________________
૫૪]
બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તફાવત જણાય છે, તે વિશેષ-તફાવત કાર્ય રૂપ છે, અને જે કાર્ય છે, તેનું કારણ અવશ્ય હોય છે જ. જેમ પરમાણુઓ ઘટનું કારણ છે, તેમ અહીં વિશેષતારૂપ ફળમાં જે કારણ છે, તે કર્મ છે. એ કર્મ સર્વ ક્રિયાઓનું અદૃષ્ટ ફળ છે અને તે તેનાથી ભિન્ન છે. કર્મ તે કાર્ય છે અને ક્રિયાઓ તે કારણ છે. કાર્ય અને કારણ પરસ્પર ભિન્ન હોય છે. ૧૬૨૪-૧૬૨૩-૧૬૨૪. કર્મ મૂર્તિમાનું છે, તત્સંબંધી પ્રશ્નોત્તર.
आह नणु मुत्तमेवं मुत्तं चिय कज्जमुत्तिमत्ताओ । इह जह मुत्तत्तणओ घडरस परमाणवो मुत्ता ॥१६२५।। तह सुहसंवित्तीओ संबंधे वेयणुब्भवाओ य । बज्झबलाहाणाओ परिणामाओ य विण्णेयं ॥१६२६॥ आहार इवानल इव घडु ब नेहाइकयबलाहाणो ।
खीरमिवोदाहरणाई कम्मरूवित्तगमगाइं ॥१६२७॥ એ પ્રમાણે તો કર્મ મૂર્તિમાન થયું, હા, કાર્ય મૂર્તિમાનું હોવાથી કારણ પણ મૂર્તિમાન હોય છે, જેમ ઘટ મૂર્તિમાનું હોવાથી તેનું કારણ પરમાણુઓ પણ મૂર્તિમાનું છે, તથા આહારની જેમ જેનો સંબંધ થવાથી સુખાનુભવ થાય, અગ્નિની જેમ જેનો સંબંધ થવાથી વેદાનાનુભવ થાય, ચીકાશથી મજબૂત થયેલા ઘટની જેમ જેનો સંબંધ થવાથી બાહ્ય વસ્તુથી મજબુતતા થતી હોય અને દૂધની જેમ જે પરિણામિ હોય, તે મૂર્તિમાનું જાણવું, ઈત્યાદિ કર્મને મૂર્તિમાન્ સિદ્ધ કરવાનાં ઉદાહરણો છે. ૧૬૨૫-૧૬૨૭.
અગ્નિભૂતિ :- જો શરીરાદિ કાર્યો જોઈને તેના કારણભૂત કર્મની સિદ્ધિ કરો છો, તો તે શરીરાદિ કાર્ય મૂર્તિમાનુ-રૂપી હોવાથી, તેનું કારણ જે કર્મ તે પણ મૂર્તિમાનું - રૂપી સિદ્ધ થશે.
ભગવા - અમને તે ઈષ્ટ છે, કેમકે જેનું કાર્ય મૂર્તિમાનું હોય છે, તેનું કારણ પણ ઘટના કારણભૂત પરમાણુની જેમ મૂર્તિમાનું હોય છે, અને જેનું કાર્ય મૂર્તિમાનું નથી તેનું કારણ પણ જ્ઞાનના કારણભૂત આત્માની જેમ મૂર્તિમાનું હોતું નથી. માટે કર્મ મૂર્તિમાનું છે.
અગ્નિભૂતિ :- જો એ પ્રમાણે કારણ અને કાર્યના સંબંધથી કર્મને રૂપી સિદ્ધ કરતા હો, તો હું પુછું કે સુખ-દુઃખ વિગેરે પણ કર્મનું કાર્ય છે, એ સુખ-દુઃખાદિ કાર્ય અમૂર્ત હોવાથી તેનું કારણ જે કર્મ તે પણ અમૂર્ત સિદ્ધ થશે, અને મૂર્ત કારણથી અમૂર્ત કારણી એવા અમૂર્તકાર્યની ઉત્પત્તિ થવી તે તો અયોગ્ય છે, વળી એકજ વસ્તુમાં મૂર્તિપણું અને અમૂર્તપણું હોવું બીલકુલ અયોગ્ય છે, કેમકે એ પરસ્પર અત્યંત વિરૂદ્ધ છે.
ભગવા - સુખ-દુઃખ વિગેરે આત્માના ધર્મ હોવાથી આત્મા તેઓનું સમાયિ કારણ છે, અને કર્મ તો તેમાં અન્ન-પાણી-સર્પ વિષ આદિની જેમ નિમિત્ત કારણ છે. માટે એથી કંઈ એમાં દોષ આવતો નથી.
વળી કર્મ રૂપી છે, તેને સિદ્ધ કરવામાં ચાર હેતુના ચાર દૃષ્ટાંતો જાણવાં. (૧) જેનો સંબંધ થવાથી સુખાદિનો અનુભવ થાય, તે અશનાદિ આહારની જેમ મૂર્ત હોય છે, અને જે આકાશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org