________________
૪૮૮]
આચાર્ય ભગવાનનું સ્વરૂપ.
आ मज्जायावयणो चरणं चारो त्ति तीए आयारो । સો દોડ઼ નાળ-સા-ચરિત્ત-તપ-વીરિયવિયો ।।રૂ??ગા तस्सायरण- वभासण देसणओ देसिआ विमोक्खत्थं । जे ते भावायरिया भावायारोवउत्ता य ।। ३१९४।।
अहवायरति जं सयमायारेंति व जमायरिज्जंति । मज्जाययाभिगम्मंति जमुत्तं तेणवायरिआ ।।३१९५ ।।
ગાથાર્થ :- નામ-આચાર્ય, સ્થાપના-આચાર્ય, દ્રવ્ય-આચાર્ય અને ભાવ-આચાર્ય એમ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. એક વિકાદિ અથવા લૌકિકમાં શિલ્પ-શાસ્ત્રાદિને જાણનાર દ્રવ્યઆચાર્ય કહેવાય છે, પાંચ પ્રકારના આચારને આચરનાર તથા ઉપદેશ આપનાર અને આચારને બતાવનાર હોવાથી તે આચાર્ય કહેવાય છે. પંચવિધ આચારના વિજ્ઞાનથી અનુપયુક્ત તે આગમથી દ્રવ્યાચાર્ય છે. અને જ્ઞાયક-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત તે એક ભવિક, આચાર્ય થવાનું બાંધેલું આયુષ્ય હોય તે અથવા અપ્રધાન તે નોઆગમથી દ્રવ્યાચાર્ય છે. ‘આ શબ્દ મર્યાદાવાચી છે, ચાર એટલે આચરણ તે મર્યાદાવડે આચરણ કરવું તે આચાર કહેવાય. એ આચાર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એમ પાંચ પ્રકારે જણાવ્યો છે. તે પાંચ પ્રકારના આયાને મોક્ષ માટે જે આચરનાર તેનું કથન કરનાર, ક્રિયાવિધિના દર્શનથી પરમાત્માનો ઉપદેશ કરનાર તે ભાવાચાર ઉપયુક્ત હોવાથી ભાવાચાર્ય કહેવાય છે. અથવા જે સ્વયં સદનુષ્ઠાન આચરે છે, અને બીજા જીવોને આચરણ કરાવે છે; અથવા જે મુમુક્ષુવડે આચરાય છે, અને મર્યાદાવડે પમાય છે, તે કારણથી તે આચાર્ય કહેવાય છે. ૩૧૮૯ થી ૩૧૯૫.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
હવે ઉપાધ્યાય ભગવાનનું સ્વરૂપ કહે છે ઃ
(४५६) नामं ठवणा दविए भावंमि चउव्विहो उवज्झाओ ।
दवे लोइयसिप्पा धम्मे तह अन्नतित्थीया ||३१९६ ।। १०००|| (४५७) बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहे ।
जम्हा तं उवइति उवज्झाया तेण वुच्चंति ।। ३१९७||१००१ || (४५८) उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्स होइ निद्देसे ।
एएण होड़ उज्झा एसो अण्णो वि पज्जाओ ।। ३१९८ ।। १००५ । उवगम्म जओऽहीयइ जं चोवगयमज्झयाविंति ।
जं चोवायज्झाया हियस्स तो ते ऊवज्झाया ।। ३१९९ ।।
Jain Education International
आयारदेसणाओ आयरिया विणयणादुवज्झाया । अत्थपदायगा वा गुखो सुत्तस्सुवज्झाया || ३२०० |
ગાથાર્થ :- નામ-ઉપાધ્યાય, સ્થાપના-ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. (નામ-સ્થાપનાઉપાધ્યાય સુગમ છે.) લૌકિક શિલ્પાદિનો ઉપદેશ
For Private & Personal Use Only
www.jainelibrary.org