________________
૩૦૮] ઐરાશિક મતનિરૂપણ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ માટે રોગુપ્ત મુનિ અંતરંજીકા નગરીમાં આવ્યો. એ અરસામાં એક પરિવ્રાજક પેટ ઉપર લોઢાનો પાટો બાંધી, હાથમાં જંબૂવૃક્ષની ડાળી ગ્રહણ કરીને તે નગરીમાં ભ્રમણ કરવા લાગ્યો. તેને એવી વિચિત્ર ચેષ્ટાવાળો જોઈને લોકોએ એમ કરવાનું કારણ પૂછયું, એટલે તેણે કહ્યું કે “મારું પેટ અતિશય જ્ઞાનથી પૂર્ણ ભરેલું છે, તે ફૂટી ન જાય એટલા માટે તેને લોઢાના પાટાથી બાંધ્યું છે. વળી આ જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી એમ જણાવવાને માટે હાથમાં જંબૂવૃક્ષની ડાળી રાખી છે આવી ગર્વિષ્ટ ઉક્તિ સાંભળી લોકોએ તેનું નામ પોટ્ટશાલ” રાખ્યું. તે પછી એ પરિવ્રાજક આખી નગરીમાં એવી ઉદ્ઘોષણા કરાવી કે “આ પૃથ્વી સર્વ પરપ્રવાદથી શૂન્ય છે, વિશ્વમાં કોઈ પણ મારો પ્રતિવાદી નથી.” નગરીમાં આવી ઉદ્ઘોષણા થતી હતી, તે દરમ્યાન શ્રીગુપ્ત આચાર્યનો શિષ્ય રોહગુપ્ત અન્ય ગામમાં હતો, તે ગુરુને વંદન કરવા અંતરંજીકા નગરીમાં આવ્યો. નગરીપ્રવેશ કરતાં જ ઉપરોક્ત ઘોષણા સાંભળીને ગુરુને પૂછ્યા સિવાય તેણે ઘોષણા કરનારને કહ્યું કે “હું એ પરિવ્રાજક સાથે વાદ કરીશ” એમ જણાવી તેના પરહનો નિષેધ કર્યો.
રોહગુણે ગુરુ મહારાજ પાસે આવીને તે સર્વ હકીકત કહી; તે સાંભળીને ગુરુ મહારાજે કહ્યું :- હે ભદ્ર ! તે આ યોગ્ય ન કર્યું, કેમકે તું તારા જ્ઞાનવડે કદાચ તેને વાદમાં જીતીશ, પણ તે વિદ્યા-મંત્રમાં ઘણો કુશળ છે. તેથી તે વિદ્યાઓ વડે તને હેરાન કરશે. એની સઘળી વિદ્યાઓમાં આ સાત વિદ્યાઓ બહુ ફુરાયમાન છે.” વૃશ્ચિક વિદ્યાર્થી અનેક વિંછીઓ ઉત્પન્ન કરે છે, સર્પવિદ્યાથી અનેક સર્પ ઉત્પન્ન કરે છે. મૂષકવિદ્યાથી અનેક ઉંદર ઉત્પન્ન કરે છે. અને તે સર્વ પોતાના પ્રતિસ્પર્ધી વાદી ઉપર છોડે છે. વળી મૃગી-વરાહી-કાક અને પોતાકીની વિદ્યાઓ વડે અનુક્રમે અનેક ભયંકર મૃગી-વરાહી-કાક અને સમડી પેદા કરીને પોતાના શત્રુનો ઘાત કરે છે. એ સાંભળીને રોહગુણે કહ્યું, હે ભગવાન! જો એમ હોય, તો પણ શું હવે ક્યાંય ભાગી છૂટાય એમ છે ? મેં તેના પટહનો નિષેધ કર્યો છે, હવે તો જે થવાનું હોય તે થાઓ. તેનું આવું બૈર્ય જાણીને ગુરુદેવે કહ્યું, ભદ્ર ! જો તારો એવો નિશ્ચય જ છે કે – વાદમાં તેનો પરાભવ કરવો, તો તેની વિદ્યાઓનો પરાભવ કરનારી આ સાત વિદ્યાઓ હું તને આપું છું તે ગ્રહણ કર. એ વિદ્યાઓ પાઠ માત્રથી સિદ્ધ થાય એવી છે. વિંછીનો પરાભવ કરનારી મોર વિદ્યા, સર્પનો નાશ કરનારી નકુલ વિદ્યા, ઉંદરનો નાશ કરનારી બિલાડી વિદ્યા, મૃગીનો નાશ કરનારી વ્યાઘી વિદ્યા, વરાહીનો નાશ કરનારી સિંહી વિદ્યા, કાકનો નાશ કરનારી ઉલૂકી વિદ્યા અને પોતાકીનો ઘાત કરનારી ઉલાવકી વિદ્યા. આ સાત વિદ્યાઓ ગુરુ મહારાજે શિષ્યને આપી, તે ઉપરાંત એક રજોહરણ મંત્રીને આપ્યો, અને કહ્યું કે જો એ ઉપસર્ગ સિવાય, બીજો કોઈ મુદ્રવિદ્યાકૃત ઉપસર્ગ તને આવે, તો તે ઉપસર્ગનું નિવારણ કરવાને તેના મસ્તક ઉપર આ રજોહરણને ભમાવજે, એથી તું ઈન્દ્રથી પણ અજેય થઈશ, તો પછી મનુષ્ય તો તને ક્યાંથી જીતી શકે.
આ પ્રમાણે ગુરુ પાસેથી શિક્ષા અને વિદ્યા ગ્રહણ કરીને રોહગુપ્ત રાજસભામાં ગયો. ત્યાં જઈને તેણે ગર્વપૂર્વક પ્રતિજ્ઞાયુક્ત કહ્યું કે કોણ આ પરિવ્રાજક વાદ કરવા માગે છે ? ભલે એ ગમે તેવો હો એને પોતાને જ પોતાની ઈચ્છા મુજબ પૂર્વપક્ષ કરવા ઘો, હું તેનું ખંડન કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org