________________
૩૧૪] છેડાયેલ અવયવીમાં જીવની સિદ્ધિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
રોહગુપ્ત - જીવ પુગલસ્કંધની જેમ અવયવવાળો હોવાથી, તેને સંઘાતભેદ ધર્મવાળો માનવામાં આવે તો શું દોષ છે? જેમ કોઈ પુદ્ગલસ્કંધમાં અન્યયુગલસ્કંધનો ખંડ-અંશ આવીને મળે છે અને તેમાંનો કોઇક ખંડ છૂટો પડીને અન્યત્ર પણ જાય છે, તેવી રીતે એક જીવમાં બીજા જીવનો અંશ આવીને મળે, અને તેનો કોઈ અંશ છૂટો પડી જાય, એ પ્રમાણે સંઘાતભેદધર્મવાળો જીવ માનવાથી તેના અંશનો નાશ થવા છતાં પણ અન્ય અંશનો સંઘાત-સંબંધ થવાથી તેનો સર્વથા નાશ નહિ થાય.
આચાર્ય - એમ માનવાથી વિશ્વમાં રહેલા સર્વ જીવોને પરસ્પર સુખાદિ ગુણની સંકરતા થાય કારણ કે જ્યારે એક જીવનો શુભાશુભ કર્મયુક્ત અંશ અન્ય જીવની સાથે સંબંધ પામે, ત્યારે તેનો સુખાદિગુણ અન્યને પ્રાપ્ત થાય અને અન્ય જીવનો અંશ તેની સાથે સંબંધ પામે, ત્યારે તે અન્યના સુખાદિ તેને પ્રાપ્ત થાય. આ પ્રમાણે સર્વ જીવોને પરસ્પર સુખાદિનું સાંકર્ય થાય, તેથી એકને કરેલા કર્મનો નાશ અને બીજાને નહિ કરેલા કર્મનું આગમન થાય, એટલે જીવને સંઘાતભેદધર્મવાળો માનવો એ સર્વથા અયોગ્ય છે.
રોહગુખ :- અસ્તુ ઉપરોક્ત દોષથી જીવથી ભિન્ન જીવદેશને નો જીવ ન માનો, પરન્તુ જેમ ધર્માસ્તિકાયાદિથી અભિન્ન એવો તેનો દેશ, નોધમસ્તિકાયાદિ કહેવાય છે; તેમ જીવથી અભિન્ન એવા જીવદેશને નોજીવ કહીએ તો શો દોષ છે ?
આચાર્ય - એમ માનવાથી આત્માને દરેક પ્રદેશને નોજીવ માનવા પડશે, અને એથી એક જ આત્મામાં અસંખ્યાતા નો જીવ થશે અને જીવનો સર્વથા અભાવ થશે. આ જ પ્રમાણે અજીવમાં પણ થશે, ધર્માસ્તિકાયાદિ, કયણુક અંધ અને ઘટાદિ અજીવોમાં દરેક પ્રદેશે અજીવનો એક દેશ હોવાથી તે સર્વને અજીવ કહેવા પડશે, તેમજ પરમાણુઓ પણ પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવના દેશ હોવાથી તે પણ નોઅજીવ કહેવાશે, આથી સર્વત્ર અજીવના અભાવે નોઅજીવ જ પ્રાપ્ત થશે, એમ થવાથી રાજસભામાં જે તે ત્રણ રાશિ કહ્યા છે, તેની સિદ્ધિ ન થતાં, નોજીવ અને નોઆજીવ એવા બે રાશિની જ સિદ્ધિ થશે. આ પ્રમાણે અનેક દોષો આવવાથી જીવનો છેદ થતો નથી અને નોજીવની સિદ્ધિ પણ થતી નથી. ૨૪૬૮ થી ૨૪૭૧.
હવે પુચ્છાદિ અવયવોથી જીવપ્રદેશ છેડાયા છતાં પણ તે જીવ છે, નોજીવ નથી. એમ જણાવે છે :
छिन्नो व होउ जीवो कह सो तल्लखणोऽवि नोजीवो ? । अह एवमजीवस्सवि देसो तो नोअजीवोत्ति ॥२४७२॥ . एवंपि रासीओ ते न तिन्नि चत्तारि संपसज्जंति । जीवा तहा अजीवा नोजीवा नोअजीवा य ॥२४७३॥ अह ते अजीवदेसो अजीवसामण्णजाइलिङ्गो त्ति । भिन्नोऽवि अजीवो च्चिय न जीवदेसोवि किं जीवो ? ॥२४७४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org