________________
[૫૭
ભાષાંતર]
બીજા ગણધરનો વાદ. તે કરવા વડે અદેખફળનો બંધ કરે, અને તેથી જન્માન્તરમાં તેનો વિપાક અનુભવીને પુનઃ દાનાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરે, એ પ્રમાણે વારંવાર થવાથી તેઓને અનંતસંસારની પરંપરા પ્રાપ્ત થાય. આ પ્રમાણે થવાથી પરિણામ એ આવે કે કૃષિ-હિંસા વિગેરે કરનારા સર્વને અદૃષ્ટ સંચયના અભાવે મોક્ષ પ્રાપ્ત થાય, અને તેવી ક્રિયા કરનાર કોઈપણ સંસારમાં રહે નહીં, તેમજ તેનો અશુભવિપાક અનુભવનાર પણ એક રહે નહી, માત્ર દાનાદિ શુભ ક્રિયા કરનારા અને તેનો શુભ ફળ વિપાક ભોગવનારાજ રહે; પરંતુ એવું કંઈ જણાતું નથી. ૧૬૨૦-૧૬૨૧.
जमणिट्ठभोगभाजो बहुतरगा जं च नेह मइपुवं । अद्दिवाणिट्ठफलं कोइ वि किरियं समारभइ ॥१६२२।। तेण पडिवज्ज किरिया अदिद्वेगंतियप्फला सव्वा । दिट्ठाणेगंतफला साऽवि अदिवाणुभावेण ॥१६२३॥ अहवा फलाउ कम्मं कज्जत्तणओ पसाहियं पुवं ।
परमाणवो घडस्स व किरियाण तयं फलं भिन्नं ॥१६२४।। અષ્ટ અનિષ્ટ ફળવાળી ક્રિયા કોઈપણ બુદ્ધિપૂર્વક નથી કરતા, તોપણ અશુભ ફળ વિપાક ભોગવનારા પ્રાણીઓ ઘણા છે, તે કારણે સર્વ ક્રિયાઓ અદૃષ્ટ એકાંત ફળવાળી છે - એમ અંગીકાર કર. અને દૃષ્ટ અનેકાંતફળવાળી ક્રિયાઓ છે, તે પણ અદષ્ટના અનુભાવથીજ છે. અથવા ફળના તફાવતથી તેનું કારણ કર્મ છે અને તે તફાવત કાર્યરૂપ હોવાથી કર્મને સાધનાર પૂર્વે સિદ્ધ કર્યું છે. જેમ પરમાણુઓનું કાર્ય ઘટ છે, તેમ ક્રિયાઓનું ફળ કર્મ છે, અને તે કર્મરૂપ ફલ ક્રિયાઓથી ભિન્ન છે. ૧૬૨૨-૧૯૨૩-૧૬૨૪.
આ જગતમાં દુઃખી જીવો ઘણા છે, અને સુખી જીવો બહુ થોડા છે, એથી જણાય છે કે હે સૌમ્ય (અગ્નિભૂતિ) ! કૃષિ-વાણિજ્ય હિંસા વિગેરે ક્રિયાથી જન્ય અશુભ કર્મરૂપ અદૃષ્ટફળ દુઃખી જીવોને હોય છે, અને દાનાદિ ક્રિયાજન્ય શુભકર્મરૂપ અદષ્ટફળ સુખી જીવોને હોય છે, કારણ કે અશુભક્રિયા કરનારા બહુ વિશેષ હોય છે અને શુભક્રિયા કરનારા બહુ અલ્પ હોય છે.
અગ્નિભૂતિ :- અશુભક્રિયા કરનારાઓને પણ જો અદેખફળ હોય, તો દાનાદિ શુભક્રિયા કરનારાઓની જેમ તેઓ પણ અશુભ અદૃષ્ટફળની ઈચ્છા કેમ કોઈ કરતા જણાતા નથી ?
ભગવત્ત - અષ્ટ અશુભફળવાળી ક્રિયા કોઈપણ બુદ્ધિપૂર્વક આરંભતું નથી, તેથી કોઈ પણ તેની ઈચ્છા કરતા જણાતા નથી. માટે એમ અંગીકાર કર કે સર્વ ક્રિયાઓ એકાંત અષ્ટફળવાળી છે. કારણ કે સવકિયાઓનું અદેખફળ તો એકાન્તિક છે, અને જે ક્રિયાઓનું દૃષ્ટફળ છે, તે તો અનેકાન્તિક છે, એટલે કે કોઈક ક્રિયાનું દષ્ટફળ થાય છે અને કોઈકનું નથી થતું. એ દષ્ટફળનું જે અનેકાન્તિકપણું છે તે પણ અદષ્ટના પ્રભાવથી જ છે એમ માનવું. કેમકે સમાન સાધનથી આરંભેલી સમાન ક્રિયાઓમાં પણ કેટલાકને ફળનો વિઘાત જણાય છે અને કેટલાકને વિઘાત નથી જણાતો, એ બધું અદૃષ્ટ હેતુ સિવાય ઘટે નહી. એ અદૃષ્ટ હેતુ તે કર્મ છે, અને તે ફળની વિષમતાના કારણરૂપે પૂર્વે સિદ્ધ કરેલ છે. કેમકે તુલ્ય સાધનોના ફળમાં પણ જે વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org