________________
ભાષાંતર ]
ક્ષણિકવાદના દૂષણો.
[૨૯૫
જો કહેવામાં આવે) તો પૂર્વક્ષણનો સર્વથા વિનાશ થયે તૃપ્તિની વૃદ્ધિ થાય છે, તે શાથી થાય છે ? પૂર્વક્ષણની વાસનાથી તે તેમાં અનુસરે છે, તો પછી પૂર્વક્ષણનો સર્વથા વિનાશ કેમ કહી
શકાય ? ૨૪૦૬-૨૪૦૭.
જે કારણથી દરેક ગ્રાસનો ભોક્તા જુદો જુદો છે, અને તૃપ્તિના અંશ પણ જુદા જુદા છે, તે જ કારણથી તૃપ્તિનો અને તૃપ્ત થનારનો અમે પ્રતિક્ષણે વિનાશ માનીએ છીએ, કારણ કે વિશેષણના ભેદે વિશેષ્યનો પણ અવશ્ય ભેદ હોય છે, એમ ન હોય તો વિશેષણનો પણ ભેદ ન સંભવે પદાર્થની ક્ષણ વિનાશિતામાં તૃપ્તિ વગેરે ન સંભવે, એમ પૂર્વે કહ્યું છે, એ કથન અહીં કહેતા હો, તો તે અયોગ્ય છે, કારણ કે તૃપ્તિ આદિ વાસનાથી વાસિત ઉત્તરોત્તર ક્ષણ, પૂર્વ પૂર્વ ક્ષણથી, છેક ઉત્કૃષ્ટ તૃપ્તિ આદિ થાય ત્યાં સુધી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જો પદાર્થની ક્ષણિકતા હોય, તો જ તૃપ્તિ વગેરે સર્વ લોક-વ્યવહારની સિદ્ધિ થાય, પદાર્થની નિત્યતામાં ન થાય, કેમકે જે નિત્ય હોય, તે ઉત્પન્ન ન થાય, નાશ ન પામે અને સર્વદા એક સ્થિર સ્વભાવવાળું જ રહે. અને પદાર્થ જો એવા સ્વભાવવાળા હોય, તો તૃપ્તિ વગેરેનો હંમેશાં સદ્ભાવ અથવા હંમેશાં અભાવ થાય.
જો એ પ્રમાણે ક્ષણવાદી ત૨ફથી કહેવામાં આવે, તો તેઓને પૂછવું જોઈએ કે - પૂર્વક્ષણનો સર્વથા વિનાશ થયે ઉત્તરોત્તર ક્ષણોમાં તૃપ્તિ વગેરેની જે વૃદ્ધિ અનુક્રમે જણાતાં છેવટે સંપૂર્ણ તૃપ્તિ આદિ થાય છે, તે ક્યા કારણથી થાય છે ? પૂર્વ પૂર્વ ક્ષણ વડે ઉત્તરોત્તર ક્ષણની તૃપ્તિ આદિ જે વાસના ઉત્પન્ન થાય છે, તે વડે તેવી તૃપ્તિ આદિ થાય છે. આવો બચાવ કરવામાં આવે, તો તે અયોગ્ય છે. કેમકે તે વાસના પૂર્વક્ષણથી અભિન્ન હોવાને લીધે પૂર્વ પૂર્વ ક્ષણનો નાશ થતા સાથે તે વાસનાનો પણ નાશ થાય છે. ઉત્તરોત્તર ક્ષણોમાં તે વાસનાની અનુવૃત્તિ છે, તેથી તેવી તૃપ્તિ થાય છે, એમ કહેવામાં આવે, તો પૂર્વ પૂર્વ ક્ષણનો સર્વથા વિનાશ નહીં કહી શકાશે, કેમકે તેનાથી અભિન્ન એવી તૃપ્તિ આદિ વાસનાની અનુવૃત્તિ માનેલ છે. ૨૪૦૬ થી ૨૪૦૭. ક્ષણિકવાદમાં બીજાં પણ દૂષણો કહે છે.
दिक्खा व सव्वनासे किमत्थमहवा मई विमोक्खत्थं । सो जड़ नासो सव्वस्स तो सओ किं व दिखाए ? || २४०८ ॥ अह निच्चो, न क्खणियं तो सव्वं, अह मई ससंताणो । अहउत्ति तओ दिक्खा निस्संताणरस मोक्खत्ति || २४०९ ।।
Jain Education International
छिण्णेण अछिण्णेण व किं संताणेण सव्वनट्ठस्स ? । િવ માવીમૂવસ સ-પરસંતાળચિંતા! ? ર૪૦ની
વળી જો ક્ષણોનો સર્વથા નાશ થતો હોય તો દીક્ષા પણ શા માટે લેવી જોઈએ ? મોક્ષાર્થે દીક્ષા લેવી જોઈએ, એમ કહેવામાં આવે, તો એ મોક્ષ નાશરૂપ છે કે અનાશરૂપ છે ? જો મોક્ષ નાશસ્વરૂપ હોય, તો તે મોક્ષ સૌ કોઈને પ્રયત્ન વિના પ્રાપ્ત થવો જોઈએ, દીક્ષા વડે શું પ્રયોજન છે ? અને જો મોક્ષ અનાશરૂપ-નિત્ય હોય તો “સર્વ વસ્તુ ક્ષણિક છે” એમ નહિ કહેવાય. વિજ્ઞાન
For Private & Personal Use Only
www.jainelibrary.org