________________
ભાષાંતર ]
બીજા ગણધરનો વાદ.
होज्ज मणोवित्तोए दाणाइकिए व जड़ फलं बुद्धी । तं न निमित्तत्ताओ पिंडो व्व घडस्स विन्नेओ ।। १६१७॥ एवं पि फिलया किरिया न कम्मफला पसत्ता ते । सा तम्मेत्तफल च्चिय जह मंसफलो पसुविणासो || १६१८ ।।
पायं च जीवलोगो वट्टइ दिट्ठप्फलासु किरियासु । अफिलासु पुण वट्टड् नासंखभागोऽवि || १६१९ ।।
દાનાદિ ક્રિયા એ જ મનઃપ્રસન્નતાનું ફળ છે, એવી બુદ્ધિ જો થતી હોય, તો તે અયોગ્ય છે, કેમકે પિંડ જેમ ઘટનું નિમિત્ત છે, તેમ તે પણ તેનું નિમિત્ત છે. એ પ્રમાણે પણ દાનાદિ ક્રિયા દષ્ટફળવાળી થઇ, પરન્તુ તમારા કહેવા મુજબ કર્મરૂપ ફળવાળી ન થઇ. જેમ પશુહિંસા તે માંસભક્ષણરૂપ દેષ્ટ ફળવાળી છે, તેમ તે દાનાદિ ક્રિયા પણ શ્લાઘાદિરૂપ દૃષ્ટફળવાળી છે. અને લોક પણ ઘણું કરીને દૃષ્ટફળવાળી ક્રિયામાં જ પ્રવર્તે છે, અદૃષ્ટફળવાળી ક્રિયામાં તો તેનો અસંખ્યાતમો ભાગ પણ પ્રવર્તતો નથી. ૧૯૧૭-૧૮-૧૯.
[૫૧
અગ્નિભૂતિ :- દાનાદિ ક્રિયાથી મનની પ્રસન્નતા વિગેરે થાય છે, અને તેથી આપવાની ઇચ્છાના પરિણામની વૃદ્ધિ થવાથી પુનઃ પુનઃ તે વ્યક્તિદાન દે છે. આથી મનની પ્રસન્નતાનું ફળ તે દાનાદિ ક્રિયા જ છે, પણ અદૃષ્ટ એવું કર્મ નથી. કારણ કે તે દૃષ્ટફળથી હેતુ સિદ્ધ થાય છે, તો પછી કર્મરૂપ અર્દષ્ટ ફળ માનવાથી શું પ્રયોજન ?
Jain Education International
ભગવન્ત :- એમ નહીં, જેમ માટીનો પિંડ તે ઘટનું નિમિત્ત છે, તેમ દાનાદિ ક્રિયા પણ મનની પ્રસન્નતાનું નિમિત્ત છે. કારણ કે કોઇ સુપાત્રને દાન આદિ કરવાથી ચિત્તને આહ્લાદ વિગેરે થતા જણાય છે. માટે જે જેનું નિમિત્ત હોય, તે તેનું ફળ કહી શકાય નહિ, કેમકે એમ કહેવું એ અતિવિરૂદ્ધ છે.
અગ્નિભૂતિ :- પરન્તુ તમે કહેલ કૃષિઆદિના દૃષ્ટાન્તથી પણ દાનાદિ સર્વ ક્રિયાઓ દ્રષ્ટ ફળવાળી જ સિદ્ધ થાય છે, કર્મરૂપ અદૃષ્ટ ફળવાળી નથી, કેમકે જેમ કૃષિ વિગેરે ક્રિયા ધાન્યાદિ પ્રાપ્તિરૂપ દૃષ્ટફળવાળી છે, તેમ દાનાદિ ક્રિયા પણ પ્રશંસા વિગેરે કોઇપણ દૃષ્ટફળવાળી છે, તો પછી અદૃષ્ટફળવાળી માનવાથી શું પ્રયોજન છે ? કંઇ જ નહીં. સંક્ષિપ્તમાં એટલું જ કહેવાનું છે, કે સર્વ ક્રિયા દૃષ્ટફળવાળીજ છે, એમ માનવું યોગ્ય છે, પરંતુ અર્દષ્ટફળવાળી છે, એમ માનવું યોગ્ય નથી. ઉદાહરણ તરીકે પશુવિનાશરૂપ ક્રિયા માંસપ્રાપ્તિરૂપ દેષ્ટફળવાળીજ છે. કેમકે એવો કોઇ મનુષ્ય નથી, કે તે અધર્મરૂપ પશુહિંસા અદૃષ્ટફળ માટે આરંભે, પરન્તુ માંસભક્ષણરૂપ દેષ્ટફળને માટે જ આરંભે છે. માટે સર્વ ક્રિયા દૃષ્ટફળવાળીજ છે. અને વળી લોકો પણ ઘણે ભાગે કૃષિવાણિજ્ય વિગેરે દષ્ટફળવાળી ક્રિયામાંજ પ્રવૃત્તિ કરે છે. અર્દષ્ટફળવાળી દાનાદિ ક્રિયામાં તો તેનો અસંખ્યાતમો ભાગ પણ પ્રવૃત્તિ કરતો નથી. ઘણાજ અલ્પજનો તેમાં પ્રવૃત્તિ કરે છે. આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે, કે જેમ હિંસાદિ અશુભક્રિયામાં અદૃષ્ટફળનો અભાવ છે, તેમ દાનાદિ શુભક્રિયામાં અદૃષ્ટફળનો પણ અભાવ થશે. ૧૬૧૭-૧૬૧૮-૧૬૧૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org