SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પ્રરૂપણા દ્વાર અને “નમસ્કાર શું છે?” તે દ્વાર. [૪૩૩ કરનાર પૂજ્યના મૃત્યભાવને પામે છે, એટલે તે નમસ્કાર કરનારની દાસ અને ખરની ઉપમાવાળા નમસ્કારમાં શી ચિન્તા કરવી ? શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવો, તેથી તે જીવનો નમસ્કાર કહેવાય, જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરવાથી અજીવનો નમસ્કાર, યતિઓને નમસ્કાર કરવાથી જીવોનો નમસ્કાર, તેમની પ્રતિમાઓને નમસ્કાર કરવાથી અજીવોનો નમસ્કાર, યતિને અને પ્રતિમાને સાથે નમસ્કાર કરવાથી જીવનો તથા અજીવનો નમસ્કાર, યતિને અને પ્રતિમાઓને સાથે નમસ્કાર કરવાથી જીવનો અને અજીવોને નમસ્કાર, યતિઓને અને પ્રતિમાને એકીસાથે નમસ્કાર કરવાથી જીવોનો તથા અજીવનો નમસ્કાર, યતિઓને અને પ્રતિમાઓને એકીસાથે નમસ્કાર કરવાથી જીવનો તથા અજીવનો નમસ્કાર છે. જીવ એ નમસ્કાર છે, એમ સર્વને સંમત છે, તો પછી એ ભેદ શા માટે ? અહીં વિદ્યમાન જીવના અને નમસ્કારના સ્વામિત્વનો વિચાર કરાય છે, તેથી તે ભેદ છે. ૨૮૭૦ થી ૨૮૭૭. વિવેચન :- નમસ્કાર પામતા જીવો એક અથવા અનેક હોય છે, એમ સંગ્રહનય સિવાયના બધા નયો માને છે અને પૂર્વપ્રતિપન્ન નમસ્કારવાળા જીવો તો અવશ્ય અનેક હોય છે, એમ તે નયો માને છે; કેમકે ચારે ગતિમાં પૂર્વપ્રતિપન્ન સમ્યગુદૃષ્ટિ જીવો સદાકાળ અસંખ્યાતા હોય છે. સંગ્રહનય સામાન્યવાદી હોવાથી ઉભયપક્ષમાં બહુત્વ નથી માનતો આ ઉપરથી “નમસ્કાર કોનો છે?” એ પ્રશ્નના ઉત્તરમાં એક જીવ અથવા અનેક જીવ નમસ્કારના સ્વામી છે, એમ સિદ્ધ થયું. શિષ્ય :- નમસ્કારનો સ્વામી જીવ છે, તો તે નમસ્કાર કરવા યોગ્ય પૂજ્ય જીવ સ્વામી છે, કે નમસ્કાર કરનાર જીવ સ્વામી છે ? આચાર્ય :- તારા એ પ્રશ્નનો જવાબ નયના વિચારથી આપવો જોઇએ. તેમાં પ્રથમ નૈગમ તથા વ્યવહારનયના અભિપ્રાય પ્રમાણે નમસ્કાર કરવા યોગ્ય-પૂજ્ય આત્મા નમસ્કારનો સ્વામી છે, પણ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી, કારણ કે નમસ્કાર પૂજ્યને અપાય છે. જેમ લોકમાં પણ ભિક્ષા કોની છે? યતિની છે, પણ આપનારની નથી એમ કહેવાય છે તેવી રીતે અહી પણ સમજવું. અથવા ઘટના પોતાના રૂપાદિ ધર્મો, ઘટની અંદર ઘટની પ્રતીતિ કરાવનાર હોવાથી ઘટના પર્યાયો છે; તેમ નમસ્કાર પણ પૂજ્યની અંદર “આ પૂજ્ય છે” એવી પ્રતીતિ કરાવનાર હોવાથી તે પૂજ્યનો પર્યાય છે. અથવા ઘટ સંબંધી જ્ઞાન અને તેનું કથન ઘટના હેતુ હોવાથી ઘટના પર્યાય છે. તેવી જ રીતે નમસ્કાર કરવા યોગ્ય અરિહંતાદિકને જોવાથી ભવ્યજીવને વિશિષ્ટ ઉલ્લાસથી નમસ્કાર કરવાનો ભાવ ઉત્પન્ન થાય, તેથી તે પૂજય આત્મા નમસ્કારનો હેતુ હોવાથી નમસ્કાર પૂજ્યનો પર્યાય છે. વળી નમસ્કાર જીવ, નમસ્કાર કરનાર તે પૂજ્ય આત્માનું દાસત્વ પામે છે, તેથી દાસ અને ખરની ઉપમાવાળા તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. કારણ કે જેમ-“રાન મેં અરે દીવો રાસ વિ મેં અરવિ ” નોકરે મારા માટે ખર ખરીદ્યો, તે દાસ પણ મારો છે અને ખર પણ મારો છે.” આ સિદ્ધાંતોક્ત ન્યાયથી દાસ જેવો નમસ્કાર અને ખર સમાન નમસ્કાર એ બંને પૂજ્ય આત્મા અહંદાદિકના જ છે, પણ નમસ્કાર કરનારના નથી. પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy