________________
૫૦]
બીજા ગણધરનો વાદ.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
શકાય નહીં. અને શરીર વિનાના આત્માને નિયતગર્ભ-નિયતદેશ-અને નિયતસ્થાનની પ્રાપ્તિ પૂર્વક શરીરની પ્રાપ્તિ ઘટે નહીં. કેમકે તેમ થવામાં ત્યાં કોઇ નિયામક કારણ નથી. તે શરીર પ્રાપ્તિમાં સ્વભાવ એ જ કારણ છે, એમ પણ ન કહેવું, કેમકે આગળ તે સ્વભાવવાદ સંબંધી નિરાકરણ કરાશે. માટે તે બાળશરીરની પૂર્વે જે બીજું શરીર અમે કહીએ છીએ તે કાર્પણ શરીર છે, અને કાર્મણ શરીર તે કર્મમય જ છે.
કૃષિક્રિયા જેમ ધાન્યાદિ ફળવાળી છે, તેમ ચેતને આરંભેલ-દાનાદિ ક્રિયાઓ પણ ફળવાળી છે. તેઓનું ફળ તે કર્મ છે. વળી જે ક્રિયા નિષ્ફળ હોય છે, તે ક્રિયા પરમાણુ આદિની ક્રિયાની જેમ ચેતને આરંભેલી પણ નથી હોતી. અહીં દાનાદિ ક્રિયાઓ ચેતને આરંભેલી હોય છે, તેથી તે ફળવાળી હોય જ છે.
અગ્નિભૂતિ :- કેટલીક કૃષિ વિગેરે ક્રિયાઓ ચેતને કરેલી હોય, તે છતાં પણ તે ક્રિયાઓ કોઇ વખત નિષ્ફળ જણાય છે, તો પછી ચેતને કરેલી ક્રિયા ફળવાળી જ હોય એમ કેમ કહી શકાય ?
ભગવત્ત :- ફળના અભિપ્રાયથી તે ક્રિયાનો આરંભ કરેલો છે, પરંતુ એમાં જે કોઇ વખત નિષ્ફળતા જણાય છે, તેમાં તે સંબંધી બરાબર જ્ઞાન ન હોય તેથી, અથવા તે સંબંધી તથા પ્રકારની સામગ્રી ન હોય, તેથી ક્રિયા નિષ્ફળ થતી જણાય છે. તે જ પ્રમાણે દાનાદિ ક્રિયા પણ મનઃશુદ્ધિ વિગેરે સામગ્રી રહિત. હોય, તો તે પણ નિષ્ફળ જ થાય એમાં કંઇ દોષ નથી. પણ જો તેથી ફલ થતું જ ન હોય તો તે ક્રિયા કરવા કોઇ તૈયાર થાય નહીં. ફળના કારણ તરીકે ક્રિયા સિદ્ધ હોવાથી જ તે શરૂ કરે છે, પછી ફલની અપ્રાપ્તિ સહચારિના વૈગુણ્યથી થાય છે.
અગ્નિભૂતિ :- અસ્તુ, તમે કહો છો તેમ દાનાદિ ક્રિયાનું ફળ હો; પરંતુ જેમ કૃષિ વિગેરે ક્રિયાનું ધાન્ય પ્રાપ્તિ વિગેરે દૃષ્ટફળ છે, તેમ તે દાનાદિક્રિયાનું પણ મનઃપ્રસન્નતા વિગેરે દેષ્ટફળ છે, છતાં કર્મરૂપ અદૃષ્ટફળ માનવાથી શો લાભ છે ?
ભગવન્ત :- મનની જે પ્રસન્નતા તે પણ ક્રિયારૂપ જ છે, એટલે દાનાદિ તથા કૃષિ વિગેરે ક્રિયા જેમ ફળવાળી છે, તેમ તે મનની પ્રસન્નતા પણ ફળવાળી છે, અને તેનું ફળ તે કર્મ જ છે. કેમકે કર્મના યોગથી તેના પરિણામ રૂપે દરેક સમયે પ્રાણીઓને વારંવાર જે સુખ-દુઃખરૂપ ફળ ઉત્પન્ન થાય છે અને મનની પ્રસન્નતારૂપ દાનાદિ ક્રિયાનું ફળ, તે પણ કર્મથી જ થાય છે.
અગ્નિભૂતિ :- તમે હમણાં જ કહ્યું કે “દાનાદિ ક્રિયાનું ફળ કર્મ છે” એ ઉપરથી દાનાદિ ક્રિયા જ કર્મનું કારણ છે, એમ કહ્યું અને અહીં હવે મનની પ્રસન્નતા વિગેરેને કર્મનું કારણ કહો છો, તો એ પ્રમાણે કહેવાથી તમારા કથનમાં પરસ્પર વિરોધ આવે છે.
ભગવત્ત :- અમારા કથનમાં વિરોધ નથી. કેમકે મનની પ્રસન્નતા વિગેરે ક્રિયા કર્મનું અનન્તર કરણ છે, અને મનની પ્રસન્નતાનું કારણ દાનાદિ ક્રિયા છે. એટલે કારણના કારણમાં કારણપણાનો ઉપચાર કર્યો છે, તેથી કંઇ દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org