SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૮૧ અન્યથી પણ પદાર્થની સિદ્ધિ નથી થતી. કારણ કે જે કોઈ પદાર્થોનો સમુદાય છે, તે સર્વ કાર્યરૂપ અથવા કારણરૂપ હોવો જોઇએ. તેથી જે કાર્ય હોય, તે કારણવડે કરાય છે, એટલે તેનો કાર્યત્વ વ્યવહાર કારણને આધીન હોય છે, પરન્તુ કાર્યનું કાર્યપણું તે સ્વભાવથી સિદ્ધ નથી; એ જ પ્રમાણે કારણ કાર્ય કરે છે, તેથી તેનો કારણત્વવ્યવહાર કાર્યને આધીન છે, પણ તેનું કારણપણું કંઇ સ્વતઃ સિદ્ધ નથી. આ રીતે જે સ્વતઃ (પોતાથી) સિદ્ધ નથી, તે ખરવિશાણની જેમ પરતઃ (બીજાથી) પણ સિદ્ધ નથી, અને તેથી કાર્ય-કારણાદિભાવ પોતાથી કે પરથી વિદ્યમાન નથી. સ્વ-પર ઉભયથી કાર્યાદિ ભાવની સિદ્ધિ માનવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે પૂર્વોક્ત પ્રમાણે જુદી જુદી રીતે સિદ્ધિ નથી, તો પછી તેના સમુદાયમાં ઉભયથી તો સિદ્ધિ ક્યાંથી જ થાય ? જેમ રેતીના જુદા જુદા કણીયામાં તેલનો અભાવ હોવાથી, રેતીના કણના સમુદાયમાં પણ તેલની ઉત્પત્તિ નથી હોતી, તેમ ત્યાં પણ સમજવું. વળી જે ઉભય પક્ષથી કાર્યાદિભાવની સિદ્ધિ માનવામાં આવે, તો ઇતરેતર આશ્રયદોષ આવે; કારણ કે જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય અને જ્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી કાર્યની સિદ્ધિ પણ ન થાય. માટે ઉભય પક્ષથી પણ કાર્યાદિ ભાવની સિદ્ધિ નથી થતી. તેમજ આ ઉભય પક્ષ સિવાય અન્યથી પણ સિદ્ધિ નથી થતી. કેમકે સ્વ-પર-અને ઉભય સિવાય અન્ય વસ્તુનો અભાવ હોવાથી ભાવોની સિદ્ધિ નિર્દેતુક થાય. ઉદાહરણ તરીકે જેમ પ્રદેશીની (અંગુઠા પાસેની) આંગળી અંગુઠાની અપેક્ષાએ દીર્ઘ-લાંબી જણાય છે, અને મધ્ય આંગળીની અપેક્ષાએ હ્રસ્વ-ટુંકી જણાય છે, વસ્તુતઃ એ આંગળી સ્વતઃ સ્વ કે દીર્ઘ નથી. સ્વતઃ સ્વદીર્ઘ ન હોવાથી, પરતઃ ઉભયતઃ-અને અન્યત પણ તેની હ્રસ્વ કે દીર્ઘપણાંની સિદ્ધિ થતી નથી. એટલે સર્વશૂન્યતા માનવી જ યોગ્ય છે. કારણ કે પદાર્થની વિદ્યમાનતા જ સંભવિત નથી. જેમકે અસ્તિત્વ અને ઘટ, એ ઉભયની એકતા છે, કે અનેકતા છે ? જો એકતા હોય, તો સર્વ પદાર્થની એકતાનો જ પ્રસંગ થશે. કેમકે જે જે છે, તે તે ઘટ છે, એમ અસ્તિત્વમાં ઘટનો પ્રવેશ થવાથી, સર્વને ઘટપણાની પ્રાતિ થશે, પણ પટાદિ જુદા પદાર્થ નહી કહેવાય; અથવા ઘટ, સર્વની અસ્તિતાથી અભિન્ન હોવાને લીધે, ઘટ સર્વાત્મક થશે. અથવા ઘટ છે તે જ અસ્તિતા છે, એમ કેવળ ઘટ માત્રમાં જ અસ્તિતાનો સમાવેશ થવાથી. અન્યત્ર અસ્તિતાના અભાવને લીધે, ઘટ સિવાયના સર્વ પદાર્થનો અભાવ થવાથી માત્ર એક ઘટ જ અવશેષ રહેશે. અથવા એ ઘટનો અભાવ થશે, કેમકે અઘટથી વ્યાવૃત્ત (ઘટ સિવાયના પદાર્થથી ભિન્ન) તે જ ઘટ કહેવાય છે, જ્યારે ઘટના પ્રતિપક્ષભૂત અઘટ (ઘટ સિવાયના પદાર્થ)નો જ અભાવ હોય ત્યારે કોની અપેક્ષાએ “ઘટ” છે, એમ કહેવાય ? ન જ કહેવાય. આથી સર્વ શૂન્યતા જ માનવી યુક્તિ યુક્ત છે. હવે બીજા વિકલ્પથી ઘટ અને અસ્તિત્વનું અન્યપણું અનેકતા માનીએ તો પણ ઘટ અસ્તિત્વ રહિત હોવાને લીધે ગધેડાના શીંગડાની જેમ અવિધમાન છે, કેમકે જે વિદ્યમાન ભાવ હોય, તે અસ્તિતા રૂપે કહેવાય, અને એ અસ્તિતાના આધારભૂત-ઘટ-પટાદિ પદાર્થ છે, તેમાં અસ્તિત્વથી ભિન્નતા હોવાને લીધે અસ્તિતાનો પણ અભાવ જ થાય; કેમકે આધારથી તે આધેય અન્ય હોવાને ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy