SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] બીજા ગણધરનો વાદ. [૬૧ છે, તેને પણ તું વસ્તુરૂપે કેમ નથી માનતો ? વળી એ વસ્તુવિશેષ રૂપ જો સ્વભાવ છે, તો તે મૂર્ત છે, કે અમૂર્ત છે? જો મૂર્ત હોય, તો “સ્વભાવ” એવા જુદા નામથી કર્મ જ માન્ય ગણાય, અને જો તે અમૂર્ત હોય, તો તે ઉપકરણ રહિત હોવાથી આકાશની જેમ કોઈનો પણ કર્યા થઈ શકે નહિ. વળી શરીરાદિ મૂર્ત કાર્યનું અમૂર્ત સ્વભાવ કારણ થાય, તે યોગ્ય પણ ન ગણાય, માટે સ્વભાવ તે કોઈ વસ્તુવિશેષ નથી. - હવે જો સ્વભાવ તે અકારણતા છે, એમ માનવામાં આવે, તો એનો અર્થ એવો થયો, કે કારણ વિના દેહાદિ સર્વ ઉત્પન્ન થાય છે, એમ થવાથી તો કારણનો અભાવ સર્વત્ર સમાન હોવાથી એકીસાથે સર્વ શરીરાદિ ઉત્પન્ન થવાં જોઈએ. વળી એ પ્રમાણે માનવાથી શરીરાદિ હેતુ વિના અકસ્માતુ ઉત્પન્ન થાય છે, એમ માનવું પડે, અને એમ માનવું તે તો સર્વથા અયુક્ત છે, કેમકે જે અકસ્માતુ-હેતુ વિના ઉત્પન્ન થાય છે, તે અભ્ર વિગેરેના વિકારની જેમ આદિમાન્ પ્રતિનિયતઆકારવાળું નથી હોતું, અને શરીરાદિ તો આદિમાન તથા પ્રતિનિયતઆકારવાળા હોય છે, માટે તે આકસ્મિક ન ગણાય, પરંતુ કર્મરૂપ હેતુસહિત ગણાય કેમકે તે દેહાદિ ઘટની જેમ પ્રતિનિયતઆકારવાળા હોવાથી ઉપકરણવાળા તેના કર્તાએ તે કરેલા છે, એમ જણાય છે, અને ગર્ભાદિ અવસ્થામાં કર્મ સિવાય બીજાં ઉપકરણ ઘટી શકે નહિ માટે તે કર્મરૂપ હેતુયુક્ત છે. સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે, તો તેમાં વિજ્ઞાનાદિની જેમ જો આત્માનો ધર્મ હોય, તો તે આકાશની જેમ અમૂર્ત હોવાથી શરીરાદિનું કારણ થઈ શકે નહિ. અને જો સ્વભાવ કોઈ મૂર્ત વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે તો કંઈ હરકત નથી, કેમકે કર્મ એ પુદ્ગલાસ્તિકાયનો પર્યાય જ છે, અને તેનો તેવો સ્વભાવ છે, એટલે મૂર્તવસ્તુનો ધર્મ માનવામાં કંઈ દોષ નથી. વળી હે અગ્નિભૂતિ ! “પુરુષ પટું સર્વ” ઈત્યાદિ વેદવાક્ય સાંભળીને પણ તને કર્મસંબંધી સંશય થયો છે. કારણ કે એ પદોનો અર્થ તું એવો માને છે કે “આ પ્રત્યક્ષ જણાતું સર્વ ચેતનાચેતન સ્વરૂપ, જે થઈ ગયું છે કે, જે થવાનું છે તે, જે મોક્ષનો સ્વામી છે તે, જે આહાર વડે વૃદ્ધિ પામે છે તે, જે પશુ આદિ ચાલે છે તે, જે પવતદિ નથી ચાલતા તે, જે મેરૂ આદિ દૂર છે તે, જે નજીકમાં છે તે, જે સર્વની અભ્યત્તર છે અને જે સર્વની બહાર છે તે, એ સર્વ પુરૂષઆત્માજ છે, એથી અતિરિક્ત કર્મ નામે કોઈ વસ્તુસત્તા નથી. તથા “વિજ્ઞાન નટ્રિ' વગેરે વેદનાં પદો પણ કર્મનો અભાવ પ્રતિપાદન કરનારાં છે, એમ તું માને છે. કારણ કે એ ઉભય પદોમાં અવધારણ વાચી જે ઇવ કાર છે, તે કર્મની સત્તાના અભાવને સિદ્ધ કરનારો છે એમ હું માને છે. જે વેદના પદોનો અર્થ તું એ પ્રમાણે માને છે, તે અર્થ તે પ્રમાણે નથી, પરંતુ તેનો અર્થ હું કહું છું તે પ્રમાણે છે, તું લક્ષપૂર્વક સાંભળ. “પુરુષ જીવે ઈત્યાદિ વેદનાં પદો આત્માની સ્તુતિ કરનારા, તેમજ જાતિ આદિ મદનો ત્યાગ કરવા માટે અદ્વૈતભાવ પ્રતિપાદન કરનારાં છે; પરંતુ કર્મની સત્તાનો અભાવ પ્રતિપાદન કરનારાં નથી. વેદનાં કેટલાંક વાક્યો વિધિવાદ પ્રતિપાદન કરનારાં છે, કેટલાંક વાક્યો અર્થવાદ પ્રતિપાદન કરનારાં છે, અને કેટલાંક વાક્યો અનુવાદ પ્રતિપાદન કરનારાં છે. તેમાં “નોર્વે ગુહુયાત્િ વામ:” એટલે સ્વર્ગની ઈચ્છા વાળાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy