SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮] નામાદિ નમસ્કારનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ जं च पवेसो नेगमनयस्स दोसु बहुसो समक्खाओ। तो तम्मयं पि भिण्णं मयमियरेसिं विभिन्नाणं ॥२८५४॥ सामण्णाइविसिटुं बझं पि जमुज्जुसुत्तपज्जंता । इच्छंति वत्थुधम्म तो तेसिं सवनिक्लेवो ॥२८५५॥ ત્રણ શબ્દનો શુદ્ધપણાથી ભાવનમસ્કારને જ ઈચ્છે છે, અને શેષ ઋજુસૂત્ર સુધીના ચાર નયો ચારે નિક્ષેપાને ઈચ્છે છે, તથા કેટલાકના મતે સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના સિવાયના ત્રણ નિક્ષેપાને ઈચ્છે છે. અને ઋજુસૂત્ર નય દ્રવ્ય અને સ્થાપનાનિક્ષેપને છોડીને બે નિક્ષેપાને જ માને છે. આ વ્યાખ્યાન યોગ્ય નથી, કેમકે તે દ્રવ્યને માને છે એમ શ્રુતમાં કહ્યું છે, પરંતુ તે તેને જુદું નથી માનતો. વળી તે ઋજુસૂત્રનય ભાવહેતુક અનાકારદ્રવ્યને ઈચ્છે છે, તો પછી ભાવહેતુક સાકાર સ્થાપનાને તે કેમ ન ઈચ્છે? “નામ' એ સંજ્ઞાથી વાચ્ય અર્થ અથવા તે અર્થથીશૂન્ય નામ ભાવનો હેતુ હોવાથી જુસૂત્ર તેને ઈચ્છે છે, તો દ્રવ્ય અને સ્થાપનાને કેમ ન ઈચ્છે ? નામ ભાવની અંદર સંનિહિત છે, તેથી તેને ઈચ્છે છે અને દ્રવ્ય-સ્થાપનાને નથી ઈચ્છતો એમ કહેવામાં આવે, તો દ્રવ્ય-સ્થાપના પણ ભાવના વધારે નજીકના હેતુ છે, અને શબ્દનો બાહ્યહેતુ છે, તેથી તે બન્નેને તે ઈચ્છે છે જ. સંગ્રહિક-અસંગ્રહિક આદિ સર્વ નિગમનય સ્થાપનાને ઈચ્છે છે. જો સંગ્રહિકનૈગમ સ્થાપનાને ઈચ્છે છે, તો પછી સંગ્રહનય તેને કેમ ન ઈચ્છે? (ઈચ્છે જ) અથવા અસંગ્રહિક નૈગમ સ્થાપનાને ઈચ્છે છે. સંગ્રહિક નથી ઈચ્છતો. એમ કહેવામાં આવે, તો વ્યવહાર પણ તેવા જ ધર્મવાળો છે. તે પણ સ્થાપનાને કેમ નથી ઈચ્છતો ? સંપૂર્ણ નિગમ સ્થાપનાને ઈચ્છે છે એમ કહેવામાં આવે, તો તેના સમાન ધર્મવાળા તે બન્ને નય(સંગ્રહ-વ્યવહાર) સ્થાપનાને ઈચ્છે એ યોગ્ય જ છે. સંગ્રહ તથા વ્યવહારનયમાં નૈગમનયનો અન્તર્ભાવ પૂર્વે ઘણીવાર કહ્યો છે, તેઓના મતે પણ ભિન્નપણે અને સામાન્યપણે તેઓ સ્થાપનાને ઈચ્છે છે જ. સામાન્યાદિ વિશિષ્ટ જે બાહ્યવસ્તુધર્મને ઋજુસૂત્ર સુધીના નો ઈચ્છે છે, તેથી તેઓને પણ નામાદિ સર્વ નિક્ષેપ માય છે. ૨૮૪૭ થી ૨૮૫૫. વિવેચન - શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો શુદ્ધ હોવાથી કેવલ ભાવનમસ્કારને જ માને છે, અને બાકીના ઋજુસૂત્ર સુધીના ચાર ગયો અશુદ્ધ હોવાથી નામાદિ ચારે પ્રકારના નમસ્કારને ઈચ્છે છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપના કેવળ સાંકેતિક નામમાત્ર હોવાથી તેનો નામમાં જ અંતર્ભાવ થાય છે, તેથી સ્થાપના વિના બાકીના ત્રણ નિપાને જ સંગ્રહ તથા વ્યવહાર ન માને છે; વળી ઋજુસૂત્ર નય દ્રવ્ય અને સ્થાપના સિવાય બાકીના બે નામ તથા ભાવનિક્ષેપાને જ માને છે. તેઓની આ માન્યતા અયોગ્ય છે, કેમકે ઋજુસૂત્ર નય દ્રવ્યને ઈચ્છે છે, પણ તે જુદું નથી ઈચ્છતો. અનુયોગદ્વારમાં એ માટે કહ્યું છે કે - “3નુસુયર ને ૩yવત્તે ૩મો ને હાવરા પુહુર્ત નેચ્છ” ઋજુસૂત્રનયના મતે અનુપયોગી એવા એક આગમથી દ્રવ્યાવશ્યકને ભિન્ન નથી માનતો.” વળી આ નય સ્થાપના-નિક્ષેપને પણ માને છે. કેમકે પિંડાવસ્થામાં તથાવિધ કડાં-કેયુરાદિ આકાર-રહિત સુવર્ણાદિ દ્રવ્યને, તથાવિધ કેયુરાદિપર્યાયરૂપ ભાવ હેતુક હોવાથી માને છે, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy