________________
ભાષાંતર] કિયામાણને કૃત માનવામાં પૂર્વપક્ષથી દોષો.
[૨૭૩ વળી “કરાતું હોય, તે કર્યું” એમ કહેનારાઓ ક્રિયા વખતે પણ વિદ્યમાન કાર્યનું પ્રતિપાદન કરે છે, અને એથી તો પ્રત્યક્ષ વિરોધ જણાય છે; કારણ કે ઉત્પત્તિકાળની પહેલાં અવિદ્યમાન એવું કાર્ય, ઉત્પત્તિ કાળે થતું જણાય છે. આથી જે કરાતું હોય, તે કર્યું, એમ ન કહેવાય. વળી “કરાતું હોય તે કર્યું” એમ માનનારાઓ ક્રિયાના આરંભ સમયે જ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ માને છે, અને એ માન્યતા સર્વથા અયોગ્ય છે, કારણ કે ઉત્પન્ન થતા ઘટાદિ કાર્યોનો ઉત્પત્તિ કાળ તો ઘણો લાંબો જણાય છે. વળી ક્રિયાના આરંભ સમયે ઘટાદિ કાર્ય થતું જણાતું નથી, તેમજ શિવક, સ્થાસ, કોશ, કુશુલાદિ ક્રિયાસમયમાં પણ થતું જણાતું નથી. પરંતુ એ દીર્ઘ એવા ક્રિયાકાળના અંતે જ ઘટાદિ કાર્ય થતું જણાય છે; માટે ક્રિયાકાળે કાર્ય માનવું યોગ્ય નથી, કારણ કે તે વખતે તે નથી જણાતું, ને એ વાત સર્વ લોકને પ્રત્યક્ષ સિદ્ધ છે. ૨૩૦૮ થી ૨૩૧૨.
હવે ઉપર કહેલા જમાલિના સર્વ પૂર્વપક્ષનો સ્થવિરો અનુક્રમે ઉત્તર આપે છે. તેમાં પ્રથમ “ી નિર્વ” એ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે.
थेराण मयं नाकयमभावओ कीरए खपुष्पं व । अह व अकयंपि कीरइ कीरउ तो खरविसाणंपि ।।२३१३।। निच्चकिरीयाइदोसा नणु तुल्ला असइ कट्ठतरगा वा ।
पुव्बमभूयं च न ते दीसह किं खरविसाणपि ? ॥२३१४॥ સ્થવિરોનો એવો મત છે કે અકૃત કાર્ય આકાશપુષ્પની જેમ અવિદ્યમાન હોવાથી કરાતું નથી. અને જો અકૃત કાર્ય પણ કરાય, તો ગધેડાનાં શીંગડાં પણ કરાવાં જોઇએ.
વળી જે નિત્યક્રિયાદિ દોષો કહ્યા, તે અવિદ્યમાન કાર્યમાં પણ તુલ્ય છે, અથવા એથી પણ વધારે કષ્ટતર છે. કારણ કે પૂર્વે નહિ થયેલું કાર્ય તને જણાય છે. તો પછી ગધેડાનાં શીંગડાં પણ શું જણાય છે ? ૨૩૧૩ થી ૨૩૧૪. - મિથ્યાત્વના ઉદયથી નિતવપણું પામેલા જમાલિને પૂર્વોક્ત રીતે અયોગ્ય પ્રરૂપણા કરતો જાણીને, ગીતાર્થ સાધુઓ તેને કહેવા લાગ્યા કે (ક્રિયાના સમયે પણ સર્વથા) અકૃત કાર્ય, આકાશપુષ્પની જેમ અવિદ્યમાન હોવાથી કરાતું નથી, અને જો અકૃત કાર્ય પણ કરાતું હોય, તો ગધેડાના શીંગડાં પણ કરાવાં જોઈએ. કારણ કે અકૃતપણું ઉભય સ્થળે સમાન છે. વળી જે નિત્યક્રિયાદિ દોષો કૃતિપક્ષમાં તમે કહ્યા, તે નિત્યક્રિયા, ક્રિયાની અસમાપ્તિ, ક્રિયાની નિષ્ફળતા આદિ દોષો અકૃતપક્ષમાં અવિદ્યમાન વસ્તુ કરવાનું માનવાથી વિશેષ પ્રાપ્ત થાય છે. વિદ્યમાન વસ્તુમાં તો પર્યાય વિશેષ ધારણ કરવા દ્વારાએ કોઈક અપેક્ષાએ ક્રિયા ઘટી પણ શકે છે; જેમકે “અવકાશ કરો, પગ કરો, પીઠ કરો,” ઈત્યાદિ. પરંતુ અવિદ્યમાન પદાર્થમાં તો સર્વથા એવું સંભવતું જ નથી. કારણ કે ગધેડાનાં શીંગડાંની માફક તે સર્વથા અવિદ્યમાન છે. વળી જો પૂર્વે કારણાદિ અવસ્થામાં અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે, તો પછી જેમ માટીના પિંડથી ઘડો થાય છે, તેમ તેનાથી ગધેડાનાં શીંગડાં પણ કેમ ન થાય ? કારણ કે અવિદ્યમાનતા ઉભયત્ર સમાન છે. અને તેથી જેમ ખરવિષાણ થતું જણાતું નથી, તેમ ઘટ પણ થતો ન જણાવો જોઈએ. અથવા ખરવિષાણ જણાય, અને ઘટ ન જણાય, એમ વિપર્યય પણ કેમ ન થાય? ૨૩૧૩ થી ૨૩૧૪.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org