________________
૩૦]
ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અભ્યપગમવિરોધ નામનો દોષ પ્રાપ્ત થાય છે. બાળ-ગોપાળ-સ્ત્રી આદિને પ્રસિદ્ધ એવા આત્માના અપલાપ કરનારનું વચન “શશી-ચંદ્ર નથી” ઈત્યાદિ વચનની જેમ લોકવિરૂદ્ધ છે. “હું છું, કે નથી ?” એમ બોલનારનું વચન “મારી માતા વધ્યા છે,” ઈત્યાદિ વચનની જેમ સ્વવચન વ્યાઘાતવાળું છે. આ રીતે પ્રત્યક્ષાદિ બાધિત પક્ષમાં પક્ષધર્મપણે તારો હેતુ હોવાથી તે અસિદ્ધ છે. હિમવાના પલનું પરિમાણ-અને પિશાચ આદિમાં પાંચમાંથી એકે પ્રમાણ પ્રવર્તતું નથી, તેથી પાંચ પ્રમાણના વિષય રહિત અસત્ હોય એવો તારો હેતુ અનેકાન્તિક પણ છે. અને અનુમાન પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે, તેથી તારો હેતુ વિપક્ષમાં રહે છે, માટે તે હેતુ વિરૂદ્ધ પણ છે. ૧૫૫૪-૧૫૫૭. બીજી રીતે આત્માને પ્રત્યક્ષ સિદ્ધ કરે છે.
गुणपच्चक्खत्तणओ गुणी वि जीवो घडो ब्व पच्चक्खो । घडओऽवि घेप्पड़ गुणी गुणमेत्तग्गहणओ जम्हा ॥१५५८।। अन्नोऽणन्नो व गुणी होज्ज गुणेहिं, जइ नाम सोऽणन्नो । ननु गुणमेत्तग्गहणे घेप्पइ जीवो गुणी सक्खं ॥१५५९।। अह अन्नो तो एवं गुणिणो न घडादओऽवि पच्चक्खा ।
गुणमेत्तग्गहणाओ जीवम्मि कओ वियारोऽयं ? ॥१५६०॥ ગુણપ્રત્યક્ષથી ગુણી આત્મા પણ ઘટની પેઠે પ્રત્યક્ષ છે; કેમકે રૂપાદિ ગુણ માત્ર ગ્રહણ થવાથી ગુણી-ઘટ પણ ગ્રહણ થાય છે, ગુણોથી ગુણી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ગુણોથી ગુણી અભિન્ન છે, તે ગુણમાત્રના ગ્રહણથી ગુણી-જીવ પણ સાક્ષાત્ ગ્રહણ થાય જ; અને જો ગુણોથી ગુણી ભિન્ન હોય, તો ગુણમાત્ર ગ્રહણ કરવાથી ઘટાદિ ગુણી પણ પ્રત્યક્ષ ન થવા જોઇએ. તો પછી જીવને વિષે તેના અભાવનો વિચાર શાથી થાય છે ? ૧૫૫૮ થી ૧પ૬૦.
સ્મૃતિ-જિજ્ઞાસા-ચિકીર્ષા-જિગમિષા-સંશય વિગેરે જ્ઞાન આત્માના ગુણો છે અને તે સ્વસંવેદ્ય પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી, તે ગુણો વાળો આત્મા પણ પ્રત્યક્ષ છે. જેના ગુણો પ્રત્યક્ષ હોય, તે ગુણી પણ પ્રત્યક્ષ હોય છે, જેમ રૂપાદિ ગુણ પ્રત્યા હોવાથી, તેનો ગુણવાન ઘટ પ્રત્યક્ષ છે, તેવી રીતે અહીં પણ ઉપરોક્ત જ્ઞાનાદિ ગુણો પ્રત્યક્ષ હોવાથી, તે ગુણવાન આત્મા પણ પ્રત્યક્ષ છે.
ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણી પણ પ્રત્યક્ષ થાય છે, એ હેતુ અનેકાન્તિક છે, કેમકે આકાશનો ગુણ શબ્દ પ્રત્યક્ષ થાય છે, પણ તે ગુણવાનું આકાશ પ્રત્યક્ષ નથી થતું. આ પ્રમાણે શંકા ન કરવી, કેમકે શબ્દ એ આકાશનો ગુણ નથી, પણ રૂપ આદિની જેમ ઇન્દ્રિય ગ્રાહ્ય હોવાથી પુદ્ગલનો ગુણ છે, એટલે તે ગુણ પ્રત્યક્ષ થવાથી આકાશ ક્યાંથી પ્રત્યક્ષ થાય ? નજ થાય.
ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણીને શું? એમ કહેતો હોય, તો પૂછીએ છીએ કે ગુણોથી ગુણીને તું ભિન્ન માને છે ? કે અભિન્ન માને છે ?, જો અભિન્ન માનતો હોય, તો જ્ઞાનાદિ ગુણને ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org