SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨] બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ અગ્નિહોત્ર (યજ્ઞ) કરવો, ઈત્યાદિ વાક્યો વિધિવાદને કહેનારાં છે. અર્થવાદ બે પ્રકારે હોય છે; સ્તુતિ અર્થવાદ અને નિદાઅર્થવાદ, તેમાં “પુરુષ ઇવેટું સર્વમ” ઈત્યાદિ વાક્યો, અને “ सर्वविद् यस्यैष महिमा भुवि दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्नि आत्मा सुप्रतिष्ठितस्तमक्षरं वेदयते यस्तु સ સર્વજ્ઞ: સર્વવિદ્ સર્વમેવાવિવેશ.” ઈત્યાદિ વાક્યો-તથા “રયા પૂયાડડડ્ડત્ય સન્ વામાન વનતિ” ઈત્યાદિ વાક્યો સ્તુતિરૂપ અર્થવાદને પ્રતિપાદન કરનારાં છે. પ્રશ્ન :- પુણ્ય પૂર્ણા આદિ વાક્યો વિધિવાદ પ્રતિપાદન કરનારાં કેમ ન ગણાય? ઉત્તર - જો એ વાક્યોને વિધિવાદ પ્રતિપાદન કરનારાં માનવામાં આવે તો શેષ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન નિરર્થક થાય. Ug : પ્રથમ યજ્ઞ યોનિમ: ચોડનેનિખવાડજોન યુગને રસ નર્તમJપતત” અહીં આ વાક્યમાં પશુમેધ વિગેરે પ્રથમ કરવાની નિન્દા કરી છે, તેથી એ વાક્ય | નિન્દાર્થ પ્રતિપાદક ગણાય. “દ્વારા નરસાર સંવત્સર” ૩મનિWT” નિર્દિકરી મેષન” આ વિગેરે વાક્યો અનુવાદ પ્રતિપાદન કરનારાં છે, કેમકે એમાં લોકપ્રસિદ્ધ અર્થનું જ કથન કર્યું છે. એ ત્રણ પ્રકારના વાક્યોમાંથી અહિં “પુરુષ અદ્ર સર્વ” ઈત્યાદિ વેદનાં પદો સ્તુતિરૂપ અર્થવાદ કરે છે. તથા “વિજ્ઞાનધન તેઓ” ઈત્યાદિ પદોનો અર્થ આ પ્રમાણે જાણવો. જેમકે વિજ્ઞાનઘન એવો આત્મા ભૂતોથી ભિન્ન છે, અને તે શરીરાદિ કાર્યનો કર્યા છે, તે કર્તા હોવાથી તેને કાર્ય કરવામાં કોઈ કરણ હોવું જોઈએ-એમ અનુમાન કરાય છે. જ્યાં જ્યાં કર્તા અને કાર્યનો ભાવ હોય, ત્યાં ત્યાં અવશ્ય કરણ હોવું જોઈએ. જેમ લુહાર અને લોઢાના પિંડનો સદ્ભાવ હોવાથી ત્યાં કરણભૂત સાંડસો હોય છે, તેમ અહીં પણ આત્માને શરીરાદિ કાર્ય કરવામાં જે કરણભૂત થાય છે, તે કર્મ છે. માટે કર્મ છે, એમ અંગીકાર કર. વળી સાક્ષાત્ કર્મની સત્તા પ્રતિપાદન કરનારાં વેદવાક્યો પણ છે. “: પુણેન વર્મા, પાપ: પેન વર્મ” એટલે પવિત્ર કાર્યથી પુણ્ય અને અપવિત્ર કાર્યવી પાપ થાય છે. આ પ્રમાણે આગમથી પણ કર્મની સિદ્ધિ થાય છે. માટે કર્મ સંબંધી સંશયનો ત્યાગ કરીને કર્મ છે - એમ નિશ્ચયથી અંગીકાર કર. એ પ્રમાણે જરા અને મરણથી મૂકાએલા એવા શ્રીમાનું જિનેશ્વર ભગવત્તે અગ્નિભૂતિજીના સંશયનો નાશ કર્યો, એટલે તેઓએ પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવન્ત પાસે દીક્ષા ગ્રહણ કરી. ૧૬૪૪. ॥ द्वितीयो गणधरवादः समाप्तः ॥ હવે ત્રીજા ગણધર સંબંધી વકતવ્યતા કહે છે. (१५३) ते पब्बइण सोउं, तइओ आगच्छई जिणसगासे । वच्चामि णं वंदामी, वंदित्ता पज्जुवासामि ॥१६४५॥६०६॥ सीसत्तेणोवगया, संपर्यांमद-ग्गिभूइणो जस्स । तिहुयणकयप्पणामो, स महाभागोऽभिगमणिज्जो ॥१६४६॥ (मल्ल०नि०) तदभिगमण-वंदणो-वासणाइणा होज्ज पूयपावोऽहं । वोच्छिण्णसंसओ वा वोत्तुं पत्तो जिणसगासे ॥१६४७॥ (मल्ल०नि०) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy