SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) બીજા ગણધરનો વાદ. [૫૭ અગ્નિભૂતિ :- અબ્રાદિ વિકારની જેમ બાહ્ય સ્થૂલ શરીરની વિચિત્રતા પ્રત્યક્ષ જણાય છે, તેથી તે માની શકાય છે, પરંતુ આંતરિક કર્મરૂપ સૂક્ષ્મ શરીરની વિચિત્રતા કેવી રીતે માની શકાય ? કેમકે તે સૂક્ષ્મ શરીર તો સર્વથા અપ્રત્યક્ષ છે. એટલે જો તેને ન માનીએ તો શો દોષ આવે ? ભગવત્ત - જો તે સૂક્ષ્મ કાર્મણશરીર ન માનવામાં આવે, તો મૃત્યુકાળે પૂલ શરીરથી મૂકાએલ જીવને ભવાન્તરમાં પુનઃ સ્થૂલ શરીરની પ્રાપ્તિના કારણભૂત જે સૂક્ષ્મ શરીર છે, તે વિના તે સ્થૂલ શરીરની પ્રાપ્તિ ન થાય. કેમકે કારણ વિના અન્ય શરીરનું ગ્રહણ થઈ શકે નહિ. અને તેથી અન્ય શરીરની પ્રાપ્તિ વિના મરણ પામ્યા બાદ શરીર રહિત થવાથી સર્વ જીવોને યત્ન વિનાજ સંસારનો છેદ થાય. એમ થવાથી સર્વ જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય, અથવા શરીર વિનાના જીવોને પણ સંસારમાં રખડવાનું થાય, તેથી નિષ્કારણ સર્વને સંસારભ્રમણ થાય, એજ પ્રમાણે ભવથી મૂકાએલા સિદ્ધોને પણ અકસ્માત-કારણ સિવાય સંસાર ભ્રમણ થાય, અને એજ પ્રમાણે પાછું મોક્ષગમન થાય, આ રીતે થવાથી મોક્ષમાં પણ સ્થિતિ ન થાય. વિચિત્રતાના કારણભૂત કર્મને ન માનવાથી આ દોષો પ્રાપ્ત થાય છે માટે વિચિત્રતાનાં કારણભૂત કર્મને તું અંગીકાર કર. ૧૬૩ર૧૬૩૩-૧૬૩૪. मुत्तस्सामुत्तिमया जीवेण कहं हवेज्ज संबंधो ?। सोम्म घडस्स ब्व नभसा जह वा दब्बरस किरियाए ॥१६३५। अहवा पच्चक्खं चिय जीवोवनिबंधणं जह शरीरं । । चिट्ठइ कम्मयमेवं भवंतरे जीवसंजुत्तं ॥१६३६॥ મૂર્તકર્મનો અમૂર્તિ આત્મા સાથે સંબંધ કેમ થઈ શકે ? સૌમ્ય ! જેમ ઘટનો આકાશ સાથે, અથવા દ્રવ્યનો ક્રિયા સાથે સંબંધ થાય છે, તેમ આ સંબંધ હોય છે; અથવા પ્રત્યક્ષ જણાતું જીવના સંબંધવાળું આ સ્થૂલ શરીર જેમ વર્તે છે, તેમ ભવાન્તરમાં ગતિ કરતા જીવની સાથે લાગેલું કાર્પણ શરીર છે, તે તું અંગીકાર કર. ૧૬૩૫-૧૬૩૬. અગ્નિભૂતિ - તમે કર્મ મૂર્ત છે એમ પૂર્વે કહ્યું છે, તો તે મૂર્તકર્મનો અમૂર્ત એવા આત્મા સાથે સંયોગ સંબંધ અથવા સમવાય સંબંધ કેવી રીતે થઈ શકે ? આથી મને તો કર્મની સિદ્ધિમાં એ બીજું પણ છિદ્ર જણાય છે. ભગવા - ભદ્ર! જેમ મૂર્ત એવા ઘટનો અમૂર્ત એવા આકાશની સાથે સંયોગ સંબંધ છે, તથા અંગુલિ આદિ દ્રવ્યનો સંકોચન પ્રસારણ આદિ ક્રિયાની સાથે સમવાય સંબંધ છે, તેમ અહીં પણ આત્મા અને કર્મનો સંબંધ છે. અથવા જેમ આ બાહ્ય સ્થૂલ શરીર જીવની સાથે સંબંધવાળું પ્રત્યક્ષ ચેષ્ટા કરતું જણાય છે, તેવી રીતે ભવાન્તરમાં જતા જીવની સાથે સંબંધવાળું કાર્મણ શરીર પણ અંગીકાર કર. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનાં નિમિત્તે, જીવની સાથે સંબંધવાળું બાહ્ય શરીર ચેષ્ટા કરે છે, એમ તું કહેતો હોય, તો અમે તને પૂછીએ છીએ કે એ ધર્મ અને અધર્મ મૂર્તિ છે કે અમૂર્ત છે? જો મૂર્ત છે એમ કહેતો હોય તો તેમનો અમૂર્ત આત્માની સાથે સંબંધ કેવી રીતે છે? ગમે તે પ્રકારે તેમનો આત્મા સાથે સંબંધ છે, એમ માનતો હોય તો પછી કર્મનો તેની સાથે તેવી રીતે સંબંધ કેમ નથી માનતો? અને જો ધર્મ અધર્મ અમૂર્ત છે એવું તારું મંતવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy