________________
ભાષાંતર) “નવા વે ક્ન” ઇત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. [૪૯૩
શિષ્ય - વેદનીયાદિ કર્મ અતિ બહુ અને આયુષ થોડું છે. એવો નિયમ શા કારણથી છે ? એથી ઉલટું આયુષ અતિ બહુ અને વેદનીય થોડું એવો નિયમ કેમ નથી?
આચાર્ય - આયુષના બંધનો પરિણામ કોઈ એવા જ પ્રકારનો છે, કે જેથી છેવટે તે આયુષ વેદનીય આદિ કર્મની અપેક્ષાએ થોડું અથવા સમાન રહે છે, પરંતુ અધિક નથી હોતું કારણ કે આયુષનો બંધકાળ અંતર્મુહૂર્ત માત્ર હોવાથી બંધ પરિણામના સ્વભાવથી તેનો અધ્રુવ બંધ થાય છે, અને વેદનીયાદિ કર્મ ધ્રુવબંધી હોવાથી તેના બંધનો પરિણામ તેવો નથી. તેથી આયુષ જ થોડી સ્થિતિવાળું રહે છે, વેદનીયાદિ કર્મ તેવું નથી રહેતું.
કેવળીસમુઘાત પામેલો જીવ આયુષથી અધિક વૈદનીય આદિ કર્મોનું અપવર્તન કરીને બંધન વડે અને સ્થિતિવડે આયુષની સમાન કરે છે. અહીં બંધન તે કર્મ દ્રવ્ય જાણવાં અને સ્થિતિ તે કાળ સમજવો. વિશિષ્ટદલિકના નિષેકવડે સમાન કરીને સર્વ કર્મને અન્તર્મુહૂર્તની સ્થિતિવાળાં કરે છે, એટલે કે વેદ્યમાન આયુષના જેટલા સમય અવશેષ હોય તેટલા સમય પ્રમાણ ગુણશ્રેણિવડે પ્રતિસમય અસંખ્યાતગુણા દલનિષેકે કરીને વેદનીયાદિ ત્રણેય કર્મને ખપાવતા ચરમ સમયે સર્વ કર્મોને ખપાવે છે.
વેદનીય આદિ ત્રણ કર્મને ખપાવવાની ગુણશ્રેણિની સ્થાપના આ પ્રમાણે છે. ગુણશ્રેણી સ્થાપના ચરમ સમયે 000000000 000000000 000000000 ચરમ સમયે
00000000 00000000 00000000 ચરમ સમયે OOOOOOO 0000000
OOOOOOO ચતુર્થ સમયે 000000 000000
૦૦૦૦૦૦ તૃતીય સમયે
00000 00000
00000 દ્વિતીય સમયે
૦૦૦૦ ૦૦૦૦
0000 પ્રથમ સમયે
O૦૦
૦૦૦ આયુષ્યની ગુણશ્રેણિ થતી નથી. તે તો જેવું બાંધ્યું હોય તેવું જ વેદાય છે. તેથી તેની સ્થાપના નીચે મુજબ છે. ચરમ સમયે
000 ચરમ સમયે
OOOO ચરમ સમયે
00000 ચતુર્થ સમયે
000000 તૃતીય સમયે
૦૦૦૦૦૦૦ દ્વિતીય સમયે
00000000 પ્રથમ સમયે
OOOOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org