ ન જણાવાથી” એ હેતુવડે સર્વ પદાર્થોની અવિદ્યમાનતાશૂન્યતા સિદ્ધ નથી થતી. સ્ફટિક વગેરે પદાર્થો પણ નથી, એમ કહેતો હોય, તો તે માનેલ પાછલો ભાગ ન દેખાવારૂપ હેતુ એ સ્ફટિકાદિ સર્વપદાર્થની શૂન્યતા સિદ્ધ નથી કરતો તેથી અહેતુ થશે; કેમકે તે પદાર્થોનો પાછળનો ભાગ પણ જણાય છે. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy