________________
ભાષાંતર ]
નામાદિ નમસ્કારનો નયોદ્વાર વિચાર.
[૪૨૯
પછી વિશિષ્ટ ઈન્દ્રાદિ આકારયુક્ત સ્થાપના જે ઈન્દ્રાદિ અભિપ્રાયના કારણભૂત છે, તેને તે કેમ ન માને ? અર્થાત્ કે જે નય અનાકાર એવા દ્રવ્યને ભાવહેતુક માનીને ઈચ્છે છે, તે નય જે ઈન્દ્રાદિ ભાવના હેતુભૂત સાકાર સ્થાપના છે, તેને કેમ ન માને ? માને છે જ.
અથવા નામ સંજ્ઞામાત્ર હોય, કે તે નામથી વાચ્ય હોય, અથવા ઈન્દ્રાદિ અર્થ રહિત તે નામ હોય. તો પણ તે નામ ભાવનું કારણ હોવાથી ઋસૂત્ર નય તે નામને માને છે, તો પછી દ્રવ્ય અને સ્થાપના પણ ભાવનું કારણ હોવાથી તેને તે કેમ ન માને ? માને જ. ઈન્દ્રાદિક સંજ્ઞારૂપ નામ ભાવ-ઈન્દ્રમાં છે, તેથી ઋજાસૂત્રનય નામને ઈચ્છે છે. એમ કહેવામાં આવે, તો દ્રવ્ય અને સ્થાપના પણ ભાવ-ઈન્દ્રમાં વધારે નજીકના હેતુ છે, અને શબ્દ રૂપ નામ તો બાહ્યતર હેતુ છે. અર્થાત્ કે ઈન્દ્રમૂર્તિરૂપ દ્રવ્ય અને તેની વિશિષ્ટઆકૃતિરૂપ સ્થાપના એ બંને ઈન્દ્રરૂપ પર્યાયના તાદાત્મ્ય સંબંધે રહેલા હોવાથી વધારે નજીકના હેતુ છે અને નામરૂપ શબ્દ તો વાચ્ય-વાચકભાવ માત્રના સંબંધરૂપે જ રહેલ હોવાથી બાહ્યતર હેતુ છે, તેથી દ્રવ્ય-સ્થાપનાનામ કરતા ભાવમાં વધારે નજીકના હેતુ હોવાથી ઋજીસૂત્રનય તે બન્નેને ઈચ્છે છે જ.
સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના સિવાય ત્રણ નિક્ષેપાને માને છે. એમ જે કેટલાક કહે છે, તેના ઉત્તરમાં હવે કહીએ છીએ કે - સંગ્રહિક અથવા અસંગ્રહિક સર્વે નૈગમનય વિવાદરહિત સ્થાપનાને ઈચ્છે છે. તેમાં સંગ્રહનયના મતાનુસારી સંગ્રહિક નૈગમ સામાન્યવાદી છે, અને વ્યવહારનયના મતાનુસારી અસંગ્રહિક નૈગમ વિશેષવાદી છે, આ બેમાં સંગ્રહનયાનુસારી સંગ્રહિક નૈગમ સ્થાપનાને ઈચ્છે છે, તો પછી તેના જેવી માન્યતાવાળો સંગ્રહનય પણ સ્થાપનાને કેમ ન ઈચ્છે ? ઈચ્છે જ. અહીં કદાચ એમ કહેવામાં આવે કે સામાન્યથી સર્વ નૈગમ સ્થાપનાને ઈચ્છે છે, પણ વિશેષ વ્યાખ્યાનથી અસંગ્રહિક નૈગમ સ્થાપનાને ઈચ્છે છે. સંગ્રહ નૈગમ નથી ઈચ્છતો એમ સમજવું, તેથી કરીને સંગ્રહનયને સ્થાપનાનો નિષેધ નથી. આ પ્રમાણે કહેવામાં આવે, તો એક બાજુ સાંધતા બીજી બાજુ તૂટશે. કેમકે એ પ્રમાણે તો વ્યવહારનય પણ અસંગ્રહિક નૈગમનયની સમાન વિશેષવાદી હોવાથી સ્થાપનાને માનશે જ, પરંતુ “સ્થાપના સિવાય ત્રણ નિક્ષેપાને સંગ્રહ તથા વ્યવહારનય માને છે.' એ કથનથી વ્યવહારનયને સ્થાપનાનો નિષેધ જણાવ્યો છે. સંપૂર્ણ નૈગમ સ્થાપનાને ઈચ્છે છે, પણ સંગ્રહિક-અસંગ્રહિકના ભેદથી તે નથી ઈચ્છતો, તેથી કરીને સંગ્રહ અને વ્યવહાર પણ સ્થાપનાને નથી માનતા એમ કહેવામાં આવે, તો એ બે નયો એકબીજાની અપેક્ષા વિના ભલે સ્થાપના ન માને, પણ તે બન્ને સમુદીતનયો નૈગમનયરૂપ હોવાથી સ્થાપના માનશે જ. કેમકે તે પ્રત્યેક નય નૈગમથી ભિન્ન નથી.
અથવા પૂર્વે નો સામન્નગાદિ સો નેગો સંગર્દ નો ઈત્યાદિ ગાથાવડે સંગ્રહ તથા વ્યવહારનયમાં નૈગમનયનો અંતર્ભાવ કહેલ છે, તદનુસાર પણ સંગ્રહ-વ્યવહારનય સ્થાપનાનેમાને છે, કારણ કે જેમ સ્થાપનાને માનનાર નૈગમનયનો એ બે નયમાં અંતર્ભાવ થાય છે, તેવી રીતે તેની સ્થાપનાની માન્યતાનો પણ તે બે નયમાં અંતર્ભાવ થાય છે. એટલે કે સ્થાપના-સામાન્યને સંગ્રહ ઈચ્છે છે અને સ્થાપના-વિશેષને વ્યવહાર ઈચ્છે છે, એમ માનવું યોગ્ય છે, પરંતુ સર્વથા તે બે નયો તેને નથી માનતા એમ કહેવું તે યોગ્ય નથી. કારણ કે સામાન્યાદિ વિશિષ્ટ બહુ પ્રકારના બાહ્ય વસ્તુધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org