SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] નામ, સ્થાપના અને દ્રવ્યકરણનું સ્વરૂપ. [૫૦૭ શિષ્ય ઃ- ભગવન્ ! સંજ્ઞા એ નામ જ કહેવાય છે અને જો એમ હોય, તો સંજ્ઞાકરણ અને નામકરણમાં શો ભેદ રહ્યો ? આચાર્ય :- “કરણ” એ અક્ષરત્રયાત્મક કેવળ નામમાત્ર છે, દ્રવ્ય નથી. અથવા કરણરૂપ અર્થરહિત વસ્તુની અંદર સંકેતમાત્રથી “કરણ' એવું નામ કરાય છે, તેને નામકરણ કહેવાય છે, અને પેલુકરણાદિ તો દ્રવ્ય છે, તે તે પુણીકરણાદિરૂપે પરિણામ પામતું હોવાથી ‘કરણ’ શબ્દાર્થથી રહિત નથી, તેમ તે ‘કરણ' શબ્દ અભિધાનમાત્રરૂપ પણ નથી, એ પ્રમાણે નામકરણ અને સંજ્ઞાકરણમાં તફાવત છે. શિષ્ય :- જો સંજ્ઞાકરણ તદર્થશૂન્ય નથી, તો પછી તેને દ્રવ્ય કરણ શાથી કહો છો ? તેને તો ભાવકરણ જ કહેવું જોઇએ. આચાર્ય :- પેલુકરણાદિ સંજ્ઞાકરણ વડે પુણિકાદિરૂપ દ્રવ્ય કરાય છે, તેથી ‘દ્રવ્યનું જે કરણ તે દ્રવ્યકરણ’ એ વ્યુત્પત્તિથી દ્રવ્યકરણ કહેવાય છે અને સંજ્ઞાકરણ તો કરણની રૂઢિથી કહેવાય છે કેમકે લોકમાં એ કરણસંજ્ઞાથી રૂઢ છે. દ્રવ્યના પ્રયોગથી અને વિગ્નસાથી એમ બે પ્રકારે નોસંજ્ઞાકરણ થાય છે. તેમાં કરણરૂપ સંજ્ઞાનો અભાવ હોવાથી તેને નોસંજ્ઞાકરણ કહેવાય છે. શિષ્ય :- જો એમાં કરણસંજ્ઞા નથી, તો તેને કરણ કેમ કહેવાય ? આચાર્ય :- શરીર-અભ્ર-ઇન્દ્રધનુષ આદિમાં કરણસંજ્ઞા નથી, તો પણ તેમાં પ્રયોગ અને વિસસાજનિત કરણક્રિયા હોય છે, તેથી તેની અપેક્ષાએ તેઓનું કરણપણું વિરૂદ્ધ નથી; એમાં અજીવદ્રવ્યોનું વિસ્રસાકરણ સાદિ-અનાદિરૂપ છે . ધર્મ-અધર્મ આકાશાસ્તિકાયનું સંઘાતનકરણ (પ્રદેશોનું પરસ્પર એકત્ર અવસ્થાનરૂપ કરણ) અનાદિરૂપ જાણવું. ૩૩૦૨ થી ૩૩૦૮. હવે ધર્માસ્તિકાયાદિનું કરણપણું સાદિ-અનાદિરૂપે સિદ્ધ કરે છે : Jain Education International करणमणाईयं च विरुद्धं भण्णए न दोसोऽयं । अन्नोन्नसमाहाणं जमिहं करणं न निव्वत्ती ||३३०९ ॥ अहव परपच्चयाओ संजोगाइ करणं नभाईणं । साइयमुवयाराओ पज्जायादेसओ वावि ||३३१०।। चक्खुसमचक्खु चिय साईअं रूविवीससाकरणं । अब्भाणुप्पभिईणं बहुहा संघाय-भेयकयं ।।३३११।। होइ पओगो जीवव्यावारो तेण जं विणिम्माणं । सज्जीवमजीवं वा पओगकरणं तयं बहुहा ॥३३१२ || सज्जीवं मूलुत्तरकरणं मूलकरणं जमाईयं । पंचण्हं देहाणं उत्तरमाइत्तियस्सेव ||३३१३|| For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy