________________
ભાષાંતર ]
ત્રીજા ગણધરનો વાદ.
[te
જેમ યુવકનું જ્ઞાન જ્ઞાનપૂર્વક છે, તેમ બાળજ્ઞાન પણ જ્ઞાનરૂપ હોવાથી અન્ય જ્ઞાનપૂર્વક છે, તેથી જ તે જ્ઞાન પણ આ શરીરથી ભિન્ન છે. વળી બાળકનો પ્રથમ સ્તનાભિલાષ, વર્તમાનનાં અભિલાષની જેમ અન્ય આહારના અભિલાષપૂર્વક છે. એ અભિલાષ અનુભવાત્મક હોવાથી શરીરથી ભિન્ન છે. તથા યુવાન શરીર જેમ બાલ્ય શરીરપૂર્વક છે, તેમ બાલ્યશરીર ઈન્દ્રિયવાળું હોવાથી અન્ય શરીરપૂર્વક છે, તે શરીર જેનું છે, એવો તે શરીરવાળો આત્મા આ શરીરથી ભિન્ન છે, તેમજ બાળકનાં સુખ-દુઃખ વિગેરે વર્તમાન સુખદુઃખની જેમ અનુભવાત્મક હોવાથી, અન્ય સુખ-દુઃખપૂર્વક છે. અને એ અનુભવમય આત્મા છે. (તે શરીરથી ભિન્ન છે.) ૧૬૬૧-૧૬૬૨
૧૬૬૩-૧૯૬૪.
હે વાયુભૂતિ ગૌતમ ! આત્મા ભૂતથી વ્યતિરિક્ત છે, એમ સિદ્ધ કરવા બીજાં પણ અનુમાનો કહું છું, તે સાંભળ. જે બાળવિજ્ઞાન છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે, કેમકે તે વિજ્ઞાનસ્વરૂપ છે. જે વિજ્ઞાન હોય છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ યુવકનું વિજ્ઞાન બાળવિજ્ઞાન પૂર્વક હોય છે, તેમ અહીં જે વિજ્ઞાનપૂર્વક બાળવિજ્ઞાન છે, તે વિજ્ઞાન આ શરીરથી ભિન્ન છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થાય છતાં આ શરીરના વિજ્ઞાનનું તે કારણ છે. જે વિજ્ઞાન ગુણ છે, તે તેના ગુણીઆત્મા સિવાય હોઈ શકે નહિ. માટે આત્મા શરીરથી ભિન્ન છે, પણ શરીર જ આત્મા છે એમ નહી.
વાયુભૂતિ :- બાળવિજ્ઞાન વિજ્ઞાનસ્વરૂપ હોવાથી અન્ય વિજ્ઞાનપૂર્વક છૅ, એમ જે તમે કહ્યું છે, તેમાં કહેલો હેતુ પ્રતિજ્ઞા કરેલ અર્થનોજ એક વિભાગ છે, એટલે એ હેતુ અસિદ્ધ છે.
ભગવન્ત :- ના, એમાં વિશેષનો પક્ષ કર્યો છે, વિશેષને પક્ષ કરવાથી સામાન્ય હેતુ થાય, પણ અસિદ્ધ ન થાય. જેમકે - “વર્ણાત્મક શબ્દ મેઘના શબ્દની જેમ અનિત્ય છે.” આ પ્રયોગમાં હેતુ અસિદ્ધ નથી પણ સામાન્ય છે; તેવી રીતેજ અહીં પણ “બાળ વિજ્ઞાન અન્ય વિજ્ઞાનપૂર્વક છે.’ એમ વિશેષનો પક્ષ કર્યો છે. પરંતુ “સામાન્ય વિજ્ઞાન અન્ય વિજ્ઞાન પૂર્વક છે.” એમ પક્ષ નથી કર્યો, કે જેથી અમે કહેલ હેતુ “શબ્દ, શબ્દ હોવાથી અનિત્ય છે.” એવા પ્રયોગની જેમ પ્રતિજ્ઞા કરેલ અર્થનો એક ભાગ થઈને અસિદ્ધ થાય.
વળી બાળકનો પ્રથમ સ્તનાભિલાષ, અભિલાષાત્મક હોવાથી, વર્તમાન અભિલાષની જેમ અન્ય અભિલાષપૂર્વક હોય છે. જે અભિલાષપૂર્વક બાળકનો પ્રથમ સ્તનાભિલાષ છે, તે અભિલાષ શરીરથી જુદો છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થવા છતાં પણ અહીંના અભિલાષનું તે કારણ છે. એ અભિલાષ ગુણ છે, ને ગુણ ગુણી સિવાય હોઈ શકે નહિ, માટે એ ગુણના આશ્રયભૂત જે ગુણી છે, તે બીજાં કોઈ પણ શરીરથી જુદો એવો આત્માજ છે.
વાયુભૂતિ :- એ અનુમાનમાં કહેલો હેતુ અનેકાન્તિક દોષવાળો છે, કેમકે બધાએ અભિલાષ, અભિલાષપૂર્વક નથી હોતા. જેમ મોક્ષનો અભિલાષ મોક્ષના અભિલાષપૂર્વક નથી હોતો તેમ આ અભિલાષ પણ કેમ ન હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org