________________
૫૦૪] શુભાશુભ પરિણામ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આલંબનથી થાય છે, તેથી તેમાં આલંબનની અપેક્ષા છે, શુભાશુભ પરિણામ એ ચિત્તનો ધર્મ હોવાથી વિજ્ઞાનની જેમ હમેશાં બાહ્ય આલંબનથી જ પ્રવર્તે છે, તે માટે (મોક્ષાધિકારમાં) બાહ્ય શુભ આલંબનનો પ્રયત્ન છે. ગમે તેવા આલંબનથી શુભ પરિણામ થાય; તો પછી શુભાશુભ આલંબનનો ભેદ પાડવાનું પ્રયોજન શું છે? એમ કહેવામાં આવે, તો જેમ આલંબનરહિત શુભ પરિણામ નથી થતા, તેવી રીતે અશુભ આલંબનથી પણ તે નથી થતા (અન્યથા નીલાદિકનું શુક્લાદિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય.) પરંતુ શુભ આલંબનથી પ્રાયઃ શુભ પરિણામ થાય છે, અને અશુભ આલંબનથી અશુભ થાય છે, તેથી શુભ પરિણામના ગ્રહણ માટે અને અશુભના ત્યાગ માટે યત્ન કરવો જોઈએ. અજ્ઞાની જીવને શુભાલંબનરૂપ મુનિપણામાં પણ શુભ પરિણામ નથી જણાતા, અને નિઃશીલને અશુભાલંબનરૂપ નાસ્તિકપણામાં શુભ પરિણામ જણાય છે, તેથી ઉપર પ્રાયઃ' શબ્દ ગ્રહણ કર્યો છે. જો શુભાશુભ પરિણામથી જ ફળ થાય છે, તો પછી પાત્રાપાત્રનો વિચાર કરવાથી શું? જો શરૂઆતથી જ તેના શુભ પરિણામ હોય, તો શુભ પરિણામના નિમિત્તે શુભ ફળ થાય, પરંતુ ઉન્મત્તની જેમ તેના=નિઃશીલપાત્રના શુભ પરિણામ નથી, કેમકે વિપર્યાસના સદ્ભાવથી તેના તે પરિણામ શુભ નથી. મુનિવેષથી ઢંકાએલા નિઃશીલ મુનિને દાન આપનાર દાતા મુનિદાનનું (સ્વગદિ) ફળ પામે છે, તેવી રીતે કુલિંગીને આપનાર દાતા પણ મુનિદાનનું ફળ કેમ ન પામે ? (એમ પૂછવામાં આવે, તો) મુનિલિંગ એ ગુણોનું સ્થાન છે, તે ગુણોથી તે રહિત હોય, તો પણ પ્રતિમાની જેમ તે પૂજ્ય છે, પરંતુ કુલિંગી તો અયોગ્ય હોવાથી સ્થાનબુદ્ધિથી પણ પૂજવા યોગ્ય નથી. કુલિંગીને વિષે પણ કેવળજ્ઞાન થાય છે, તો પછી સ્થાનબુદ્ધિથી તે કેમ પૂજ્ય ન ગણાય ? એમ કહેવામાં આવે, તો તે કેવળજ્ઞાન ભાવલિંગથી થાય છે, પણ કુલિંગથી નથી થતું કેમકે મુનિલિંગ કેવળજ્ઞાનનું અંગ થાય છે, તેથી તે પૂજ્ય છે. એ કારણથી પરિણામની વિશુદ્ધિ ઇચ્છનારાએ ભવ્ય જીવોના બોધને અર્થે હમેશાં શુભાલંબનથી જિનાદિકની પૂજા કરવી. ૩૨૮૨ થી ૩૨૯૪.
શ્રીનમસ્કાર નિયુક્તિ સમાપ્ત.
હવે સામાયિક સૂત્ર સંબંધી સૂત્રસ્પર્શિક નિયુક્તિ કહે છે :(४६६) कयपंचनमोक्कारो करेइ सामाइयं तु सोऽभिहिओ ।
सामाइयंगमेव य जं सो सेसं अओ वोच्छं ॥३२९५॥१०२६॥ इत्थं य सुत्ताणुगमो सुत्तालावयकओ य निक्लेवो । सुत्तप्फासियनिजुत्तो नया य पइसुत्तमाउज्जा ॥३२९६॥ अणुगंतव् सुत्तं सुत्ताणुगमाणुसारओ तं च । सुत्तं करेमि भंते ! सामाइयमेवमाईयं ॥३२९७॥ तस्स कयप्पयणासो सुत्तप्फासं भणामि तत्थेव । सुत्तालावन्नासं नए य वोच्छामि संभवओ ॥३२९८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org