________________
ભાષાંતર ]
ગૌતમ ગણધરનો વાદ.
अत्थिदिय-विसयाणं आयाणादेयभावओऽवरसं । कम्मार इवादाया लोए संडास - लोहाणं ।। १५६८ ।। भोत्ता देहाईणं भोज्जत्तणओ नरो व्व भत्तस्स । संघायाइत्तणओ अत्थि य अत्थी घरस्सेव ।। १५६९ ।।
તું એમ માને છે કે લિંગ સાથે લિંગી પૂર્વે કોઇએ ગ્રહણ નથી કરેલ, તેથી સસલાના શીંગડાની જેમ લિંગથી તે આત્મા અનુમેય નથી (તારું એ કથન અયોગ્ય છે, કેમકે) તે હેતુ અનેકાન્તિક દોષવાળો છે. કારણ કે લિંગ સાથે પૂર્વે નહિ જોયેલ એવી પણ પિશાચગૃહીતતા તેના લિંગો જોવાથી, શરીરમાં કોઇ પિશાચાદિ છે, એમ અનુમાનથી જ્ઞાત થાય છે. વળી શરીર ઘટની જેમ પ્રતિનિયત આકારવાળું હોવાથી, તેનો કર્તા કોઇ છે, તથા ઇન્દ્રિયો દંડાદિની જેમ કરણભૂત હોવાથી કુંભારની જેમ તેનો કોઇ અધિષ્ઠાતા છે, વળી લોકમાં સાંડસા અને લોખંડની પેઠે ઇન્દ્રિય અને વિષયોનો આદાન-આદેયભાવ હોવાથી, લુહારની જેમ ત્યાં કોઇ આદાતા (ગ્રહણ કરનાર) હોવો જોઇએ. તથા શરીરાદિક આહારાદિની જેમ ભોગ્ય હોવાથી મનુષ્યની જેમ તેનો કોઇ ભોક્તા હોવો જોઇએ. અને ઘરની જેમ શરીર સંઘાતાદિરૂપ હોવાથી તેનો કોઇ સ્વામી પણ હોવો જોઇએ. ૧૫૬૫ થી ૧૫૬૯.
હે ગૌતમ ! તું એમ માને છે કે લિંગથી લિંગી આત્મા-અનુમેય નથી. કેમકે સસલાના શીંગડાની જેમ કોઇએ પણ પૂર્વે કોઇપણ લિંગથી લિંગી આત્મા જાણેલ નથી. એટલે લિંગ-લિંગીનો પૂર્વ સંબંધ ગ્રહણ ન થવાથી લિંગવડે આત્મા અનુમેય નથી. તારી આ માન્યતામાં હેતુ અનેકાન્તિક છે, કેમકે ભૂત વળગેલાના લિંગની સાથે લિંગી ભૂતાદિ પૂર્વે નહિ જોવા છતાં પણ અકારણ હાસ્યગાયન-રૂદન-હાથ-પગ-ભ્રકુટી આદિના વિકારરૂપ લિંગ દર્શનથી શરીરમાં ભૂત આદિ છે, એમ અનુમાન કરાય છે. અને તે બાળકોને પણ પ્રતીત છે.
૫
[૩૩
વળી શરીર આદિમાન્ અને પ્રતિનિયત આકારવાળું હોવાથી, ઘટની જેમ તેનો કોઇ કર્તા છે, જેનો કોઇ કર્તા નથી, તે આકાશની પેઠે આદિમાન્ અને પ્રતિનિયત આકારવાળું હોતું નથી. અહીં શરીરનો જે કર્તા છે, તે આત્મા છે. પ્રતિનિયત આકાર મેરૂ આદિનો છે, પણ તેનો કોઇ કર્તા નથી. માટે ઉપરોક્ત હેતુ અનેકાન્તિક છે, એમ ન કહેવું, કારણ કે તે સાથે આદિમાન્ વિશેષણ પણ જોડવું, એટલે એ દોષ નહિ આવે. તથા જેમ ચક્ર-ચીવર-માટી-સૂત્ર-દંડ વિગેરે કરણોનો અધિષ્ઠાતાસ્વામી કુંભાર છે, તેમ ઇન્દ્રિયો પણ કરણભૂત હોવાથી તેનો કોઇ સ્વામી છે, જે સ્વામિથી રહિત છે, તે આકાશની જેમ કરણ નથી, અહીં કરણભૂત ઇન્દ્રિયોનો જે સ્વામી છે, તે આત્મા છે. તથા જેમ લોકમાં સાણસો અને લોખંડને ગ્રહણ કરનાર લુહાર છે, તેમ જ્યાં જ્યાં આદાન-આદેયભાવ છે, ત્યાં ત્યાં તેનો ગ્રહણ કરનાર અવશ્ય હોવો જોઇએ. અહીં ઇન્દ્રિય અને વિષયોનો આદાનઆદેય ભાવ છે, તેથી તેનો આદાન ગ્રહણ કરનાર કોઇપણ છે, અને તે જે છે, તે આત્મા છે. આથી વિપરીત જ્યાં આદાતા ગ્રહણ કરનાર નથી; ત્યાં આકાશની પેઠે આદાનઆદેયભાવ પણ નથી. વળી ભોજન-વસ્ત્ર વિગેરે ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પુરુષ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org