________________
ભાષાંતર ]
ચોથા ગણધરનો વાદ.
सिकयासु किं न तेल्लं सामग्गीओ तिलेसुऽवि किमत्थि ? | किं व न सव्वं सिज्झइ सामग्गीओ खपुप्फाणं ? ।।१७३६ ।। सव्वं सामग्गिमयं नेगंतोऽयं जओऽणुरपएसो । अह सोऽवि सप्पएसो जत्थावत्था स परमाणू ॥ १७३७ ॥
दीसइ सामग्गिमयं न याणवो संति नणु विरुद्धमिदं । किं वाणूणमभावे निष्फण्णमिणं खपुप्फेहिं ? ।।१७३८ ||
વળી રેતીના કણરૂપ સામગ્રીથી તેલ નથી નીકળતું અને તલરૂપ સામગ્રીથી કેમ નીકળે છે ? અથવા આકાશપુષ્પરૂપ સામગ્રીથી પણ સર્વ કાર્ય કેમ સિદ્ધ નથી થતું ? વળી સર્વ વસ્તુ સામગ્રીથી જન્યજ છે, એવો એકાન્ત નિયમ નથી. કેમકે અણુ અપ્રદેશી હોવાથી તે કોઇથી જન્ય નથી. અણુ પણ સપ્રદેશી છે-એમ તું માને, તો જ્યાં તને અણુબુદ્ધિ થાય, ત્યાં તે પરમાણુ અપ્રદેશી છે. સર્વ સામગ્રીમય જે જણાય છે, તે જ વસ્તુ છે પણ અણુઓ નથી એમ કહેવું, તે સર્વથા વિરૂદ્ધ છે. કારણ કે અણુઓનો અભાવ હોય, તો આ સર્વ કાર્ય સમુદાય, શું આકાશપુષ્પથી થએલ છે ૧૭૩૬-૧૭૩૭-૧૭૩૮.
[૯૫
મહાનુભાવ ! જો સર્વ પદાર્થનો અભાવ જ હોય, તો લોકમાં જે આ સર્વ પ્રતિનિયત વ્યવહાર પ્રવર્તે છે, તેનો ઉચ્છેદ થાય. જેમકે રેતીના કણરૂપ સામગ્રીથી તેલ નથી નીકળતું, અને તલ વગેરે સામગ્રીથી નીકળે છે, તેનું શું કારણ ? અથવા આકાશપુષ્પરૂપ સામગ્રીથી જ સર્વ કાર્યસમૂહ કેમ નથી થતો ? એમ ન થવામાં બાધક પ્રતિનિયત કાર્ય-કારણભાવ છે. માટે સામગ્રીની સત્તા હોવાથી કોઇ પણ પ્રકારે સર્વથા અભાવ નથી ઘટતો, પણ યથાસ્વભાવ સામગ્રીથી પદાર્થની ઉત્પત્તિ થતી ઘટે છે, એટલે જગત્ શૂન્ય છે, એમ સિદ્ધ નથી થતું.
Jain Education International
વળી સર્વ વસ્તુ સામગ્રીજન્ય છે-એવો કંઇ એકાંત નિયમ નથી; કારણકે હૃણુક-ત્ર્યણુક સ્કંધ સપ્રદેશી હોવાથી તેઓ અણુઆદિ સામગ્રીથી જન્ય છે, પરંતુ જે પરમાણુ છે, તે અપ્રદેશી હોવાથી કોઇથી પણ ઉત્પન્ન નથી થતા, એટલે તે સામગ્રીજન્ય નથી. કેમકે પરમાણુ એ મૂર્ત-અપ્રદેશીસર્વનું અન્ય કારણ-નિત્ય-એકવર્ણ-એકગંધ-એક રસ બે સ્પર્શવાળો છે, અને તે કાર્યરૂપ લિંગથી જ ગમ્ય છે. એ પરમાણુ સપ્રદેશી છે, એમ જો કહેતો હોય, તો તને જયાં પરમાણુની બુદ્ધિ થાય, તે પરમાણુ લઇએ તો તે સામગ્રી જન્ય નથી એમ માનવો જ પડશે.
સામગ્રીજન્ય નથી, માટે તે પરમાણુઓ જ નથી એમ જો કહીશ તો તારા પોતાના વચનમાં જ વિરોધ આવશે. કેમકે તેં પૂર્વે કહેલ છે, કે “સર્વ સામગ્રીમય જણાય છે.” આ વિશ્વમાં તને જે કંઇ સામગ્રીમય-સામગ્રીજન્ય જણાય છે, તે સર્વ પરમાણુના સમુદાયરૂપ છે. આથી તે પોતે જ પોતાના વચનથી અણુઓનું પ્રતિપાદન કર્યું છે, એટલે તેનો ભાવ કેવી રીતે કહી શકીશ ? વળી જો પરમાણુઓનો અભાવ હોય, તો આ સર્વ ઘટ-પટાદિ કાર્યનો સમૂહ શું આકાશપુષ્પથી થએલ છે ? કારણ કે જો પરમાણુ ન હોય તો ઘટાદિ ઉત્પન્ન કરનાર મૃŃિડાદિ સામગ્રી પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org