SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સત્તાને જુદી માનનારાઓનું ખંડન. [૨૪૭ પરસ્પર નિરપેક્ષ સામાન્ય-વિશેષ માનવાથી જે દોષ આવે છે તે આ ગાથાઓમાં જણાવ્યા છે, તેમાંની પહેલી ત્રણ ગાથાઓનો અર્થ સમજી શકાય એવો છે, પાછળની બે ગાથાઓના સંબંધમાં કિંઇક વિશેષ કહેવાની જરૂર છે, તે કહીએ છીએ. “આ ગાય છે, આ ગાય છે” ઈત્યાદિ સામાન્ય જ્ઞાન અને સામાન્ય વચન તે સામાન્ય હેતુથી પ્રવર્તે છે, અને પરમાણુઓમાં “આ પરમાણુ આનાથી વિશિષ્ટ - જુદો છે” એવું વિશેષ જ્ઞાન અને વચન તે વિશેષહેતુક છે, એવી જો માન્યતા હોય, તો ગોત્વ-ગજત્વાદિ સામાન્ય પદાર્થોમાં “આ સામાન્ય છે, આ સામાન્ય છે” ઈત્યાદિ જ્ઞાન અને વચન તથા વિશેષ પદાર્થોમાં “આ વિશેષ છે, આ વિશેષ છે” એવું જ્ઞાન અને વચન પ્રવર્તે છે, તે ક્યા નિમિત્તથી પ્રવર્તે છે? સામાન્ય વિશેષથી પ્રવર્તે છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે સામાન્યમાં બીજું સામાન્ય ન હોય, અને વિશેષમાં બીજુ વિશેષ ન હોય. તથા જો એમ કહેવામાં આવે, કે બીજા સામાન્ય સિવાય વિષયભૂત જે ગોત્વાદિ સામાન્ય પદાર્થ તેનાથી તે સામાન્ય જ્ઞાન અને વચન પ્રવર્તે છે, અને અન્ય વિશેષની અપેક્ષા વિના તે વિશેષથી જ વિશેષ જ્ઞાન અને વચન પ્રવર્તે છે, એમ કહેવામાં આવે, તો તે સામાન્ય વિશેષ જ્ઞાન અને વચન પરનિમિત્તક થયા ગણાય, પણ એકાન્ત સામાન્ય-વિશેષ નિમિત્તક ન ગણાય. કેમકે તે સામાન્ય વિષય અને વિશેષવિષયથી થયું ગણાય. - આ પ્રમાણે એકાન્ત નિરપેક્ષ સામાન્ય વિશેષ માનવાથી આવા દૂષણો આવે છે. તત્ત્વથી વસ્તુ સ્વરૂપ તો એવું છે કે ગાય આદિ પદાર્થના ખરી, સ્કંધ, પુચ્છ, શીંગડા, ગલકંબલાદિ રૂપ જે સદેશપર્યાય, તે જ સામાન્ય છે, પણ એક નિત્ય નિરવયવ-અક્રિયસર્વગાદિ ધર્મયુક્ત જ હોય તે સામાન્ય, એવું જે બીજાઓ માને છે, તે નહિ. અને એ જ ગાય વગેરે પદાર્થના શ્યામતા શ્વેતતાદિ અન્ય વિસદેશપર્યાય તે વિશેષ છે, આ જે સામાન્ય-વિશેષ રૂપ પર્યાય તે ગાય આદિ પદાર્થથી અભિન્ન છે, અને પરરૂપાદિવડે કંથચિત્ ભિન્ન છે, એકાન્ત ભિન્ન કે અભિન્ન નથી. ૨૧૯૮ થી ૨૨૦૨. હવે સંગ્રહાયની વ્યાખ્યા અને માન્યતા કહે છે. संगहणं संगिण्हइ संगिज्यते व तेण जं भेया । तो संगहोत्ति संगहियपिंडियत्थं वओ जस्स ॥२२०३॥ संगहियमागहियं संपिंडियमेगजाइमाणीयं । संगहियमणुगमो वा वइरेगो पिंडियं भणियं ॥२२०४॥ अहव महासामन्नं संगहियपिंडियत्थमियरंति । सव्वविसेसानन्नं सामन्नं सव्वहा भणियं ॥२२०५॥ एगं निच्चं निरवयमक्कियं सव्वगं च सामन्नं । निस्सामन्नत्ताओ नत्थि विसेसो खपुष्पं व ॥२२०६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy