SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨] ચોથા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જ નહી, પણ જે કોઇ વખત જણાય, અને કોઇ વખત ન જણાય, એવું તો ઉત્પન્ન થએલ વસ્તુમાં જ ઘટી શકે. વળી “સર્વ જગત્ શૂન્ય છે” એવા પ્રકારનું જે શૂન્યતા સંબંધી વિજ્ઞાન અને વચન, તે જેમ જે ઉત્પન્ન-અનુત્પન્ન આદિ પ્રકાર વડે ઉત્પન્ન થયેલું અથવા ન થયેલું હોવા છતાં પણ કોઇ પણ રીતે ઉત્પન્ન થએલ છે, તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ ઉત્પન્ન થએલા માનવા જોઇએ. અને જો શૂન્યતા સંબંધી વિજ્ઞાન અને વચન ઉત્પન્ન થએલ છતાં અનુત્પન્ન માનતો હો, તો તે વિજ્ઞાન અને વચન વિના આ શૂન્યતા કોના વડે પ્રકાશિત થઇ તેથી શૂન્યતાનો અભાવ જ સિદ્ધ થાય છે. ૧૭૨૫ ૧૭૨૬-૧૭૨૭. હવે ઉત્પન્ન થએલ ઉત્પન્ન નથી થતું, અને અનુત્પન્ન પણ ઉત્પન્ન નથી થતું. એ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે. जायड़ जायमजायं जायाजायमह जायमाणं च । कज्जामिह विवक्खाए न जायए सव्वा किंचि ।। १७२८|| वित्त जाइ जाओ कुंभो संठाणओ पुणरजाओ । जायाजाओ दोहि वि तस्समयं जायमाणोत्ति ।।१७२९ ।। Jain Education International पुव्यकओ उघडतया परपज्जाएहिं तदुभएहिं च । जायंतो य पडतया न जायए सव्वहा कुंभो ॥ १७३०|| वोमाइ निच्चजायं न जायए तेण सव्वहा सोम्म ! | इय दव्वतया सव्वं भयणिज्जं पज्जवगईए ।। १७३१ ।। આ વિશ્વમાં કેટલાંક કાર્ય વિવક્ષાવડે ઉત્પન્ન થએલાં ઉત્પન્ન થાય છે, કેટલાંક અનુત્પન્ન તે ઉત્પન્ન થાય છે, કેટલાંક ઉત્પન્ન-અનુત્પન્ન થાય છે, કેટલાંક ઉત્પન્ન થતાં ઉત્પન્ન થાય છે, અને કેટલાંક સર્વથા ઉત્પન્ન જ નથી થતાં, એ બધી વિવક્ષાઓ એવી રીતે છે, કે રૂપી તરીકે ઘટ ઉત્પન્ન થએલ ઉત્પન્ન થાય છે, ઘટાકારરૂપે અનુત્પન્નઘટ ઉત્પન્ન થાય છે, ઉભયવડે ઉત્પન્ન-અનુત્પન્ન ઘટ ઉત્પન્ન થાય છે, અને વર્તમાન સમયે ક્રિયા થતી હોવાથી ઉત્પન્ન થતો ઘટ ઉત્પન્ન થાય છે. પૂર્વોત્પન્ન ઘટ, ઘટરૂપે અને પર પર્યાયવડે તથા ઉભયવડે ઉત્પન્ન થતો નથી. તેમજ ઘટપણે ઉત્પન્ન થતો ઘટ પટપણે સર્વથા ઉત્પન્ન નથી થતો. વળી આકાશ વિગેરે નિત્યોત્પન્ન હોવાથી કદીપણ ઉત્પન્ન થતાં જ નથી. માટે હે સૌમ્ય ! એ પ્રમાણે દ્રવ્યપણે કોઇપણ ઉત્પન્ન થતું નથી, અને પર્યાયરૂપે તો તે સર્વની ભજના છે. ૧૭૨૮ થી ૧૭૩૧. આ વિશ્વમાંના ઘટ-પટાદિ જે કાર્ય છે, તેમાનાં કેટલાંક કાર્ય નીચે પ્રમાણે છે, જેમ કે-ઉત્પન્ન થએલાં હોય તે ઉત્પન્ન થાય છે. જેમ રૂપીપણાવડે ઘટ ઉત્પન્ન થએલ હોય, તે ઉત્પન્ન થાય છે, કેમકે ઘટરૂપની પૂર્વે માટીનું રૂપ હોય છે, એટલે રૂપીપણાની અપેક્ષાએ ઉત્પન્ન થએલ જ ઘટ ઉત્પન્ન થાય છે. અને સસંથાનપણે-ઘટાકારરૂપે તો ઘટ ઉત્પન્ન થએલો નથી, તે ઉત્પન્ન થાય છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy