SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ક્ષણિકવાદે શાન, તૃપ્તિ વગેરેનો અસંભવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ હોઈ શકે? ન જ હોઈ શકે, કેમકે અન્ય સંબંધ સિવાય તેનો સંબંધ માનવામાં આવે, તો અન્વય માનવો પડે, અને તેથી કથંચિત્ ધ્રુવતા પ્રાપ્ત થાય. ૨૩૯૭ થી ૨૪૦૦. ક્ષણિકવાદમાં જ્ઞાન, તૃમિ વગેરે સંભવે નહિ તે જણાવવા કહે છે. किह वा सव्वं खणियं विण्णायं ? जइ मइ सुयाउत्ति । तदसंखसमयसुत्तत्थगहणपरिणामओ जुत्तं ॥२४०१।। न उ पइसमयविणासे जेणेक्केक्कक्खरं चिय पयस्स । संखाईयसमइयं संखिज्जाइं पयं ताई ॥२४०२॥ संखिज्जपयं वक्कं तदत्थगहणपरिणामओ हुज्जा । सब्बखणभंगनाणं तदजुत्तं समयनस्स ॥२४०३॥ तित्तो समो किलामो सारिक्ख-विवख-पच्चयाईणि । अज्झयणं झाणं भावणा य का सबनासम्मि ? ॥२४०४॥ अण्णण्णो पइगासं भोत्ता अंते न सोवि को तित्ती ? । गंतादओऽवि एवं इय संववहारवोच्छित्ती ॥२४०५॥ ક્ષણિકવાદમાં “સર્વ વસ્તુ ક્ષણિક છે.” એવું જ્ઞાન શાથી થાય ? એવું જ્ઞાન ઋતથી થાય છે, એમ કહેવામાં આવે, તો તેવું શ્રુતજ્ઞાન અસંખ્યાતા સમયે સૂત્રાર્થના ગ્રહણ પરિણામથી થઈ શકે છે, પણ પ્રતિસમયે વિનાશ ન ઘટે, કારણ કે એક અક્ષર અસંખ્યાત સમયે ઉત્પન્ન થાય છે, સંખ્યાતા અક્ષરોએ પદ થાય છે અને સંખ્યાતા પદોએ વાક્ય થાય છે, તે પછી “સર્વ ક્ષણિક છે” એવું તે પદના અર્થનું જ્ઞાન થાય છે. આવું જ્ઞાન સમયાનંતર નાશ પામનાર મનવાળાને ન થઈ શકે. વળી તૃપ્તિ, શ્રમ, ગ્લાનિ, સાધમ્ય, વિપક્ષ, પ્રત્યયાદિ, અધ્યયન, ધ્યાન અને ભાવના એ સઘળું પદાર્થની ક્ષણભંગુરતામાં ક્યાંથી ઘટી શકે ? ન જ ઘટી શકે. તેમ જ ભોજન કરતી વખતે ભોજન કરનાર ક્ષણિક હોવાથી દરેક કોળિયો લેતાં તે ભોજન કરનાર જુદો જુદો થશે, અને ભોજન ક્રિયાના અંતે તે ભોક્તા પણ નહિ રહે, (કેમ કે ભોજનક્રિયાના અભાવે તયુક્ત ભોજન કરનારનો પણ સર્વથા વિનાશ થાય છે.) એટલે તૃપ્તિ કોને થશે ? અને એ જ પ્રમાણે ગમન કરનારાને શ્રમ વગેરે પણ નહિ થાય. એ રીતે માનવાથી સર્વથા લોકવ્યવહારનો ઉચ્છેદ થશે. ૨૪૦૧ થી ૨૪૦૫. जेणं चिय पइगासं भिन्ना तित्ती तओ च्चिय विणासो । तित्तीए तित्तस्स य एवं चिय सबसंसिद्धी ॥२४०६॥ पुब्बिल्लसब्बनासे बुड्डी तित्ती य किंनिमित्ता तो ? । अह सावि तेऽणुवत्तइ सबविणासो कहं जुत्तो ? ॥२४०७॥ જે કારણથી દરેક ગ્રાસનો ભોક્તા અને તૃપ્તિ ભિન્ન છે, તે જ કારણથી તૃપ્તિ અને તૃપ્ત થનાર ક્ષણ વિનાશી છે, અને એ જ પ્રમાણે શ્રમ આદિ સર્વ વ્યવહારની સિદ્ધિ થાય છે. (એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy