________________
भाषांतर] ઉપયોગઢયની સિદ્ધિ.
[४७९ काऊं सिद्धग्गहणं बहुवत्तव्बयपंदेसु सब्बेसु । इह केवलमग्गहणं जइ तो तं कारणं वच्चं ? ॥३१२७॥ अहवा विसेसियं चिय जीवाभिगमम्मि एय-मप्पबहुं । दुविह त्ति सबजीवा सिद्धासिद्धाइआ जत्थ ॥३१२८॥ सिद्ध सइंदियकाए जोए वेए कसाय लेसा य । नाणुवओगाहारय-भासय-ससरीर-चरिमे य ॥३१२९॥ अंतोमुत्तमेव य कालो भणिओ तहोवओगस्स । साई अपज्जवसिउ त्ति नत्थि कत्थइ विणिद्दट्ठो ॥३१३०॥ जह सिद्धाइयाणं भणियं साईअपज्जवसियत्तं । तह जइ उवओगाणं हवेज्ज तो होज्ज ते जुगवं ॥३१३१॥ कस्स व नाणुमयमिणं जिणस्स जइ हज्ज दो वि उवओगा। नूणं न हुंति जुगवं जओ निसिद्धा सुए बहुसो ? ॥३१३२॥ नवि अभिनिवेसबुद्धि अम्हं एगंतरोवओगम्मि । तह वि भणिमो न तीरइ जं जिणमयमन्नहा काऊं ॥३१३३॥ जइ नन्नोन्नावरणं नाकारणया कहं तदावरणं । एगंतरोवओगे जिणस्स तं भण्णइ सहावो ॥३१३४॥ परिणामियभावाओ जीवत्तं पिव सहाव एवायं ।
एगंतरोवओगो जीवाणमणण्णहेउ त्तिं ॥३१३५॥ અથવા અહીં એવી બુદ્ધિ થાય, કે એ સૂત્ર તો છઘસ્થ જીવોની અપેક્ષાએ છે, કેવળી સંબંધી નથી; તો તે અયોગ્ય છે, કેમકે સર્વ જીવોની સંખ્યાનો એ અધિકાર છે. સર્વ જીવોની સંખ્યા સંબંધી એ અધિકાર ન હોય તો અલ્પબદુત્વ-વક્તવ્યતા સંબંધી સર્વ પદોમાં સિદ્ધને પૃથક ગ્રહણ કરીને અહીં જ જો માત્ર તેનું ગ્રહણ ન કર્યું હોય, તો તેનું કારણ કહો ? અથવા એ અલ્પબદુત્વ જીવાભિગમ સૂત્રમાં કહેલું જ છે, કે સિદ્ધ અને અસિદ્ધાદિ જીવો બે પ્રકારે છે, એમ સૂત્રમાં કહેલું છે. તે સૂત્રની ગાથા આ પ્રમાણે છે. સિદ્ધ-અસિદ્ધ, સેંદ્રિય-અનિદ્રિયા, કાય-અકાય ઈત્યાદિ સર્વ જીવને આશ્રયીને સૂત્ર કહેલું છે. તથા જ્ઞાન-અજ્ઞાન અને દર્શનનો ઉપયોગકાળ સર્વત્ર અન્તર્મુહૂર્તનો જ કહ્યો છે, કોઈ પણ સ્થળે સાદિ-અપર્યવસિત નથી કહ્યો. જેમ સિદ્ધાદિ ભાવોનું સાદિઅપર્યવસિતપણું કહ્યું છે, તેવી રીતે જો ઉપયોગનું (સાદિ અપર્યવસિતપણું કહ્યું હોત, તો યુગપદ્ ઉભય ઉપયોગ હોત, પરંતુ તેમ નથી માટે યુગપદ્ નથી, કેમકે સિદ્ધાંતમાં તેનો ઘણીવાર નિષેધ કર્યો છે. વળી અમને એકાંતર ઉપયોગ માનવામાં અભિનિવેશ બુદ્ધિ નથી, તો પણ કહીએ છીએ કે જે જિનેશ્વરનો મત છે, તેને અન્યથા કરવાને અમે શક્તિમાન નથી. જો (૩૧૦૩ મી ગાથામાં કહ્યા મુજબ) અન્યોન્ય આવરણ નથી અને અકારણતા પણ નથી, તો કેવી રીતે તેને આવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org