________________
૬૪)
ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઉત્પન્ન થઈને, કેટલીક વખત રહીને, કાળાન્તરે તથા પ્રકારની વિનાશક એવી સામગ્રી મળવાથી નાશ પામે છે. આ ઉપરથી અન્વય-વ્યતિરેકથી નિશ્ચય થાય છે, કે ચૈતન્ય એ ભૂતોના સમુદાયનો ધર્મ છે. કેમકે જે પ્રત્યેક સમુદાયિમાં ન જણાતાં તેના સમુદાયમાં જ જણાય, તે તેના સમુદાયમાત્રનો જ ધર્મ હોય છે. જેમ પ્રત્યેક મદ્યોગોમાં નહીં જણાતો મદ, મધ્રાંગના સમુદાયમાં જણાય છે, તેથી તે તેઓનો ધર્મ છે. તેમ ચેતના પણ ભૂતના સમુદાયમાં જ ઉત્પન્ન થાય છે, પૃથક નથી થતી, માટે તે તેનો ધર્મ છે. ધર્મ અને ધર્મનો પરસ્પર અભેદ હોય છે, ભેદ માનવામાં આવે, તો ઘટ અને પટની જેમ તે બન્નેનો પરસ્પર ધર્મ-ધર્મી ભાવ ઘટે નહી, માટે જે ચૈતન્યરૂપ જીવ છે, તે શરીર જ છે, કેમકે ચેતના એ ભૂતોનો ધર્મ છે, અને શરીર તે ભૂતોનો સમુદાય છે, અને એ બન્ને ધર્મ-ધર્મીનો અભેદ હોવાથી એક જ છે.
વળી બીજા વેદવાક્યોથી જીવ શરીરથી ભિન્ન છે, એવું પણ સંભળાય છે, જેમકે “નહિ હૈ અશરીરી પ્રિયપ્રિયજ્યોતિરિત, ૩rશરીર વ વસંત પ્રિયપ્રિયે ન પૂરાત: ” એટલે શરીરવાળા આત્માને પ્રિયાપ્રિયનો અભાવ નથી, અને શરીર વિનાના શુદ્ધ આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી. આથી તને ઉપર મુજબ સંશય થયો છે, પણ તે અયોગ્ય છે, કારણ કે -
पत्तेयमभावाओ न रेणुतेल्लं व समुदए चेया । मज्जंगसुं तु मओ वीसुं पि न सव्वसो नन्थि ॥१६५२॥ भमि-धणि-वितण्हयाई पत्तेयं पि हु जहा मयंगेसु । तह जइ भूएसु भवे चेया तो समुदए होजा ॥१६५३॥ जइ वा सव्वाभावो वीसं तो किं तदंगनियमोऽयं ? ।
तस्समुदयनियमो वा अन्नेसु वि तो हवेज्जाहि ॥१६५४॥ જેમ પ્રત્યેક રેતીના કણમાં તેલનો અભાવ હોવાથી તેના સમુદાયમાં પણ તે નથી હોતું, તેમ પ્રત્યેક ભૂતોમાં ચેતનાના અભાવથી તે ભૂતના સમુદાયમાં પણ તે ચેતના નથી હોતી. વળી મધના પૃથફ પૃથક અંગોમાં મદનો સર્વથા અભાવ પણ નથી; પણ જેમ દરેક જુદા જુદા મદ્યોગમાં ભ્રમણ શક્તિ, તૃપ્તિ કરવાની શક્તિ, તૃષા રહિત કરવાની શક્તિ વિગેરે જુદા જુદા મદ્યના ગુણો છે, તેમ જો ભૂતોમાં પણ કંઈક કંઈક ચેતના હોય, તો તે સમુદાયમાં સંપૂર્ણ થાય. પણ જો જુદા જુદા મદ્યોગોમાં સર્વથા જ મદશક્તિનો અભાવ હોય, તો તે મદના અંગો જ કેમ કહેવાય ? અથવા તેના સમુદાયથી મઘ થાય છે, એવો નિયમ શાથી થાય ? બીજા પદાર્થો મળવાથી પણ મદ્ય થવું જોઈએ. ૧૬પર-૧૬૫૩-૧૬૫૪.
જેમ પ્રત્યેક રેતીના કણમાં તેલ સર્વથા ન હોવાથી તેના સમુદાયમાં પણ તેલ નથી થતું, તેમ ભૂતોની પ્રત્યેક અવસ્થામાં પણ સર્વથા ચેતનાનો અંશ માત્ર પણ ન હોવાને લીધે ભૂતના સમુદાયમાં પણ તે ચેતના થાય નહિં. આ ઉપરથી એવો નિયમ ચરિતાર્થ થાય છે, કે જે જેઓની પૃથક પૃથક અવસ્થામાં સર્વથા નથી હોતું, તે તેઓના સમુદાયમાં પણ નથી હોતું; અને જે જેઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org