SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૨ જાણેલ અર્થનું સ્મરણ કરનાર પુરૂષની જેમ ભૂતરૂપ ઈન્દ્રિયથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર, જે ચેતના છે તે ભૂતેન્દ્રિયથી કોઈ ભિન્નરૂપનો ધર્મ છે. હે વાયુભૂતિ ! આ ઉપરથી કદાચ તું એમ કહીશ કે “જુદા જુદા મધના અંગોમાં પણ કિંચિત્ મદ સામર્થ્ય છે, તેથી તેના સમુદાયમાં તે સંપૂર્ણપણે જણાય છે. અને એજ પ્રમાણે જુદા જુદા ભૂતોમાં પણ કિંચિંતુ કિંચિત્ ચેતના છે, અને તે ભૂતોના સમુદાયમાં સંપૂર્ણપણે પ્રકટ થવાથી જણાય છે. જુદી જુદી અવસ્થામાં ચેતના અલ્પ હોવાથી પ્રગટ નથી જણાતી અને તેના સમુદાયમાં તે સંપૂર્ણ થાય છે, તેથી તે પ્રગટ જણાય છે,” તારૂં એ કથન સર્વથા અયોગ્ય છે, કેમકે ચેતના એ આત્માનો ધર્મ છે અને આત્મા તે ભૂત સમુદાયની અંતર્ગત છે, આત્માના અભાવે ભૂતસમુદાયમાં ચેતના હોતી નથી, તેથી “ચેતના ભૂતના સમુદાયમાં જણાય છે.” એવો તારો હેતુ અસિદ્ધ છે. અને જો ચેતના ભૂતસમુદાય માત્રનો જ ધર્મ હોય, તો મૃતશરીરમાં પણ ચેતના હોવી જોઈએ. મૃતશરીરમાં તે વખતે વાયુ ન હોવાથી ચેતના નથી જણાતી-એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે નલીકાદિના પ્રયોગથી તેમાં વાયુ દાખલ કરીએ તો પણ તે નથી જણાતી. તે વખતે તેમાં તેજનો અભાવ છે, તેથી ચેતના નથી જણાતી, - એમ કહેવું એ પણ અયુક્ત છે, એવાજ પ્રયોગથી મૃત શરીરમાં જો તેજને દાખલ કરીએ, તો પણ ચેતના જણાતી નથી. વિશિષ્ટ પ્રકારના તેજ અને વિશિષ્ટ પ્રકારના વાયુના અભાવે ત્યાં ચેતના નથી જણાતી-એમ કહેવામાં આવે, તો તેમાં આત્મસત્તા જ સિવાય બીજી વિશિષ્ટતા શી છે? કોઈજ નહિ, એમ કહેવાથી તો તમે પણ આત્મ-સત્તા જ ત્યાં માની ગણાય. વાયુભૂતિ :- ભૂતસમુદાયમાં જણાતી ચેતના ભૂતસમુદાયની નથી, એ તમારું કથન સર્વથા વિરૂદ્ધ જણાય છે. કારણ કે જેમ ઘટમાં જણાતા રૂપાદિ ધર્મો ઘટના નથી, એમ કહી શકાય નહિ, તેમ ભૂતસમુદાયમાં જણાતી ચેતના ભૂતસમુદાયની નથી એમ કહી શકાય નહિ. ભગવત્ત :- ગૌતમ ! તે અયુક્ત છે, કારણ કે જેમ પૃથ્વી અને જળના સમુદાય માત્રમાં જણાતાં વનસ્પતિ વિગેરે તે પૃથ્વી જીવના સમુદાય માત્રથીજ થયેલ છે, એમ કહી શકાય નહિ, કેમકે વનસ્પતિ આદિના બીજથી તે વનસ્પતિ વિગેરે થયેલ છે, તેવી રીતે અહીં પણ પૃથ્વી આદિભૂતાત્મક શરીરમાં જણાતી ચેતના ભૂતસમુદાય માત્રથી થયેલ કહી શકાય નહી, કેમકે તે ચેતના ભૂતસમુદાયથી અતિરિક્ત એવા આત્માથી થયેલ છે. માટે મારા કથનમાં વિરોધ નથી, પરંતુ “પ્રત્યેક ભૂતમાં ચેતના છે,” એમ કહેવાથી તારા વચનમાજ પ્રત્યક્ષ વિરોધ છે. ચેતના આત્માનો ધર્મ છે-એ કથન કંઈ વચન માત્ર નથી પણ યુક્તિપૂર્વક અને સત્ય છે. કેમકે-જે એક વ્યક્તિ અનેક સાધનોથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે, તે વ્યક્તિ તે સાધનોથી, મહેલની પાંચ બારીઓથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર દેવદત્ત જેમ મહેલ અને બારીઓથી ભિન્ન છે, તેમ શરીર અને તેની પાંચ ઈન્દ્રિયો દ્વારા અર્થ જાણનાર સંભારનાર હોવાથી તે ભિન્ન છે; અને જે ભૂતેન્દ્રિયાત્મક સમુદાયથી ભિન્ન નથી, તે શબ્દાદિ ગ્રાહક એક વિશિષ્ટ મનોવિજ્ઞાનની જેમ અનેકવડે જાણેલ અર્થનું સ્મરણ કરનાર નથી, કારણકે જો અનેક સાધનોથી અર્થ જાણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy