________________
૩૧૨] ઐરાશિક મતનિરૂપણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
તથા ગરોળી વગેરેના પુચ્છાદિ અવયવો છરી આદિ શસ્ત્રથી છેદતાં જુદા પડ્યા પછી એ શરીર અને અવયવની વચ્ચે જીવના પ્રદેશોનો સંબંધ હોય છે, એમ સૂત્રમાં કહ્યું છે, એટલે તે પણ જીવ જ છે પણ નોજીવ નથી શ્રીભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે “હ મંતે ! હુમ્મા મતિયા, ગોદા गोहावलिया, गोणे गोणावलिया, मणुस्से मणुस्सावलिया, महिसे महिसावलिया, एएसि णं दुहा वा, तिहा वा, असंख्नेज्जहा वा छिन्नाणं जे अंतरा तेवि णं तेहिं जीवपएसेहिं फुडा ? । हंता फुडा, । पुरिसेणं भंते ! अन्तरे हत्थेण वा, पाएण वा, अंगुलियाए वा, कटेण वा, किलिंचेण वा, आमुसमाणे वा, संफुसमाणे वा, आलिहमाणे वा, विलिहमाणे वा, अन्नयरेण वा, तिक्त्रेणं सत्थजाएणं आछिंदमाणे वा, अगणिकाएणं समादहमाणे तेसिं जीवपएसाणं किंचि आबाहं वा વિવાહં વા ૩Mારુ વિચ્છ વા રે ? નો રૂખ સમા નો અનું તત્ય સત્યે સંવેમ?” આ પ્રમાણે શરીરના આત્મપ્રદેશો અને અવયવોની વચ્ચે જીવના પ્રદેશોનો સંબંધ સૂત્રમાં કહ્યો છે, પરંતુ કાર્મણ-શરીર સૂક્ષ્મ છે અને જીવના પ્રદેશ અમૂર્ત છે, એટલે અત્તરાલમાં જીવના પ્રદેશ વિદ્યમાન છે, તો પણ તે જણાતા નથી. ૨૪૬૩ - ૨૪૬૪.
જેમ શરીર અને પુચ્છાદિમાં ફૂરણાદિવડે જીવ પ્રદેશો જણાય છે; તેમ અત્તરાલમાં પણ તે કેમ નથી જણાતા ? તે માટે આચાર્યશ્રી કહે છે કે -
गज्झा मुत्तिगयाओ नागासे जह पईवरस्सीओ। तह जीवलक्खणाई देहे न तदंतरालम्मि ॥२४६५।। देहरहियं न गिण्हइ निरतिसओ नातिसुहुमदेहं व । न य से होइ विबाहा जीवस्स भवन्तरालेब्ब ॥२४६६॥ दब्बामुत्तत्ताकयभावादविकारदरिसणाओ य ।
अविणासकारणाहि य नभसो व्ब न खंडसो नासा ॥२४६७॥ જેમ પ્રદીપરશ્મિઓ ભીંત આદિ મૂર્તિમાન વસ્તુના સંયોગથી ગ્રાહ્ય થાય છે, પણ આકાશમાં ફેલાયેલી હોય, તો ગ્રાહ્ય નથી થતી; તેમ ભાષા-ઉચ્છવાસ આદિ જીવના લક્ષણો વડે જીવ શરીરમાં જ જણાય છે, પણ અન્તરાલમાં નથી જણાતો; વળી દેહ વિનાના મુક્તાત્માને, સૂક્ષ્મ નિગોદના જીવને તથા કાર્મણકાયયોગવાળા જીવને જ્ઞાનાતિશય વિનાનો આત્મા જોઇ શકતો નથી, તેમ જ ભવાંતરાલવર્તિ જીવની જેમ અંતરાલવર્તિ જીવપ્રદેશોમાં અગ્નિ-શસ્ત્ર આદિના પ્રવેશના અભાવે તેને કોઇ બાધા પણ નથી થતી. તથા આત્મા, અમૂર્ત દ્રવ્ય, અકૃત (નહીં કરેલો, અને ઘડાદિના ઠીકરાંની જેમ) વિકાર રહિત અને વિનાશના કારણો રહિત જણાતો હોવાથી આકાશની જેમ જીવનો ટુકડે ટુકડા થઈ વિનાશ નથી થતો. ૨૪૬૫ થી ૨૪૬૭. જીવનો ખંડશઃ નાશ માનવામાં અનેક દોષો થાય છે :
नासे य सव्वनासो जीवनासे य जिणमयच्चाओ। तत्तो य अणिमुक्खो दिक्खावेफल्लदोसा य ॥२४६८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org