SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬] ચોથા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ન હોય. એથી સર્વ સામગ્રી પણ ન હોય. માટે સર્વ સામગ્રીમય જણાય છે-એમ જે તું કહે છે, તે સામગ્રી પરમાણુઓ જ છે. ૧૭૩૬-૧૭૩૭-૧૭૩૮. હવે૧૬૬૯ મી ગાથામાં જે કહ્યું છે કે પાછળનો ભાગ નથી જણાતો, અને સર્વનો આગળનો ભાગ અતિસૂક્ષ્મ હોવાથી નથી જણાતો માટે સર્વ શૂન્ય છે. ઇત્યાદી પૂર્વપક્ષનો ઉત્તર કહે છે :देस्सस्साराभागो घेप्पड़ न य सोत्ति नणु विरुद्धमिणं । सव्वाभावे विन सो घेप्पड़ किं खरविसाणस्स ? ।।१७३९|| परभागादरिसणओ नाराभागोऽवि किमणुमाणं ति ? । आराभागग्गहणे किं व न परभागसंसिद्धी ? ।।१७४० ॥ દેશ્ય વસ્તુનો આગળનો ભાગ જણાય છે, પણ તે નથી-એ કથન વિરુદ્ધ છે; કારણ કે સર્વના અભાવમાં ખવિષાણનો પણ આગળનો ભાગ કેમ નથી જણાતો ? વળી પાછળનો ભાગ નથી જણાતો તેથી આગળનો ભાગ પણ નથી એમ કહેવામાં ક્યું અનુમાન છે ? અથવા આગળનો ભાગ ગ્રહણ કરવાથી, પાછળના ભાગની શું સિદ્ધિ નથી થતી ? થાય છે જ. ૧૭૩૯-૧૭૪૦, દેશ્ય વસ્તુ છતાં પણ તેનો પાછળનો ભાગ નથી જણાતો, અને આગળનો ભાગ જણાય છે; પરન્તુ તે આગળનો ભાગ પણ જુદા જુદા પરભાગની કલ્પનાવડે પૂર્વે કહ્યા મુજબ સૂક્ષ્મ હોવાથી નથી જણાતો એટલે તે પણ નથી જ- આ કથન સર્વથા વિરૂદ્ધ છે, કારણ કે “તે જણાય છે, પણ નથી.'' એમ--કહેવું એ “મારી માતા વંધ્યા છે” એના જેવું છે. ખરી રીતે તો સર્વનો અભાવ છે, પણ ભ્રાન્તિથી તે જણાય છે- એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે સર્વનો અભાવ છતાં પણ જો આગળનો ભાગ જણાય છે, તો પછી અભાવ સ્વરૂપ ખરવિષાણનો આગળનો ભાગ કેમ નથી જણાતો ? અથવા અભાવ સ્વરૂપ સર્વત્ર તુલ્ય હોવાથી ખરવિષાણ જેવા પદાર્થનો આગળનો ભાગ જણાય, અને ઘટ-પટાદિ જેવા પદાર્થનો આગળનો ભાગ ન જણાય, એમ વિપર્યય પણ કેમ નથી થતો ? વળી “પાછળનો ભાગ નહીં જણાવાથી આગળનો ભાગ પણ નથી.” એમ કહેવામાં તું કેવું અનુમાન કરે છે ? કેમકે જે આગળનો ભાગ, અગ્નિની ઉષ્ણતાની જેમ સર્વલોકોને પ્રત્યક્ષ સિદ્ધ છે, તેને અનુમાન વડે તું કેવી રીતે બાધ આપે છે ? પાછળનો ભાગ હોય, તો આગળનો ભાગ હોઇ શકે, અન્યથા ન હોઇ શકે-એ પ્રમાણે આગળનો ભાગ અપેક્ષાવાળો છે તેથી આગળના ભાગથી પાછળના ભાગનું જ્ઞાન અનુમાનથી ઘટે પણ પાછળનો ભાગ નહી જણાવાથી આગળનો ભાગ પણ નથી, એમ કહીને આગળના ભાગનો અપલાપ કરવો, એ સર્વથા અસંબદ્ધ છે. ભાષ્યકાર મહારાજ પણ એમ જ કહે છે, કે - આગળના ભાગને જોવાથી પાછળના ભાગનું અનુમાન ઘટી શકે છે. જેમકે - દશ્યવસ્તુનો પાછળનો ભાગ છે, કારણ કે તેના સંબંધવાળો આગળનો ભાગ જણાય છે. જેના સંબંધવાળો એક ભાગ જણાય તેનો બીજો ભાગ હોય છે જ. જેમ આકાશનો પૂર્વ ભાગ જણાવાથી તેનો પશ્ચિમ ભાગ પણ છે; તેમ અહીં પણ ઘટ-પટાદિ વસ્તુનો આગળનો ભાગ જણાય છે, તેથી તેનો પાછળનો ભાગ પણ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy