________________
૬o]
બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પણ શરીરવાળો છે, કે શરીર વિનાનો છે ? જો શરીર વિનાનો હોય, તો તે ઉપર કહ્યા મુજબ ઉપકરણ રહિત હોવાથી શરીર કરી શકે નહી; અને જો શરીરવાળો અન્ય ઈશ્વર તે ઈશ્વરનું શરીર કરતો હોય, તો તેના કરનાર પણ અન્ય શરીરવાળો ઈશ્વર હોવો જોઈએ, તેના પણ શરીરને કરનાર અન્ય ઈશ્વર હોવો જોઈએ. એ પ્રમાણે છેવટ અનવસ્થા પ્રાપ્ત થાય, અને તેમ માનવું તો સર્વથા અનિષ્ટ છે. માટે શરીર વિગેરેનો કર્તા ઈશ્વર છે, એમ માનવું સર્વથા અયુક્ત છે, પરંતુ કર્મ સહિત જીવ જ તેનો કર્તા છે, એમ માનવું તે યુક્તિયુક્ત છે. વળી જો ઈશ્વર પ્રયોજન સિવાય શરીરાદિ કરે, તો તે ઉન્મત્ત જેવોજ ગણાય, અને તેમ કરવામાં કોઈ પ્રયોજન માનવામાં આવે, તો તે ઈશ્વરનું ઈશ્વરપણું ન રહે. કારણ કે અનાદિ શુદ્ધ આત્માને દેહાદિ કરવાની ઈચ્છા હોઈ શકે નહિ. કેમકે ઈચ્છા તે રોગવિકલ્પસ્વરૂપ છે, ઈત્યાદિ અહીં ઘણું કહી શકાય એમ છે, પરંતુ ગ્રંથ વિસ્તારના ભયથી અહીં નથી કહેતા. એજ યુકિતઓથી વિષ્ણુ-બ્રહ્મા વિગેરે પણ કર્તા તરીકે ઘટી શકતા નથી. એમ સમજવું. ૧૬૪૧-૧૬૪૨.
अहव सहावं मन्नसि विण्णाणघणाइवेयवुत्ताओ।
तह बहुदोसं गोयम ! ताणं च पयाणमयमत्थो ॥१६४३॥ (ર) છિન્નભિન્ન સંરશ્મિ નિuોળ વર-મરપવિપ્રમુvi |
सो समणो पब्बइओ पंचहिं सह खंडियसएहिं ॥१६४४॥६०५।। દેહાદિની વિચિત્રહ્મનું કારણ સ્વભાવ માનવામાં આવે, તો તેમાં પણ અનેક દોષો આવે છે. અથવા વિજ્ઞાનધન આદિ વેદપદોથી શરીરાદિનો કર્તા સ્વભાવ માનીશ, તો તેમ માનવાથી પણ હે ગૌતમ ! બહુ દોષ આવશે. તે પદોનો સત્ય અર્થ આ પ્રમાણે છે. એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા જિનેશ્વરે તે પદોનો અર્થ કરીને તેના સંશયનો છેદ કર્યો, એટલે પાંચસો શિષ્યો સહિત તેણે દીક્ષા અંગીકાર કરી.
વિજ્ઞાનધન તેઓ તેઓ” ઈત્યાદિ વેદવાક્ય સાંભળીને કેટલાક લોક શરીરાદિના કર્તા તરીકે સ્વભાવને જ માને છે, એ પ્રમાણે માનનારાઓ કહે છે કે “સ્વભાવવાદીઓ સર્વ હેતુની અપેક્ષા વિનાજ પદાર્થોની ઉત્પત્તિ કહે છે, તેઓ પોતાનું કારણ પણ કંઈ કહેતા નથી. તેઓ કહે છે, કે કમલને વિશે કંટકાદિની વિચિત્રતા કોણ કરે છે? મોરના પીંછા વિગેરેનું વિચિત્રપણું કોણે કર્યું છે ? (કોઈએ નહી) અહીં દુનિયામાં જે કંઈ છે, તે સર્વ હેતુ વિનાનું જ છે, જેમ કાંટાઓનું તીર્ણપણું વિગેરે સ્વભાવિક છે, તેમ આ સુખ વિગેરે પણ સ્વભાવિક છે, એમાં કંઈ હેતુ નથી.”
એ પ્રમાણે જેમ તેઓ માને છે, તેવી રીતે જો તું પણ માનતો હોય તો એ માન્યતામાં પણ ઘણા દોષો આવે છે. કેમકે જે લોક શરીરાદિનો કર્તા સ્વભાવ માને છે, તે સ્વભાવ, કોઈ વસ્તુવિશેષ છે, અકારણતા છે, કે વસ્તુનો ધર્મ છે ? આ ત્રણમાંથી તે શું છે ? સ્વભાવ કોઈ વસ્તુવિશેષ છે, તેમ તો નહી કહી શકાય, કારણ કે તે વસ્તુ છે, એમ જણાવનારું કોઈ પ્રમાણ નથી, અને અપ્રમાણિક વસ્તુને પણ વસ્તુ રૂપે માનતો હોય, તો તારા અભિપ્રાયે કર્મ પણ અપ્રમાણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org