________________
૨૭૪] અકૃત કાર્ય અને નિત્યક્રિયાદિ દોષનું ખંડન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે “દી સઈ દીહો ય જઓ” એ પૂર્વપક્ષનો ઉત્તર કહે છે.
पइसमउप्पन्नाणं परोप्परविलक्खणाण सुबहूणं । दोहो किरियाकालो जड़ दीसइ किं त्थ कुंभस्स ? ॥२३१५॥ अन्नारंभे अन्नं किइ दीसउ ? जह घडो पडारंभे ।
सिवकादओ न कुंभो किह दीसउ सो तदद्धाए ? ॥२३१६॥ દરેક સમયે ઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ એવાં ઘણાં કાર્યોનો દીર્ઘ ક્રિયાકાળ જણાય, તો એમાં ઘટને શું ? જેમ પટના આરંભમાં ઘટ ન જણાય, તેમ અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ક્યાંથી જણાય? શિવક વગેરે કંઈ ઘટરૂપ નથી, એટલે તે વખતે ઘટ ક્યાંથી જણાય ? ૨૩૧૫ થી ૨૩૧૬.
દરેક સમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ સ્વરૂપવાળા શિવક, સ્થાસ, કોશ, કુશુલ વગેરે પ્રતિસમય આરંભ થતા અને સમાપ્તિ પામતા એવાં ઘણાં કાર્યોનો દીર્ઘ ક્રિયાકાળ જણાય, તો એમાં ઘટરૂપ કાર્યનો દીર્ધ ક્રિયાકાળ ક્યાંથી થયો? તમારું એમ માનવું છે, કે માટી લાવવી, તેને મસળવી, પિંડ કરવો વગેરે સર્વ ઘટ ઉત્પન થવાનો ક્રિયાકાળ છે. એ તમારી માન્યતા અયોગ્ય છે, કારણ કે કાર્યનો ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી ત્યાં દરેક સમયે જુદા જુદા કાર્યો આરંભાય છે અને ઉત્પન્ન થાય છે, ઘટ તો છેલ્લા સમયે આરંભાય છે ને છેલ્લા સમયે જ ઉત્પન્ન થાય છે, એટલે ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થવાનો દીર્ઘ ક્રિયાકાળ ક્યાંથી આવ્યો? કારણ કે જેમ પટરૂપ કાર્યના આરંભમાં ઘટરૂપ કાર્ય જણાતું નથી, તેમ શિવકાદિ અન્ય કાર્યના આરંભમાં ઘટાદિરૂપ અન્ય કાર્ય ક્યાંથી જણાય? વળી શિવકાદિ કાર્યો કંઈ ઘટરૂપ નથી, પણ એથી જુદા જ છે, એટલે શિવકાદિ કાર્યકાળમાં ઘટાદિ કાર્ય ક્યાંથી જણાય ? ન જ જણાય. ૨૩૧૫ થી ૨૩૧૬. “રીસ તર” એ પૂર્વપક્ષનો ઉત્તર કહે છે.
अंते च्चिय आरद्धो जड़ दीसह तम्मि चेव को दोसो ?।
अकयं व संपइ गए कह कीरउ कह व एस्सम्मि ? ॥२३१७॥ છેલ્લે સમયે આરંભેલું કાર્ય, જો છેલ્લા સમયમાં જણાય, તો એમાં શું દોષ છે ? વર્તમાન સમયે નહિ થયેલું કાર્ય, અતીતકાળ અને અનાગતકાળમાં, કેવી રીતે થાય? ન જ થાય. ૨૩૧૭.
અત્યક્રિયા સમયે આરંભેલો ઘટ, જો અન્ય સમયે જ જણાય, એમાં શું દોષ છે ? કંઈ જ નહિ. વળી વર્તમાનક્રિયા સમયે કાર્ય કરાતું નથી, એમ માનવામાં આવે, તો અતીત અને અનાગત ક્રિયાકાળે પણ તે કેવી રીતે કરાય ? કારણ કે અતીત અનાગત ક્રિયાકાળ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી, ગધેડાનાં શીંગડાની જેમ અવિદ્યમાન છે. એટલે તેમાં કાર્ય કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે માટે જે કરાતું હોય તે જ કર્યું કહેવાય. અને જો કરાતું હોય, તે કર્યું ન કહેવાય, તો પછી તે ક્યાં કરાય છે ? ક્રિયા વીત્યા પછી કાર્ય થાય છે, એમ કહેવું થાય તો તે અયોગ્ય છે. કેમકે તે વખતે ક્રિયાનો અભાવ હોય છે અને ક્રિયાના અભાવે પણ કાર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org