________________
ભાષાંતર] સિદ્ધની ઉર્ધ્વગતિ.
[૪૮૭ (४५१) अलोगे पडिहया सिद्धा लोयग्गे य पईट्टिया ।
इहं बोंदिं चइत्ताणं तत्थ गंतूण सिज्ाइ ॥३१५९॥९५९॥ जमहिं बोंदिच्चाओ तदेव सिद्धत्तणं च जं चेहं । तस्साहणं ति तो पुव्वभावनयओ इहं सिद्धी ॥३१६०॥ जेण ऊ न बोंदिकाले सिद्धो चायसमए य जं गमणं । पच्चुप्पण्णनयमयं सिज्झइ गंतूण तेणेह ॥३१६१॥ अत्थीसिपब्भारोवलक्खियं मणुयलोगपरिमाणं ।
लोगग्गनभोभागो सिद्धिक्खेत्तं जिणक्खायं ॥३१६२॥ ગાથાર્થ :- ગતિમાનની ગતિનો વિઘાત અવશ્ય થાય છે, અને તે ગતિવિઘાતનું કારણ પણ અવશ્ય હોય છે, તથા જેથી નિષિદ્ધ ગતિવાળાનું અવસ્થાન અને ગમન થાય છે, (તે અવશ્ય કહેવું જોઈએ, તેથી તે સંબંધી પૃચ્છા કરવી જોઈએ. સિદ્ધાત્મા ક્યાં પ્રતિહત થાય છે ? તથા
ક્યાં પ્રતિષ્ઠિત છે? ક્યા સ્થાનમાં શરીર તજીને ક્યાં જઈને સિદ્ધિ પામે છે? (એ સઘળી પૃચ્છાનો ઉત્તર એ છે કે, સિદ્ધાત્મા અલોકમાં પ્રતિહત છે, લોકાગ્રે પ્રતિષ્ઠિત છે, અહીં તિછલોકમાં શરીર તજીને ત્યાં જઈ મોક્ષને પામે છે. અહીં શરીરનો ત્યાગ એ જ સિદ્ધપણું છે; કેમકે સમ્યકત્વપ્રાપ્તિ વગેરેનું કારણ અહીં જ છે. તેથી પૂર્વભાવનય (કોઈ વ્યવહારનય વિશેષ)ની અપેક્ષાએ અહીં જ સિદ્ધિ છે, પરંતુ શરીરત્યાગના સમયે સિદ્ધિ નથી, કેમકે શરીર-ત્યાગના સમયે તો ગમન છે; તેથી પ્રત્યુત્પન્નનયના મતે (ઋજુસૂત્રાદિ નિશ્ચયનયના મતે) સિદ્ધિક્ષેત્રમાં જઈને સિદ્ધિ પામે છે. (અહીં કિં “સિદ્ધના' ઈત્યાદિથી આરંભીને “ભવ૩ો સિદ્ધો') ઈત્યાદિ પર્યત સત્તર ગાથાઓ છે, તે છઠ્ઠા ગણધરવાદમાં વિસ્તારથી કહી છે, તેથી અહીં ફરી નથી કહેતા. ઈષધ્ધાશ્મારા નામથી પ્રસિદ્ધ, મનુષ્યલોકના પ્રમાણે લોકના અગ્રભાગે જિનેશ્વરે કહેલું સિદ્ધિક્ષેત્ર છે, ત્યાં ગયેલ મુક્તાત્મા સિદ્ધિ પામે છે. ૩૧૫૭ થી ૩૧૬૨.
આ સ્થળે ફુસી ઈત્યાદિથી માંડીને ૩ESા ઈત્યાદિ ગાથાપર્યત પંદર ગાથાઓ નિર્યુક્તિની છે, તે સુગમ હોવાથી ભાષ્યકારે તેની વ્યાખ્યા નથી કરી તે જાણવાની ઈચ્છાવાળાએ મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવી. હવે સિદ્ધ ભગવાનની અવગાહના સંબંધી કહે છે.
देहत्तिभागो सुसिरं तप्पूरणओ तिभागहीणो त्ति । સો ગોપનિરો લય નામો સિક્કો વિ તવત્યો ll૩૬રૂા.(૩૮ર૪) संहारसंभवाओ पएसमेत्तम्मि किं न संठाइ ?। सामत्थाभावाओ सकम्मयाओ सहावाओ ॥३१६४॥ सिद्धो वि देहरहिओ सपयत्ताभावओ न संहरइ । अपयत्तस्स किह गई, नणु भणियाऽसंगयाईहिं ॥३१६५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org