________________
૨૯૬]. ક્ષણિકવાદના દૂષણો. I [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વેદના-સંજ્ઞા-સંસ્કાર-રૂપસ્કંધની ક્ષણ પરંપરારૂપ સંતાનનો નાશ તે મોક્ષ કહેવાય. તેથી નિઃસંતાન થવા માટે દીક્ષા લેવી જોઈએ, એમ કહેવામાં આવે તો સર્વથા નાશરૂપ પદાર્થ માંગનારને કેટલાક છેદાયેલા અને કેટલાક નહિ છેદાયેલા એવા સંતાન વડે શું પ્રયોજન છે કે જેથી સંતાનના નાશ માટે દીક્ષા લેવી જોઈએ? વળી સર્વથા અભાવરૂપ અને ક્ષણભંગુરપણે સર્વથા વિનાશ પામેલા એવા સંતાન માટે “આ સ્વસંતાન છે, આ પરસંતાન છે, તથા આ સંતાન નાશ પામેલ છે, આ સંતાન નાશ પામેલ નથી.” એવી ચિંતા શા માટે કરવી જોઈએ. ૨૪૦૮ થી ૨૪૧૦. ક્ષણિકવાદીના હેતુથી જ ક્ષણિકવાદનો નિરાસ કરે છે.
सव्वं पयं व खणियं पज्जंते नासदरिसणाउ त्ति । नणु इत्तो च्चिय न खणियमंते नासोवलद्धीओ ॥२४११॥ इहराइउ च्चिय तओ दीसेज्जंते व कीस व समाणो । सबविणासे नासो दीसइ अंते न सोऽन्नत्थ ? ॥२४१२॥ अंते व सव्वनासो पडिवण्णो केण जदुवलद्धीओ।
कप्पेसि खणविणासं नणु पज्जायंतरं तंपि ॥२४१३॥ પર્યત નાશ જણાતો હોવાથી દૂધની જેમ સર્વ વસ્તુ ક્ષણિક છે. (એમ કહેવામાં આવે તો) એ હેતુથી જ પર્યતે નાશ જણાતો હોવાથી વસ્તુ ક્ષણિક નથી, એમ સિદ્ધ થાય છે. જો વસ્તુ ક્ષણવિનાશી હોય, તો જેમ અંતે નાશ જણાય છે, તેમ આદિમાં પણ જણાવો જોઈએ અથવા વસ્તુના સર્વથા વિનાશમાં જે નાશ સર્વત્ર સમાન છે, તે પર્વતે જણાય છે અને અન્યત્ર કેમ જણાતો નથી ? વળી પર્યતે સર્વ નાશ, કોણે માનેલ છે, કે જેની ઉપલબ્ધિથી તું પદાર્થની ક્ષણવિનાશિતા માને છે ? વસ્તુતઃ તે પણ પર્યાયાન્તર જ છે. ૨૪૧૧ થી ૨૪૧૩.
અભ્યમિત્ર :- દૂધની જેમ પર્વતે નાશ જણાય છે, તેથી “સર્વ વસ્તુ ક્ષણિક છે.” આચાર્ય - પદાર્થનો પર્યત નાશ જણાતો હોય, તો પછી વસ્તુને ક્ષણવિનાશી કેમ કહેવાય ?
અમિત્ર - મારા કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટાદિ પદાર્થનો જે પર્યતે નાશ જણાય છે. તે નાશ કેવળ નિર્દેતુક થાય છે, એમાં મુગરાદિ વિનાશના હેતુનો સંબંધ જ નથી હોતો. કારણ કે જો ત્યાં તે મુદ્દેગરાદિ હેતુ હોય, તો તે મુદ્દેગરાદિ વડે વિનાશ કરતાં શું ઘટ જ કરાય છે, કપાલ (ઠીકરા) કરાય છે, કે તુચ્છરૂપ અભાવ કરાય છે? ઈત્યાદિ યુક્તિથી વિનાશની નિર્દેતુકતા પૂર્વે કહેલ છે. એ પ્રમાણે નિર્દેતુક નાશ થતો હોવાથી શરૂઆતમાં જ નાશ થાય છે, અને તેથી પર્યત પણ નાશ જણાય છે. આથી પર્યતે નાશ જણાવારૂપ હેતુ સત્યુ હોવાથી પદાર્થની ક્ષણિકતા સિદ્ધ થાય છે.
આચાર્ય - જે હેતુથી તું ક્ષણિકતા સિદ્ધ કરે છે તે જ હેતુથી અમે અક્ષણિકતા સિદ્ધ કરીએ છીએ. જેમ કે પર્યતે નાશ જણાતો હોવાથી ઘટાદિની જેમ વસ્તુ ક્ષણ વિનાશી નથી, યુક્તિ વડે બાધિત હોવાથી ઉપલબ્ધિ ભ્રાન્તિવાળી છે, એમ કહી શકાય નહિ, કારણ કે સર્વ પદાર્થની સ્થિતિ એ જ પ્રમાણે સર્વત્ર પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org